SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ શારદા સાગર કર્યો. ઘણું ધન કમાઈને ઘેર આવ્યા તે ખબર પડી કે ઘરમાં ચાર આવ્યા હતા ને ઘણું ધન ચોરી ગયા છે. એટલે શેઠ તે માથું ખંજવાળવા લાગ્યા. ને બચેલા અને કમાઈને લાવેલા ધનને હિસાબ કર્યો તે ૯ લાખ થયા. પણ શેઠ ખૂબ હિંમતવાન હતા. એટલે “સાહસથી સિદ્ધિ એ સૂત્ર તેમણે જીવનમાં વણી લીધું હતું. તેથી શેઠ બધું ધન જમીનમાં દાટીને પાછા પરદેશ જઈને ખૂબ કમાયા. ને પાછા ઘેર આવીને જમીનમાં દાટેલું ધન કાઢવા જાય તે ધનને બદલે કાંકરા નીકળ્યા. એટલે ૯ લાખના ૯ લાખ રહ્યા. કેડ ન થયા તે ન થયા. બંધુઓ! જુઓ. શેઠ કરોડપતિ બનવાન કેટલી મહેનત કરે છે ! માનવને લોભનો થેભ નથી. તેથી પોતાના કાર્યથી પાછો પડતું નથી, શેઠે વિચાર કર્યો કે ધન ઘેર મૂકીને જઉં તે ચોરાઈ જવાની ચિંતા રહે ને! તે આ વખતે ઘર ખર્ચ જેટલું ધન મૂકીને બાકી બધું સાથે લઈને જાઉં તે ચિંતા નહિ. એટલે શેઠ બધું ધન લઈને ત્રીજી વખત પરદેશની સફરે ઉપડયા. ત્યાં લગભગ કેડ જેટલું ધન કમાયા ને ઘર તરફ જવાને વિચાર કર્યો. પણ મનમાં થયું કે રખેને વહાણ ભાંગે તે મારું બધું ધન ચાહયું જાય. તેના કરતાં કોડ રૂપિયાનું એક રત્ન ખરીદું. એમ વિચારી કેડની કિંમતનું એક રત્ન ખરીદ કર્યું ને જાંઘ ચીરી તેમાં પેલું રત્ન મૂકીને દવાથી ઘા રૂઝાવી દીધે. ને વહાણુમાં બેસી દેશ તરફ જવા રવાના થયા. મનમાં ખૂબ આનંદ છે કે હવે કઈ રીતે મારું ધન લૂંટાવાનું નથી. હવે તો હું કોડપતિ જરૂર બનીશ. પણ તેને ક્યાં ખબર હતી કે ધારેલી બાજી કયારે ધૂળમાં મળી જશે! માનવી મેહમાં પડી કેવા કેવા મનેરના મિનારા મનમાં ચણે છે. પણ એ ટકશે કે નહિ તેની ખાત્રી છે? ના. આ શેઠ મનમાં મલકાય છે. પણ વહાણ મધદરિયે પહોંચ્યું ત્યાં દરિયામાં ભયંકર વાવાઝોડાનું તોફાન થયું. શેઠનું વહાણ ભાંગીને ભુકક થઈ ગયું. ને શેઠ દરિયામાં પડયા. પણ ભાગ્યને હાથમાં એક પાટીયું આવી ગયું. તેના આધારે તરીને કિનારે પહોંચ્યા. આટલી દુઃખની છાયા ઘેરાઈ છતાં શેઠના મનમાં એક વાતને આનંદ છે કે ભલે વહાણ ભાંગ્યું પણ કેડનું રત્ન તે સલામત છે ને? શેઠ જેમ તેમ કરીને થોડા દિવસે પિતાને ઘેર પહોંચ્યા. ને પિતાના કુટુંબને મળ્યા. બીજે દિવસે ડોકટર પાસે જાંઘ ચીરાવી પેલું રત્ન કાઢી ઝવેરીઓને બતાવ્યું. ત્યારે ઝવેરીઓ કહે છે કે રત્ન તે કેડની કિંમતનું છે. પણ તમે તેને જાંઘમાં રાખ્યું એટલે જાંઘની ગરમીથી તેનું નૂર ઝાંખુ પડી ગયું છે. તેથી એની કિંમત એક લાખ રૂપિયા ઓછી ઉપજશે. - આ સાંભળી શેઠને ખૂબ ખેદ થયે કે અરેરે...મેં કેટલું દુઃખ વેઠયું? કેટલી મહેનત કરી? ત્રણત્રણવાર તે પરદેશ ગય. છતાં ૯ લાખના ૯૯ લાખ રહ્યા. કઈ વાત કેડધિપતિ બન્યું નહીંપણ મારે તે કેડાધિપતિ બનવું જ છે! શેઠને ખાવું,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy