SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર કિંમત નથી ગુણુની કિંમત છે. કારણ કે રૂપ એ પુણ્યની બક્ષિસ છે જ્યારે ગુણ એ પરમ પુણ્યની અક્ષિસ છે. રૂપ ક્ષણિક છે તે માનવીને અભિમાની અનાવે છે. પણ ગુણુ અભિમાની નહિ બનાવે. ગુણમાં એવી શક્તિ છે કે માનવીના હજારા અવગુણ્ણાને ઢાંકી દે છે. નમ્ર ખનતાં શીખવે છે. સહન કરતાં પણ શીખવે છે. હારા સારી વાત હોય પણુ એક જ અવગુણુ હાય તે તે સને ઢાંકી દે છે. માટે અવગુણુને દૂર કરી ગુણ પ્રગટાવવા જોઇએ તમે વિચાર કરશે! તે સમજાશે કે પાસે અઢળક સપત્તિ છે તેથી લાકે ખમ્ભાખમ્મા કરે છે. તેથી કાઈની જરૂરત લાગતી નથી પણ કોઈ ગમે તેટલી વાહવાહ કરે તેથી તમારું જીવન ઉજ્જવળ બની જવાનુ છે ? જીવનની સાર્થકતા થઈ ગઈ ? આમ જે લક્ષ્મીથી સાર્થકતા થતી હાય તેા દુનિયામાં ગુણુની મહત્તા શુ રહે ? પછી મહાવીર પ્રભુ, બુદ્ધ, ગાંધીજીને લેાકેા શા માટે પૂજે છે? તેમનામાં રહેલા સસ્કાર રૂપી અલકારાના કારણે જ. જેના અલકારો સાચા છે તેને નકલી અલકારેની જરૂર પડતી નથી. તેમ જેના જીવનમાં સંસ્કાર રૂપી ચળકાટ છે તેને ધન કે રૂપના આપની જરૂરત નથી. જે જીવા સંસ્કારી જીવન જીવી ગયા છે તેમના ઇતિહાસના પાને નામ લખાયા છે અને એવું જીવન જીવવા માટે અવશ્ય આત્મમન કરવું જોઈશે. આત્મઢમન કરવાથી આત્મા આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે. આત્મઢમન અને સંસ્કાર રૂપી અલંકાર તે વિષે આજે ઘણું કહેવાઈ ગયુ છે અને આવું ઉત્તમ જીવન જીવી ગયેલા એક મહાન સતીજી સ્વ પૂ. તારામાઇ મહાસતીજીની આજે માસિક પુણ્યતિથિ છે. તેમનુ જીવન એટલું બધું સંસ્કારી ને ઉત્તમ હતું કે તે મધું વર્ણન હું કરું તેા ઓછામાં એછા બે દિવસ જોઇએ. પણ તેમના જીવનમાં વૈરાગ્યની જે સુ ખુશખે મ્હેકી રહી હતી તે આપની પાસે ટૂંકમાં રજૂ કરું છું. આકાશમાં તારા ચમકે છે તેમ તારાબાઇ મહાસતીજી મારા શિષ્યા પરિવારમાં એક ચમકતા તારા હતા. તેમના જન્મ અમદાવાદ શહેરમાં સાવાડા મેાટી પેાળમાં થયા હતા. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનુ નામ સમરત બહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર સચાગ-વિયેગના દુઃખથી ભરેલા છે. તદ્દનુસાર તેઓ ૨૪ વર્ષની ઉંમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક વર્ષમાં અમારા ( પૂ. ખા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા. અને વૈરાગ્ય રગે રંગાઇ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેએ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા, તેમને ચાર પુત્રા હતા તે નાના હતા. તેમને મેાટા કરવાની જવાબદારી પેાતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું પણુ અનાસક્ત ભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સમય જતાં મેઢા પુત્રના લગ્ન કરી થાડા સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સોંપી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy