SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ દ શારદા સાગર મુનીમને ઓળખ્યા પછી શેઠનેા પુત્ર પોતાના દુષ્કૃત્ય માટે રડવા લાગ્યા. સકા શા માટે આવતાં હશે એમ કહીને લેાકેા ઘણીવાર નિસાસા નાંખે છે. પરંતુ સંકટ આવવા તે પણ ઘણીવાર લાભદાયક બને છે. જ્યારે શેઠના પુત્ર યુવાનીના નશામાં મસ્ત હતા ત્યારે મુનીમની હિતશિખામણ માની નહિ, પણ જ્યારે માથે દુઃખ આવ્યું ત્યારે તે મુનીમની વાત સાંભળવા ઉત્સાહી બન્યા. શેઠના પુત્ર રડતા રડતા મુનીમને કહેવા લાગ્યા કે મેં આપનુ કહેવુ માન્યું નહિ એટલે મારી આ અવદશા થઇ છે. મારી પાસે જે કઈં હતુ તે ખધુ મેં ગુમાવી નાંખ્યુ છે. અને અત્યારે ભિખારીની અવસ્થામાં ભીખ માટે ઘેર ઘેર ભટકું છું. મુનીમે તેને આશ્વાસન આપીને !હ્યું કે તું ગભરાઇશ નહિ. તારી બહારની બધી વસ્તુઓ ચાલી ગઇ છે પણ હજી તારા ઘરમાં દાટેલુ શુ ખાકી છે તે તું જાણત નથી. એ મને ખબર છે. પણ તું મારા કહ્યા પ્રમાણે રહીશ ને ? શેઠના પુત્રે કહ્યુ કે આટલી ખરાબ સ્થિતિએ પહોંચ્યા પછી પણ જો આપની હિતશિખામણુ ન માનું તે મારા જેવા હતભાગી ખીજો કાણુ હાય? હું આપના કહેવા પ્રમાણે જરૂર ચાલીશ અને આપ જે કહેશે। તે પ્રમાણે વર્તીશ. મુનીમ કહે જો તુ મારા કહેવા પ્રમાણે ચાલીશ તા તે આજે પશુ શ્રીમત છે. મુનીમે શેઠના પુત્રને થાડા ક્રિક પેાતાને ઘેર રાખ્યું. જયારે મુનીમને પાકા વિશ્વાસ બેઠા કે હવે આ પુત્ર મારૂં કહેવું માનશે અને કુસંગ નહિ કરે ત્યારે તેણે પેાતાની મુડીથી શેઠનુ ઘર ગીરવીમાંથી છોડાવ્યું. અને તે ઘરમાં ટાયેલા રત્ના કાઢી શેઠના પુત્રને આપ્યા. અને તેને પિતાની જે પૂર્વી સ્થિતિ હતી એટલે કે શ્રીમત હતા તે સ્થિતિએ પહાંચાડયા. આ પ્રમાણે મુનીમે શેઠના પુત્રને સારા માર્ગે ચઢાવ્યેા તે તે મુનીમના ઉપકાર માને કે નહિ? જરૂર માને. આ તે દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંતની પાછળ રહેલેા હેતુ તપાસે અને આ દૃષ્ટાંતને તમારા જીવનમાં ઉતારે. જે પ્રમાણે તે છોકરી એક કરોડપતિના પુત્ર હતા તે પ્રમાણે આપણે પણ ભગવાનના પુત્રા છીએ. પરંતુ જેમ તે ખરાબ માણસેાની સંગતિમાં પડી જઇ આખરે દુઃખી બન્યા તેમ આપણે પણ કર્મની સંગતિમાં પડી જઇ દુઃખ અનુભવી રહ્યા છીએ. ભગવાનના પુત્રાએ ખરાબ સંગતિમાં ન પડવું જોઇએ. પણ ભગવાનની શિક્ષાનુસાર શાશ્વત સુખને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં સંલગ્ન રહેવુ જોઇએ. અને સાચા સદ્ગુરૂ રૂપી મુનીમનુ કહેવુ માનવુ જોઇએ. પરંતુ આ આત્મા કામ, ઢેધ, લેાભ, રાગ-દ્વેષ આદિ દુષ્ટની સગતિમાં પડી જઈ સાચા સદ્ગુરૂ રૂપી મુનીમનું કહેવુ' માનતા નથી. જેમ શેઠના પુત્રે મુનીમની હિશખામણુ માની નહિ એટલે મુનીમ તેના ઘરમાંથી નીકળી ગયા. પણ ખળજબરી જરા પણ કરી ન શકયા. તેમ ગુરૂ પણ કેાઈના ઉપર બળજબરી કરતા નથી. જ્યારે તેમનુ કહેવું કેાઈ માનતા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy