SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ડે ખાટલામાં પડયા પડયે બળખા કાઢે છે. લીંટ લપકા કાર્યને ઘર બગાડે છે. હવે જાય તે સારું! આ શબ્દો જ્યારે સાંભળે છે ત્યારે તેના દિલમાં થાય છે કે અરેરા મેં આ દીકરાઓને મારા માનીને તેમના માટે કેટલી મહેનત-મજૂરી કરી, કેટલા દુઃખ વેડ્યા! છતાં અત્યારે મારી સેવા કરતા નથી કે મને પાણીને પ્યાલે પણ પીવડાવતા નથી. એમ કહીને તે વૃદ્ધ તેના કુટુંબીજનેની નિંદા કરવા લાગે છે. વૃદ્ધાવસ્થા એવી છે કે જે પુત્ર-પત્ની આદિ પિતાની આજ્ઞામાં રહેતાં હતા તે વૃદ્ધાવસ્થા આવતાં તેમની અવગણના કરે છે ને તેનું કહ્યું કરતા નથી. એક લેકમાં પણ વૃદ્ધાવસ્થાનું સુંદર વર્ણન કર્યું છે. गात्रं संकुचित गतिविग दन्ताश्च नाशं गताः । દષ્ટિ ઔરત પર હુતિ વત્ર ૪ રાજયક્તિ છે . वाक्यं नैव करोति, बान्धवजनः पत्नी न शश्रषते। धिक्कष्टं जरया भिभूत, पुरुष पुत्रोच्यवज्ञायते ॥ વૃદ્ધાવસ્થા આવતા શરીરે કરચલીઓ પડી જાય છે. પગ ધ્રુજે છે. દાંત પડી જાય છે. આંખે દેખાતું ઓછું થઈ જાય છે. રૂપ ઝાંખુ પડી જાય છે. મુખમાંથી લાળ ઝરે છે. પરિવાર આજ્ઞા માનતો નથી. પ્યારી પત્ની પણ સેવા કરતી નથી. પુત્રે વાત સાંભળતા નથી. અહાહા...વૃદ્ધાવસ્થા કેવી કષ્ટમય છે ! વૃદ્ધાવસ્થા આવતાં કેવું કષ્ટમય જીવન બને છે ! છતાં પણ જીવ તૃષ્ણાને ત્યાગ કરતો નથી. શંકરાચાર્યું પણ કહ્યું છે કે - . अंड गलितं. पलितं मुण्ड, दशन विहीनं जातं तुण्डम । वृध्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्च थाशापिण्डम् ॥ . શરીરના ગાત્રે શીથીલ થઇ જાય છે. કાળા વાળ ધોળા થઈ જાય છે ને મેટું રાંદલમાના ગોખલા જેવું બેખું થઈ જાય છે. વૃદ્ધાવસ્થા આવતાં ચાલવાની શકિત ક્ષીણ થતાં લાકડીને સહારે લેવો પડે છે. છતાં મનુષ્ય તૃષ્ણને ત્યાગ કરતો નથી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે રાગભાવમાં પડીને કુટુંબીઓ પર મમત્વ જમાવીને તેમને માટે પાપકર્મ કરે જાય છે. પણ તે કુટુંબીજને રક્ષણ કરવા સમર્થ બની શકતા નથી. તે રીતે એ વૃદ્ધ મનુષ્ય પણ તેમનું રક્ષણ કરવામાં સમર્થ - બની શક્તો નથી. એ જ જીવની અનાથતા છે, શરીરમાં રોગ ઉત્પન્ન થાય. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આવે ત્યારે કુટુંબીજનો તેને બચાવવા માટે કે શરણ દેવામાં સમર્થ નથી. પોતે કરેલા શુભાશુભ કર્મો જીવને ભેગવવાના રહે છે. જન્મ-જરા અને મરણના દુખથી બચાવવા માટે કેવળી પ્રરૂપિત ધર્મ સિવાય કોઈ પણ શરણભૂત નથી. માટે જ્ઞાની કહે છે : કે બધાને મેહ છેડીને ધર્મારાધના કરવા તત્પર બને. મારું મારું કરીને મરી રહ્યા છે. હવે કઈક તે મમતા ઓછી કરે. કેઈ તી પાઈ પણ સાથે પરખાવવાનું નથી. "
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy