SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ શારદા સાગર નમશે. સંસારમાં જે સુખ દેખાય છે તે અહીં રહી જવાનુ છે. એક આત્મા પાતાના છે. આત્મા સિવાયના બધા પઢા પર છે. ભલા-પૂરા કર્યાં આત્માની સાથે આવવાના છે. કર્મોને બાળવા માટે તપની જરૂર છે. તમે જાણેા છે, કે મહાન તપની આરાધના એવી આયખીલની ઓળી ચાલી રહી છે. આજે તેના ખીન્ને દિવસ છે. ખરેખર, તપ શા માટે છે? તે સમજાય તે તમને આરાધના કરવાનું મન થશે. જેમ ખેતરમાં ખેડૂતને વાડ નાંખતા તેા તમે જોયા છે ને! વાડ શા માટે? પશુપ`ખી અનાજને વેડફી ન નાંખે તે માટે ને? તે પ્રમાણે આત્માના રક્ષણુ માટે વાડની જરૂર છે. દશવૈકાલિક સૂત્રના પ્રહેલા અધ્યયનની પ્રથમ ગાથામાં અહિંસાને પાળવા માટે સયમરૂપી વાડની જરૂર બતાવી છે. સંયમ વિના અહિંસા પાળી શકાતી નથી. એટલે પહેલા અહિંસા મૂકી પછી સંયમ મૂકયા ને પછી તપ મૂકયા. એટલે ખીજી રીતે કહીએ તે। તપરૂપી તિજોરીના સંયમરૂપી ગુપ્તખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. ભીંતને ચમકતી કરવા માટે જેમ પોલિસની જરૂર છે તે પ્રમાણે આત્માની સમૃદ્ધિ માટે તપરૂપી પૉલિશની જરૂર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ખારાકની જરૂર છે તેમ આત્માને સારા રાખવા માટે તપરૂપી પથ્યની જરૂર છે. કપડાંને સ્વચ્છ કરવા માટે ધાકા મરાય છે તે રીતે આત્મારૂપી કપડાંમાં મેલ ભશવેા હાય તે તપરૂપી ધાકા મારવાની જરૂર છે. નવપદ્મમાં તપનું સ્થાન છેલ્લુ આપવામાં આવ્યું છે છતાં તેની કિંમત વધારે છે. કેવી રીતે ? જેમ લગ્નમાં ચેાથા ફેરાની કિંમત વધારે હાય છે, આગગાડીમાં ગાર્ડના ડબ્બાનું મહત્ત્વ છે. કારણ કે તેના આધારે ગાડી ચાલે છે. ચિતારા ચિત્રમાં છેલ્લી ઓર્ડર મારે છે તેનાથી ચિત્રની શેટલા વધે છે તે રીતે નવપદ્યમાં છેલ્લા પદ્મ તપની કિંમત વધારે છે. મકાન ગમે તેવા પૃથ્થરનુ` માંધેલુ હોય પણ તેમાં પાલિશ વિના રંગ ચઢતા નથી તેમ આત્મામાં તપ રૂપી પૉલિશ વિના જ્ઞાન-ચાસ્ત્રિને રંગ ચઢતા નથી. શરીરમાં કળતર ખૂબ થતુ હાય તે શેકની જરૂર છે તેમ આત્મા કર્મ દ્વારા ખૂબ દુઃખાતા હોય તે તપ રૂપી શેની જરૂર છે. બંધુએ ! અનંતકાળથી જીવને સહુથી જૂનામાં જૂની કુટેવ હોય કે મહા ચેપી રાગ હાય તા તે ખાવાના છે. કારણ કે એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિયના ભવમાં સહુથી પહેલાં જીવ આહાર કરે છે. કોઇ એવું સ્થાન નથી કે જ્યાં જીવે આહાર ન કર્યાં હાય. તેથી અણાહારી બનવા માટે ખાર પ્રકારના તપમાં પહેલા અનશન તપ ખતાન્યા છે. મનુષ્યભવ રૂપી આંખ મળ્યા પછી, જૈન ધર્મ રૂપી રત્ન અજવાળું નહિ હાય તા તે જૈન-ધર્મની આરાધના નહિ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનદ્વારા તપને પરિણમવાનું છે. તપની તાકાત ઘણી અજબગજબની છે. મળ્યા પછી પણ તપરૂપી થઈ શકે. તપ એ સાક્ષાત્
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy