SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શારદા સાગર દુઃખ થયું નહિ. આ ઉપરથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે અન્ય કઈ વસ્તુ આપણને દુઃખ કે સુખ આપી શકતી નથી. સુખ તે આપણી અંદર રહેલું છે. તે સુખ શાશ્વત છે. તે સુખ કઈ ઓછું કરી શકતું નથી. “મારે તે મોક્ષ જોઈએ છે.” ગજસુકુમારે તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી ને પછી પૂછયું. પ્રભુ! મોક્ષમાં જવાને ટૂંકામાં ટૂંકે કયે માર્ગ? ભગવાને કહ્યું કે બારમી પડિમા વહન કરવી તે મોક્ષને ટૂંકે માર્ગ છે. ગજસુકુમાર મુનિ સ્મશાન ભૂમિમાં ગયા. ત્યાં જઈને કાર્યોત્સર્ગમાં સ્થિર થયા. ત્યારે સેમિલ બ્રાહ્મણ ત્યાંથી પસાર થ. ગજસુકુમાર મુનિને સાધુના વેશમાં જોઈ તેને-ધ આવ્યું ને મનમાં બે કે જે આને દીક્ષા લેવી હતી તે મારી પુત્રી સાથે સબંધ શા માટે કર્યો? કંધના આવેશમાં આવીને તળાવમાંથી ચીકણી માટી લઈ આવ્યું ને ગજસુકુમાર મુનિના માથા ઉપર ગળ ફરતી પાળ બાંધી દીધી. ત્યાર પછી બળતા મડદાની ચિતામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યા. આ રીતે પિતાની પુત્રીને ભવ બગાડનાર પ્રત્યે વૈરને બદલે લીધાને સંતોષ અનુભવ્યું. ' બંધુઓ ! કઈ આપણા શરીર ઉપર ટાંકણી ભેંકે તો આપણને કેટલું દુઃખ થાય છે! અરે, સહેજ દાઝી જવાય તે પણ કેવી કાળી બળતરા થાય છે. તે પછી માથા ઉપર ધગધગતા અંગારા પડે તે કેટલું દુઃખ થાય? છતાં પણ તે મુનિ પિતાના આત્મધ્યાનમાંથી જરા પણ વિચલિત થયા નહિ. તેમને દુઃખ પણ ન થયું કે ધ પણ ન આવ્યું. બસ. એમણે તે સમતા રસમાં ડૂબકી લગાવી. ગજસુકુમાર મુનિએ તે એ વિચાર કર્યો કે કેઈના સસરા તે ૫૦-૧૦૦ રૂ. ની કિંમતી પાઘડી જમાઈને બંધાવતા હશે! પણ મારા સસરાએ તે મને મોક્ષની પાઘડી બંધાવી. જલતા અંગારા મુનિને માથે મુકાયા, પરી ખદખદ થવા લાગી ને છેવટે ખોપરી ફાટી પણ મુનિ તે પોતાના ધ્યાનમાં અડગ રહ્યા. સમતાભાવમાં રહીને શુકલધ્યાન ધ્યાવતા તે મેક્ષપદને પામ્યા. આ ગજસુકુમાર મુનિનું જીવન પણ આપણને બોધપાઠ આપે છે કે જે સમભાવમાં સ્થિર રહે છે તે ભૌતિક સુખ-દુઃખથી પર બની અનંતા મોક્ષના સુખ પામે છે. જે તમે આવા આત્મિક સુખને ઈચ્છતા હે તે ઈન્દ્રિયે અને મન ઉપર કાબૂ મેળવે. આપણું મનને તોફાની ઘેડાની ઉપમા આપવામાં આવી છે. જેમ તેફાની ઘેડ કઈ વખત કેઈ ઝાડ સાથે અથડાવી દે છે તે કઈ વખત ઊંડી ખાઈમાં ધકેલી દે છે. મને પણ આવા તોફાની ઘડા જેવું છે. જેમ ઘેડાને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર પડે છે તેમ મનને કાબૂમાં રાખવા માટે વ્રત-નિયમની જરૂર છે. જેની એક ઇન્દ્રિય છૂટી છે તે પ્રાણુને નાશ કરે છે તે જેની પાંચે ઇન્દ્રિયે છૂટી હશે તેનું તે શું થશે ? એકેક ઈન્દ્રિય ઉપરની આસક્તિ પણ જીવને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy