SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૩૯ જીવાડી શકતા નથી કે મારી શકતા નથી. તે તે પિતાના આયુષ્ય પ્રમાણે જીવે છે. આયુષ્ય પૂર્ણ થયે ગમે તેટલા ઉપચાર કરવામાં આવે તે પણ જીવી શકતું નથી. પરંતુ આ તે તેઓ તેમની માન્યતા પ્રમાણે પ્રભુને કહી રહ્યા છે. તેઓ માને છે કે પ્રભુ અમારી વહારે આવશે તેથી આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. રાતના બાર વાગે વાત્સલ્ય કૂટીરને દરવાજો ખખડા - આ બંને માણસો પ્રભુને પ્રાર્થના કરતા હતા. બરાબર શત્રિના બાર વાગ્યા હતા. તે સમયે કેઈએ વાત્સલ્યકૂટીરને દરવાજો ખખડાવ્યું. વૈદે વિચાર કર્યો કે આ મોડી રાત્રે કેણ દરવાજે ખખડાવતું હશે? વૈદ ખૂબ કર્તવ્યપરાયણ હતું એટલે તેમની ખ્યાતિ ગામમાં ખૂબ ફેલાયેલી હતી. તેમના દીકરાની ખબર કાઢવા પણ લેકે ખૂબ આવતા. આ દિવસે પણ મોડા સુધી માણસો બેઠા હતા. તેઓ પણ બેલતા હતા કે હજારના દર્દીને મટાડનારને ઘેર પણ દુઃખ આવી પડયું. પ્રભુ! આ વૈદરાજના દીકરાને જલ્દી સાજો કરજો. બધા લેકે વિખરાઈ ગયા પછી આ દંપતિ પ્રાર્થના કરતાં હતાં. ત્યાં દ્વાર ખખડયું કે તરત વૈદરાજ ઉભા થયાં ને બારણું ખોલ્યું. તે એક માણસને જે ને પૂછ્યું કે ભાઈ! તું કોણ છે? ને અત્યારે શા માટે આવ્યા છે? તે કહે છે બાપુ! હું લાલીયા દુધારો છું. મારો એકને એક દીકરે તાવથી તરફડે છે. ઘણી દવા કરી પણ તાવ ઉતરતો નથી. દીકરે બેભાન થઈને પડયાં છે. જેમ તેમ બકે છે ને કપડા ખેંચે છે. તેને મૂંઝારો થયે છે. (હાલમાં જેને ન્યુમેનીયા કહે છે.) મૂંઝારે ક્યારે થાય? જયારે વાયુ-પિત્ત અને કફ બધું સરખું થઈ જાય છે ત્યારે મૂંઝારે થાય છે. આ તો દ્રવ્ય મૂંઝારો છે. પણ જયારે મનુષ્યને અર્થ -કામ, અને મેહને ભાવ મૂંઝારો થાય છે ત્યારે તેને કોઈ જાતનું ભાન રહેતું નથી. આ ભાવ ન્યુમેનિયા લાગુ પડતા સત્યાસત્યને વિવેક માનવીના જીવનમાંથી વિદાય થઈ જાય છે. પિતાના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. ને ધર્મને નેવે મૂકી ધન માટે કેટલી દડદડ કરે છે ! अहो य राओ य परितप्पमाणे कालाकाल समुट्ठाइ, संजोगट्ठी, अठ्ठालोभी, आलंपे लोलुपे सहसाकारे, विणिविचित्ते, एत्थ सत्थे पुणो पुणो । આચારંગ સૂત્ર સ્વજને અને ધનાદિમાં આસક્ત પુરૂષ પોતાને માટે તથા સ્વજનો માટે ધન કમાવા અને તેનું રક્ષણ કરવા રાત દિવસ ચિંતા કરે છે. કાળ- અકાળને પણ તે નથી. ધન અને કુટુંબમાં લુબ્ધ બનીને ધનને લાલચુ માણસ વિષયમાં એકાગ્ર બનીને કર્તવ્યાકર્તવ્યને વિચાર કરતો નથી. નિર્ભયપણે લૂંટ ચલાવી ભેળા જનેને લુટે છે. પૃથ્વીકાય આદિ ની હિંસા કરે છે. આવી રીતે પિતાનું અમૂલ્ય જીવન પાપની પ્રવૃત્તિમાં વેડફી નાંખી માનવભવને ગુમાવે છે. જ્યાં પરિગ્રહની આસકિત વધે છે ત્યાં પ્રેમ, પ્રમેહ, મત્રી આદિ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy