SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર એ એવું ભયંકર ઝેર છે કે એ આ જીવને અજ્ઞાન અને મેહમાં બેશુદ્ધ બનાવી અનંતકાળ સુધી સંસારચક્રમાં ભમાવે છે. ભેગમાં જે ભમે છે તેના જન્મ મરણ વધે છે. જ્યાં કર્મ છે, ત્યાં જન્મ છે. જન્મ છે ત્યાં જરા, રંગ, મરણું બધું છે. માટે ભેગની ગુલામી છેડે. સદ્દગુરૂના વચનામૃતની એક પડીકી લઈ તેમની આજ્ઞાનું બરાબર પાલન કરશે તે આ જન્મ-જરા - મરણના રે નાબૂદ થઈ જશે. જ્યાં ભેગ છે ત્યાં રેગ છે. સરીર સfજં” આ શરીર અનિત્ય છે. અશુચીમય છે. અશુચીમાંથી ઉત્પન્ન થયેલું છે અને દુઃખ અને કલેશનું ભાજન છે. એમાં મોહ પામવા જેવું નથી. આવા સુખો જીવે અનંતીવાર ભેગવ્યા પણ ભોગની ભૂખ મટી નહિ. નાના બાળકને લાકડાનું ચૂસણયું આપવામાં આવે છે. બાળક એને મોઢામાં નાંખીને ચૂસ્યા કરે છે. એ આખે દિવસ ચૂસણીયું ચૂસ્યા કરે તે તેની ભૂખ મટે ખરી? ના. માતા એને છોડાવવા જાય તે પણ છેડતું નથી. તેમ તમને પણ સદ્દગુરૂઓ ભેગ વિષયનું ચૂસણીયું છોડાવવા પડકાર કરે છે. પણ મેહમાં પડેલા જીવેને છોડવું ગમતું નથી. તત્ત્વદષ્ટિ ખુલે તે આ ચૂસણીયું છૂટે. રાજકુમારે સદગુરૂને સાચે સમાગમ કર્યો હતે. એટલે વેશ્યાના મોહમાં પડે નહિ. પણ સમય જોઈને સુંદર ઉપદેશ આપે. જ્યારે વેશ્યા યુવાનીની મસ્તીમાં મસ્ત બનેલ હતી ત્યારે આવે ઉપદેશ આપ્યો હતો તે તેને સમજાત નહિ. એના પાપને ઉદય થય ને સર્વસ્વ ચાલ્યું ગયું. આવી દુર્દશા થઈ અને કઈ એની ખબર લેનાર ન રહ્યું ત્યારે તે કુમાર મળે ને સત્ય વાત સમજાવી તો તેનું જીવન સુધરી ગયું. વેશ્યા સાચી શ્રાવિકા બની ગઈ. એને ચારિત્રના મૂલ્ય સમજાયા અને આ શરીર, સંપત્તિ અને સ્વજને બધા સ્વાર્થના સગાં છે. એવું ભેદજ્ઞાન થતાં સંસારની અસારતાનું ભાન થયું છે તેનું જીવન સુધરી ગયું. બંધુઓ ! રાજકુમારને સદ્ગરને સમાગમ થતાં પિતાનું જીવન સુધાર્યું. અને વેશ્યાને પણ સુધારી. સજનના સંગે જનાર પાપીમાં પાપી પણ પુનિત બની જાય છે. માટે સંગ કરે તે સંતને કરો, બાકી તે બધે સંગ છેડવા જેવો છે. - આજે તમને ખબર છે ને કયો પવિત્ર દિવસ છે? શરદ પૂણી માને પવિત્ર દિવસ ને આયંબીલની ઓળીને છેલ્લો દિવસ. આ દિવસ આપણને તપની સાધના બતાવે છે. જેમ ઉનાળાના દિવસમાં કોઈ માણસ જંગલમાં ભૂલે પડ. પાણી વિના તેને કંઠે સૂકાઈ જાય છે. આંખે અંધારા આવે છે. તે સમયે તે માણસ પાણીની શોધ કરતાં કરતે જે દિશામાં પાણીનું સરોવર છે તે દિશા તરફ ચાલે છે. તે તે હજુ સરેવર પાસે પહોંચે પણ નથી તે પહેલાં તેની અડધી તૃષા શાંત થઈ જાય છે. તેનું કારણ સરોવરને સ્પેશીને શીતળ પવન આવે છે. તે પવન દ્વારા માનવીને શીતળતા મળે છે. તમારા બંગલાની બારીઓ દરિયા તરફ હોય તે ઠંડે પવન આવે છે ને? તેમ સંત-સરિતાને સ્પશીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy