SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૬૭૧ - એક ગામમાં એક કંજુસ શેઠ રહેતો હતો. તે એ કંજુસ કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એ મમ્મીચૂસ હતે. તે લેકોને ઘેર જઈને જમી આવવામાં હોંશિયાર હતે પણ કેઈને જમાડતું ન હતું. કેઈને ત્યાં જમણવાર હોય ત્યાં શેઠનો નંબર પહેલો હોય. મેટી પલાંઠી વાળીને જમવા બેસી જતે અને એ જમવા બેસે ને પીરસનાર જલ્દી ન પીરસે તે એના પર કેધને પાર આસમાને ચઢી જતું. પીરસનારને કહે કે જલેબી લાવ! ભજીયા લાવ! ભાત લાવ! ખૂબ પાવર કરે. પણ બધા કંઈ એને પાવર સહન કરે? એક વખત એક યુવાન બોલી ઉઠે કે બેસે. જેમ પીરસાતું જશે તેમ વારાફરતી પીરસાશે. તમને કંઈ પહેલું પીરસવાનું નથી. આટલે બધો પાવર શા ઉપર કરે છો? કઈ દિવસ તમે કેઈને જમાડયા છે? એક ચાનું પાણી પણ પીવડાવતા નથી ને બીજાને ઘેર જમવામાં પહેલો નંબર! (હસાહસ) પેલા પીરસનારના શબ્દ સાંભળીને શેઠ તો ચૂપ થઈ ગયા. મનમાં વિચાર કર્યો કે હવે એક વખત બધાને જમાડી દઉં તે મહેણાં મારતાં બંધ થાય. મહેણ ઉપર પેણે ચઢાવવાનું મન થયું પણ જમાડવા કેવી રીતે? જમણવાર કરે તે પૈસા વપરાઈ જાય ને! શેઠ આમ વિચાર કરતા હતાં. ત્યાં એક દિવસ પરેઢિયે ચાર વાગે શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નામાં શેઠે સાત એારડા સુખડીથી ભરેલા જોયા. એટલે એના મનમાં જમણવાર કરવાની રમણતા હતી તેથી વિચાર કર્યો કે જમણવાર કરવાની આ સુંદરમાં સુંદર તક છે. એટલે શેઠની બાજુમાં એક નેકર સૂતેલે. તેને ઉંઘમાં ને ઉંઘમાં જગાડ ને કહ્યું કે જા, આ નગરમાં મારા તરફથી સહકુટુંબને જમવા આવવાનું આમંત્રણ આપી આવ. આ સાંભળી નેકર ઘડીભર આશ્ચર્યમાં ડૂબી ગયે. અહ! આ શેઠ તે કોઈને પાણી પણ પાતા નથી. ને આખા ગામને જમાડશે કેવી રીતે? આ સાચું છે કે સ્વપ્ન શેઠને ફરીને પૂછયું ત્યારે કહે છે હા હા. મારા તસ્કેથી જમણવાર છે. આજે બપોરે જમવાનું નેતરું આપી આવ. એટલે નેકર તે ઉપડયે. ગામમાં થાળી ફેરવી. થાળી વાગી અને જનતા ચમકીઃ- સવાર પડતાં શેઠ જાગ્યા એટલે નોકર કહે છે હવે રસોઈ બનાવવાની તૈયારી કરે. શેઠ કહે છે શેઠાણી રસોઈ તે બનાવે છે. હવે તારે કઈ રસોઈ બનાવડાવવી છે? (હસાહસ). ત્યારે નેકર કહે છે કેમ? તમે મને નેતરું દેવા તે મેક હતઃ શેઠ કહે છે મેં ક્યારે નેતરું આપવાનું કહ્યું હતું? નોકર કહે તમે મને ચાર વાગે જગાડીને કહ્યું હતું. મેં બે વાર પૂછયું ને તમે હા પાડી. એટલે આખા ગામમાં નોતરું આપી આવ્યું છું. હમણાં અગિયાર વાગશે ને લોકો જમવા આવીને બેસી જશે. ત્યારે શું પીરસશે? ત્યારે શેઠને યાદ આવ્યું કે મેં સ્વપ્નામાં સાત ઓરડા સુખડીથી ભરેલા જોયા હતા એટલે કદાચ કહ્યું હશે. ખેર. જે થયું તે ખરું. મારે ગભરાવાની જરૂર નથી. કેઈ યુકિત શોધીને લોકોને ઘર ભેગા કરી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy