SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૮૪ સારી રીતે કરી શકું છું. તેમજ ઘણા રાજાએ તેા કહેવાના રાજા હાય, તેના માથે ખીજા રાજાઓનું સ્વામિત્વ હાય છે ને તે માટા રાજા કહે તે રીતે એ કરી શકે છે. એવા હું ખડિયા રાજા નથી હું તેા મહાન રાજા છું. મારી આજ્ઞા બધા રાજાએ શિરામાન્ય કરે છે. કાનામાં તાકાત છે કે તે મારી આજ્ઞાના અનાદર કરી શકે ? હું આવે મહાન રાજા હૈાવા છતાં આપ મને અનાથ કેમ કહેા છે ? અંધુએ ! અહીં મુનિની અનાથની વ્યાખ્યા જુદી છે ને રાજાની પણ જુદી છે. કારણ કે બંનેની દૃષ્ટિ અલગ છે. એકની દૃષ્ટિ ભાગ તરફની છે ને ખીજાની ત્યાગ તરફ્ છે. શ્રેણીક રાજા છર કળા શીખ્યા હતા પણ આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું ન હતુ. એટલે તેમની દશા મુનિ કરતાં જુદી છે. શજાને આધ્યાત્મિક જ્ઞાન હાત તેા તે પેાતાને સનાથ માનત નહિ. તે મુનિના નાથ બનવાનું કહેત નહિ. કારણ કે ખાદ્ય ઋદ્ધિથી અનાથ મટીને સનાથ અનાતુ નથી. અહીં તે। મુનિએ રાજાને મેનિદ્રામાંથી જાગૃત કરવા માટે કહ્યું હતુ કે તુ અનાથ છે. પણ રાજાને આ વાતનું ભાન ન હતું એટલે એને ચાંટ લાગી કે મને અનાથ કેમ કહ્યા ? મધુએ ! તમને પણ સતા સંસારના કાદવમાંથી કાઢવા માટે ઘણી વાર કહે છે કે ભાઈ! આ સંસારના કાદવમાં ગળાબૂડ ખેંચી ગયા છું તે હવે બહાર નીકળ. કયાં સુધી ખેં'ચેલા રહીશ ? મને સતાએ આવું કેમ કહ્યું એને ખટકારો થાય છે ? પવિત્ર આત્માઓને સામાન્ય ટંકાર કરવામાં આવે તે પણ જાગી જાય છે. જનકરાજાની મિથિલા નગરીમાં એક બ્રાહ્મણુ રહેતેા હતેા. તેનાથી એક વખત રાજાના માટા ગુના થઇ ગયા. બ્રાહ્મણને પકડીને દરબારમાં લાવવામાં આવ્યેા. જનકશાએ તેના અપરાધથી ખૂબ ક્રોધાયમાન થઈને તેને પેાતાના રાજ્યથી હદપાર કરવાનું ફરમાન કર્યું. ત્યારે બ્રાહ્મણે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું-મહારાજા! મારાથી આપના માટે અપરાધ થયા છે તેથી આપે મને આપની દ્દપાર કરવાની કડક શિક્ષા કરી છે તે મને શિરામાન્ય છે. પણ હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપના રાજ્યની હદ કયાં સુધી છે ? જનકરાજા ખૂબ વિદ્વાન હતા. તેમને આત્મજ્ઞાનના ખૂખ શેખ હતા. બ્રાહ્મણુના આ પ્રશ્નથી રાજાના મનમાં એક ઊંડા ઝટકા લાગ્યા. તે વિચાર કરવા લાગ્યા કે આ પૃથ્વી પર તે મારાથી પણ અનેક શકિતશાળી રાજાઓ રાજ્ય કરે છે. એમાં મને તે એક મિથિલાનગરી મારું રાજ્ય દેખાય છે. આટલે વિચાર કરતાં નવા વિચાર આવ્યેા કે હું જેને મારું માનું છે તે મિથિલાનું રાજ્ય પણ શું મારું છે ? શું એ મારી સાથે આવશે ? જેમ જેમ જનકરાજાની વિચારધારા આગળ ચાલી તેમ તેમ તેને પેાતાના અધિકારની સીમા સંકુચિત દેખાવા લાગી. ખૂબ ઊંડાણથી વિચારકરતાં તેને લાગ્યું કે આ મિથિલાના રાજ્ય ઉપર પણ મારે અધિકાર શેને ? કારણ કે આત્મા સિવાયના બધા પદાર્થો નાશવંત છે. મારો અધિકાર તા ફકત મારા આત્મા ઉપર છે, આ પ્રમાણે વિચાર કરીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy