SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શારઢાબાઇ સ્વામીના ધાર્મિક શાસ્ત્ર - અભ્યાસના પુરૂષાર્થ પ્રબળ બન્યા. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયામાં મહાસતીજીએ ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રાનુ વાંચન કર્યું. સંસ્કૃત પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને ખીજાને લાભ આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને વિદુષી તથા પ્રખર વ્યાખ્યાતા તરીકે પૂ. શારદામાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા. પૂ. વિદુષી મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે. ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધના, તત્ત્વના શબ્દાર્થ ભાવાર્થ, ગુઢાર્થને એવી ધીર ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ દૃષ્ટાંતાથી સંભળાવે છે કે શ્રેાતાવ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂ શાંતિથી શારદાસુધાનું રસપાન કરે છે. ખાલ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વ્યાખ્યાતા શ્રી શારદામાઇ મહાસતીજીની વાણીમાં આત્માના અ ંતધ્વનિ આવે છે. અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિધ પમાડચા છે. સુષુપ્ત આત્માને ઢંઢોળીને સંયમ માર્ગે દોર્યા છે. ભગવાન મહાવીરના ચાર તીમાંના સાધ્વીતીર્થની સરિતા જ્યારે એના અંતરના નિર્મળ નીરના (ઉગારાના) પ્રવાહ વહેવડાવે છે ત્યારે શ્રોતાવું એમાં ભીંજાઈ જાય છે. અને તપ-ત્યાગ તથા સંયમના માર્ગે જવા પ્રેરાય છે. . “ સચમી જીવનની વિહાર યાત્રા' : અત્યાર સુધીના ૩૬ વર્ષના સંયમી * જીવનમાં પૂ. મહાસતીજીનેાવિહાર ગુજરાત, સૌશષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકાટ, ભાવનગર, ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, સાવરકુંડલા, ધારી, ખગસા, ટાઢ, પાળીયાદ, લીબડી, વાંકાનેર, થાનગઢ, મૂળી, સાયલા, વઢવાણુ, સુરેન્દ્રનગર, જોરાવરનગર, ચુડા, ધ્રાંગધ્રા વિગેરે સ્થળેામાં તેમના વિહારથી અને તેમના ઉપદેશથી ઘણા આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. અને સંખ્યાબંધ વ્રત-પ્રત્યાખ્યાન થયેલ છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં લેાનાવાલા, પુના, ઘેાડની, અહમદનગર, નાસિક, ઇગતપુરી, શ્રીરામપુર, લાસણગાંવ વિગેરે સ્થળાને શેષકાળ વિહાર કર્યો છે. અને મુંબઈમાં ચાતુર્માસ કર્યા છે. તેમના ઉપદેશથી આ બધા ક્ષેત્રમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી છે. ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, સાળુ, વીરમગામ, સામરમતી, ખેડા વિગેરે ક્ષેત્રને ચાતુર્માસના લાભ આપ્યા છે. પૂ. મહાસછતીના પ્રતિધથી અઢાર બહેના વૈશગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે. અને શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેખ અને પૂ. શ્રી ગુલામચંદ્રજી મહારાજના કાળધર્મ ખાદ ખંભાત સંપ્રઢાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy