SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા સાગર હાય છે. કારણ કે સ્થાનને લીધે વસ્તુનુ મહત્ત્વ વધી જાય છે. આ અપેક્ષાથી તીર્થંકરનુ વસ્ત્રાભૂષણ યુકત શરીર મહાન છે. સાતમા અપેક્ષાથી મહાન છે. જેમ કે સરસવથી ચણાના દાણેા મહાન છે ને ચણાથી ખેાર મહાન છે. આઠમા ભાવથી મહાન છે. પ્રધાનતાની અપેક્ષા એ ક્ષાયિક ભાવ મહાન છે અને આશ્રયની અપેક્ષાએ પાણ્ણિામિક ભાવ મહાન છે. કારણ કે જીવ અને અજીવ અને પાણ્ણિામિક ભાવના આશ્રયે રહે છે. પારિણામિક ભાવમાં સિદ્ધ અને સંસારી અને પ્રકારના જીવે આવી જાય છે. આ રીતે મહાન શબ્દના અર્થ થયા. હવે નિગ્રંથ શબ્દનો શું અર્થ છે તે પછી વિચારીશું. તે પહેલાં એક ગાથા લઈએ. सिध्धाणं नमो किच्चा, संजयाणं च भावओ । अत्थ धम्म गइ तच्चं, अणुर्सा सुणेह मे ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા-૧ સ્થવિર ભગવાન પાતાના શિષ્ય સમુદાયને કહે છે સિદ્ધ ભગવ ંતે અને સયતાને ભાવથી નમસ્કાર કરીને અર્થ, ધર્મની તથ્ય ગતિને મારી પાસેથી સાંભળે. અહીંયા સિદ્ધ શબ્દથી અરિહંતને પણ ગ્રહણ કર્યા છે કારણ કે અરિહંત ભગવાન નિશ્ચયથી સિદ્ધગતિને પામવાના છે. એટલે સિદ્ધ શબ્દમાં અરિહંત અને સિદ્ધ નેનુ ગ્રહણ કર્યું છે અને સયત શબ્દથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગ્રહણ કર્યાં છે. એટલા માટે પ'ચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને અહીંયા પ્રતિપાદ્ય વિષય અથ, ધર્મની ગતિનુ યથાર્થ રૂપથી નિરૂપણ કર્યું છે. આ અધ્યયનમાં જૈન દર્શન જેને શ્રેણીક રાજાના નામથી ઓળખે છે ને અન્ય લેાકા સમ્રાટ ખિખિંસારના નામથી ઓળખે છે. એવા શ્રેણીક મહારાજા અને અનાથી નિગ્રંથ એ અને મહાપુરૂષાનું સુભગ મિલન થયું છે. એ મલન કેવું મધુરુ છે તે તે સાંભળશે ત્યારે તમને મજા આવશે. જ્યારે મનુષ્ય પાત્ર બને છે ત્યારે તેની જિજ્ઞાસા અનુસાર તેને ચાગ્ય સદ્ગુરૂ મળી રહે છે. સતની કૃપાથી વ્યક્તિ જે મેળવવા ચાહે તે મળી જાય છે. તેમાં પણ પાત્રતા વિકસી હૈાય તે નિમિત્ત અને ઉપાદાનની સધી થતા ઉપાદાન પેાતાનુ કાર્ય સાધી લે છે. પણ જો આત્માની પાત્રતા પ્રગટી ન હાય, સાચા મેાતી મેળવવાની તાલાવેલી લાગી ન હેાય ત્યારે મેતીને ખલે શખલા અને છીપલા મેળવવાના પ્રયત્ન જીવ કરે છે. સદ્ગુરૂ મળે ને તેમની અપૂર્વ વાણી સાંભળવા મળે છતાં કંઇક જીવા પામી ન શકે કારણ કે તે આત્મને પેાતાની પીછાણુ કરવાની અંતરમાં તાલાવેલી લાગી નથી. તે આત્મા જ્ઞાનીને કહેવાના આશય ન સમજી શકે. તેમના વચનનું ચિંતન-મનન ન કરે તે સાંભળ્યું ન સાંભળ્યું સમાન છે. આવી અપૂ વાણી સાંભળવા મળે પણ જો શ્રેાતાના કાન સુધી પહેાંચે પણ અંતરમાં અનુભૂતિ ન થાય. સમજવાના પુરૂષાથ ન કરે, અંતરમાં ન ઉતારે તે તેનાથી શું લાભ થવાના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy