SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૯૯ આનંદપૂર્વક રહે છે. આ સમાચાર મળતાં પવનજીને ખૂબ આનંદ થયા. પણ હવે જલ્દી અંજનાને મળવાની ચટપટી લાગી છે. હવે બધા અંજનાના મેાસાળ જશે ને શું મનશે તેના ભાવ અવસરે. ☆ વ્યાખ્યાન નં. ૯૧ આસા વદ ૧૨ ને શુક્રવાર તા. ૩૧-૧૦-૭૫ અનંત કરૂણાના સાગર, શૈલેાકયપ્રકાશક ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ જગતના જીવાના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં સનાથ અને અનાથનુ ભગવતે સુર રીતે દ્દિગ્દર્શન કરાવ્યું છે. અનાથી મુનિ અનાથમાંથી સનાથ કેવી રીતે બન્યા તે વાત તમે સાંભળી ગયા. સાધુપણું તે સનાથપણું છે. પણ સનાથ બન્યા પછી જો સાવધાની ન શખે, શિથિલાચારી બની જાય તે સનાથમાંથી અનાથ બની જાય છે. તે વાત મતાવતાં અનાથી મુનિ કહે છે કે – जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयइ पमाया । अनिग्गहप्पा य रसेसु गिध्धे, न मूलओ छिन्दई बंधन से ॥ ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૩૯, હે રાજન્ ! જે સાધક નિગ્રંથપણાને પામીને કાયરતાથી મહાવ્રતનુ પાલન ખરાખર કરતા નથી તે કંધનના મૂળ કારણાને છેઠ્ઠી શકતા નથી. જે મનુષ્ય સંસારને છોડીને સાધુપણું અંગીકાર કરી ચારિત્રનું પાલન ખરાખર કરે છે તે આત્મા તે ભવે અગર તે પરંપરાએ અમુક ભવે મેાક્ષમાં જાય છે, પણ જે કાઇ સાધુપણુ લઇને પ્રમાદમાં પડીને કાયર અની જાય છે ને પંચ મહાવ્રતનું, શુદ્ધ રીતે પાલન કરતા નથી તે કખ ધનના મૂલને છેદી શકતા નથી. કારણ કે તેણે વેશ પહેર્યાં છે. પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં છે, પણ પ્રમાદને વશ થઈને રસમાં મૃદ્ધ બનવાથી મહાવ્રતાનું સમ્યક્ પ્રકારે પાલન કરી શકતા નથી. સમ્યક્ પ્રકારે સાધુપણાનુ પાલન ન થાય તે! સંસારનું મૂળીયુ' કયાંથી કાપી શકાય ? અંધુએ ! તમારી સામાયિક એટલે એ ઘડીનું ચારિત્ર છે. એ ચારિત્રમાં જો સમતારસનું પાન કરવામાં આવે તે સાધુપણાના આન અનુભવી શકાય. તમે સંસારની કોઈપણ ક્રિયા કરતા હા ત્યારે પણ તમારી દ્રષ્ટિ તે મેક્ષ તરફ હાવી જોઇએ. પણ સ'સાર તરફ દૃષ્ટિ રાખીને મેાક્ષની ક્રિયાએ કરતા હાય તેા ત્રણ કાળમાં તેનું કલ્યાણુ ના થાય. એક શ્રાવક સસારમાં બેઠા છે પણ તેની દૃષ્ટિ મેક્ષ તરફની છે. જયારે બીજો માણસ સાધુપણામાં બેઠા છે પણ તેની ષ્ટિ સંસાર અને સંસારના સુખા તરફ છે તે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy