SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શીરદા સાગર વધારનાર છે પણ ઘટાડનાર નથી. ( સંસાર એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. તેમાં સૈથી ભયંકર હોય તે તે મિથ્યાત્વ છે. કર્મબંધના પાંચ કારણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ છે. તેમાં મિથ્યાત્વનું સ્થાન મેખરે છે. ને મુખ્ય છે. જેમ ૧૨૩૪૫ આ આંકડાઓમાં પ્રથમને એકડો મુખ્ય છે. પાંચ આંકડાઓમાં તે દેખાય છે સૈથી નાને પણ તેની સત્તા અધિક છે. તે એકલે દશ હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. જે તેને ભૂંસાડી નાંખવામાં આવે તે “૧૨૩૪૫” એ સંખ્યામાં દશ હજારને ઘટાડો થાય છે. એટલે માત્ર ૨૩૪૫ રહે છે. બીજે નંબરે બગડે છે તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભૂસાડી નાંખતા ૩૪૫ રહે છે. ત્રીજો આંકડો ત્રણસેના સ્થાને છે. તેને ભૂંસાડતા માત્ર ૪૫ રહે છે. ચેથા આંકડાને ભૂંસાડતા માત્ર પાંચ રહે છે. એટલે કે આગળ આગળના એકેક આંકને ભૂંસાડતા સંખ્યામાં મેટે ઘટાડો થાય છે. તેવી રીતે એકડાના સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાના સ્થાને કષાય અને પાંચડાના સ્થાને વેગ છે. આ પાંચે આશ્રવના દ્વાર ખુલ્લા હોય તે આત્માના કેડારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણઓની આવક છે. એમ કલ્પના કરીએ તે તેમાંથી એકડારૂપ મિથ્યાત્વને કાઢી નાખતા દશ હજાર જેટલી આવક ઘટી જાય. બગડારૂપ અવિરતિના દ્વાર બંધ કરતાં ૧૨૩૪૫માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડારૂપ પ્રમાદને રોકતાં ૧૨૩૦૦ની આવક ઘટી. ચેગડારૂપ કષાયને રોક્તા માત્ર પાંચની આવક રહી. બાર હજાર ન ચાલીસની આવક બંધ થઈ ગઈ. પાંચડારૂપ યેગને પણ રોકવામાં આવે તે કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તે એકેક સમયે કર્મની અનંત વર્ગણએ કર્ણાશયમાં પ્રવેશ કરે છે. પણ મિથ્યાત્વ, અવિરતિ વગેરે દ્વારનું પરસ્પર તારતમ્ય સમજાવવાને ૧૨૩૪૫ એ સંખ્યા એક દષ્ટાંત તરીકે અહીં કફપી છે. આ જીવને- ભવભ્રમણ કરાવનાર કે સંસાર સમુદ્રમાં ગોથા ખવરાવનાર તરીકે જે કેઈએ વધારે ભાગ ભજવ્યો હોય તે તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકશાની મિથ્યાત્વે કરી છે અને વર્તમાનમાં પણ કમની આવક વધારી આત્માને દુર્ગતિના ઊંડા કૂવામાં નાખનાર પણ તે છે. તેથી કર્મબંધના પાંચ કારણોમાં તેને નબર પ્રથમ રાખવામાં આવ્યું છે. આ મિથ્યાત્વ માંદુ પડે તે સંસારનો ઉચ્છેદ કરવાનું મન થાય. શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી પાપકર્મને નાશ થાય ને તેનાથી સંસારને ઉશ્કેદ થાય. મિથ્યાત્વને દૂર કરવા માટે આપણે ચાર શરણ ગ્રહણ કરવા. અનંત શક્તિના ધારક એવા આપણા બધા ભગવતેને સંસારની જડ ઉખેડવાનું મન થયું. પણ ફક્ત મન કરવાથી ઉખડે ખરે? તે મહાપુરુષોએ તે માટે કે પુરુષાર્થ કર્યો? તે રીતે આપણે પણ એવો પુરુષાર્થ કરવાને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy