SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૪૧ તેટલો મને પણ વહાલે છે. આપણે ભગવાનના મેળે મૂક્યું છે તે પ્રભુ જરૂર એને બચાવશે. પત્નીએ જવાની રજા આપી. દેવાનુપ્રિ ! માની લે કે આમાંથી તમે કઈ ડોકટર છે અને આવી પરિસ્થિતિ સર્જાય તે તમે તમારા દીકરાની પાસે બેસે કે બીજા પેશન્ટને બચાવવા જાવ? (હસાહસ) આજે પરમાર્થવૃત્તિ નથી. પહેલાં પિતાનું કરીને પછી બીજાનું કરે છે. પિલા વૈદબાપા લાલીયા ધાને ત્યાં ગયા. પિતાના દીકરાની જેવી પરિસ્થિતિ છે તેવી એની પરિસ્થિતિ છે. દયાશંકર વૈદે પ્રભુના નામનું સ્મરણું કરી પેલા છોકરાની ટ્રીટમેન્ટ શરૂ કરી, પોતાના પુત્રને જેવી દવા આપી હતી તેવી કિંમતી દવા આપી. દૂધારાના દીકરામાં દયાશંકર વૈદ પોતાના દીકરાને જોઈ રહ્યા હતા. ખરા ખંતથી દવા આપી. કલાક થયે ને છેક સહેજ આંખ ખોલે છે. બીજે કલાક પૂરે થતાં આંખ ખેલીને છોકરો કહે છે “બાપા”! એટલું છે. એટલે વૈદ કહે છે, ભાઈ! હવે જાઉં છું. હવે કંઈ વાંધો નહિ આવે. કેમ રહે છે તે સમાચાર સવારે મને આપી જજે. પિતાને આટે સફળ થયે. દૂધારાના દીકરાને શાંતિ થઈ પણ મારા દીકરાને કેમ હશે? એ વિચારમાં ઝડપભેર વૈદ પિતાની વાત્સલ્યકૂટીરના દ્વારે પહોંચી ગયા. બારણું ખખડાવવા જાય તે પહેલાં અંદથી અવાજ સંભળાય. નેહલ તેની માતાને કહેતે હતું કે બા. મારા પિતાજી આ મધ્યરાત્રિના સમયે જ્યાં ગયા છે? હજુ કેમ નથી આવ્યા? આ અવાજ સાંભળતાં વૈદનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. પિતે કૂટીરમાં જઈને પુત્રને ભેટી પડ્યા. ને પત્નીને કહ્યું. જોયું? આ પરમાર્થને બદલે પ્રત્યક્ષ મળે. એને દીકરો બચાવે તે આપણે બચી ગયે. જે કામ આપણું દવાએ નથી કર્યું તે કામ લાલીયા દૂધારાની દુવાએ કર્યું. ત્રણેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દૂધારાના દીકરાને વધુ આરામ થવા લાગે. વૈદબાપાની પરમાર્થવૃત્તિ જોઈ દૂધારાના દિલમાં પણ અનેરો આનંદ થયો. તેને થયું કે મારે દીકરે તે સાજો થયે પણ એમના દીકરાનું શું થયું હશે? ખબર કાઢતો આવું ને ફીના પૈસા આપતે આવું. દૂધારે વૈદને ત્યાં આવીને કહે છે, બાપા! આપની દવાથી મારા દીકરાને ઘણો ફાયદો છે. આપના દીકરાને કેમ છે? ભાઈ! તારા દીકરાને સારું થયું તેમ મારા દીકરાને પણ સારું છે. હવે કઈ ચિંતાનું કારણ નથી. લાલી દૂધારે ફીના પૈસા આપે છે ત્યારે વૈદ્ય કહે છે તારા અંતરની દુવા એ મારા દીકરાની દવા છે. મારો દીકરો બચી ગયે એટલે ફીના પૈસા મળી ગયા. વૈદરાજે પૈસા લીધા નહિ. - બંધુઓ જેનો આત્મા નંદનવન અને કામધેનુ જે હોય છે, તેનું જીવન આ દયાશંકર વૈદ જેવું હોય છે. પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે. જેમ ગુલાબનું ફૂલ કાંટાની વચમાં વસે છે. તેના છોડને કાંટા હોય છે. છતાં કાંટામાં રહીને પણ ગુલાબનું
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy