SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ શારદા સાગર થાય? જેણે મિથ્યાત્વનું કલેરફોર્મ સ્યું છે તેને આ વાત ન સમજાય. તેને વીંછી કરડે તે પણ તેને ડંખની વેદના સાલતી નથી. પણ જેણે કલેરફેમ નથી સૂછ્યું તેને તો વેદનાને અનુભવ થાય ને? વીંછી અને સર્પમાં ફેર છે એ તમે જાણે છે? વીંછી ચેતનાને જાગૃત કરે છે, ઊંઘને દૂર કરે છે. પિતાની સાચી સ્થિતિનું ભાન કરાવે છે. જ્યારે સાપ નિદ્રા લાવે છે. કવખતે પણ નિદ્રા લાવે છે ને ભાન ભૂલાવી દે છે. પણ કર્મરૂપી વીંછીની રીત જુદી છે. કર્મરૂપી વીંછી વેદના પણ કરે ને જાગૃતિને નાશ પણ કરે. કર્મનો વીંછી ડંખે છે, વેદના ઉપજાવે છે પણ એ ભાન દુનિયાના દરેક ને થતું નથી. જેણે કરોફર્મ નથી સૂછ્યું એટલે કે જેને જ્ઞાન થયું છે, જેને મિથ્યાત્વરૂપી કરેફર્મનું ઘેન ચઢયું છે તેને નથી કર્મના વીંછીનો ડંખ લાગતું કે નથી તેની વેદના થતી. કલેરફેમ સૂંઘાડીને કેઈનું પેટ ચીરી નાંખવામાં આવે તે પણ તેને ખબર પડતી નથી. પણ કરેફર્મનું ઘેન ઊતરી ગયા પછી તેને ઘણી વેદના થાય છે, તેમ જયાં સુધી માનવીનું મન મિથ્યાત્વ દિશામાં ઘેરાયેલું હોય ત્યાં સુધી કોંએ તેને કેટલે રખડાળે, કમેને કારણે કેવા કેવા કષ્ટો વેઠવા પડયા છતાં જીવને ભાન થતું નથી. કરેફર્મને ન ઊતરે પછી કેટલું લેહી વહી ગયું, કેટલું વજન ઘટયું વિગેરે શરીરની સાચી સ્થિતિનું ભાન થાય છે. તેમ મિથ્યાત્વનું કલેરફેર્મ ઊતર્યા પછી આત્માને કર્મવીંછીએ કેવી રીતે ડંખ દીધા, શુભ વૃત્તિઓને કેવી રીતે નાશ કર્યો, ધર્મના માર્ગે જતાં શી રીતે રોક્યા વિગેરે સત્ય વસ્તુનું ભાન થાય છે. જ્યાં કર્મના ડંખને વીંછીને ડંખ માનશે ત્યાં તમને સૌથી પ્રથમ એ વિચાર આવશે કે દુનિયાના બધા જીને આ સંખથી હું બચાવું. - દેવાનુપ્રિયે ! જેને કમરૂપી વીંછીની વેદનાનું પુરેપુરું ભાન થાય છે તેને સાચું સ્વરૂપ સમજાય છે. તેને એમ થાય છે કે આવી વેદના કેઈને ના થાય તે કેવું સારું? હવે વીંછીના ડંખની વેદનાથી હેરાન થનાર માણસ શેની ઈચ્છા રાખે? તે કઈ પ. ઉપાયે મારી વેદના કેમ મટે એ ઈચ્છે છે. પછી ભલે વીંછી ઉતારનારો દાતણની ચીરીથી વેદના મટાડે પણ હવે મટાડનારે જોઈએ છે. વીંછી ઉતારનારને કોઈ બોલાવવા જાય, તે આવતે દેખાય અને આવીને ઉતારવાની ક્રિયા કરવા માંડે ત્યારે પેલા માણસને કેટલે આનંદ થાય? વીંછીની વેદના ચાલુ હોય છતાં આનંદ થાય છે. આનું કારણ શું? હવે વીંછીના ડંખની વેદના મટી જશે. આ વાત ધ્યાનમાં લેશે તે જરૂર સમજાશે કે હવે કર્મના કાંટાને કાઢવાની પણ જરૂર છે. જેઓ કર્મને કાંટે જોઈ શકે છે તેમને કાંટે કઢાવવાનું મન થાય છે. જેમને કાંટે વાગે છે, તેની વેદના થાય છે તેઓ જરૂર સમજે છે કે દેવ-ગુરૂ અને ધર્મ આ વિષમ વેદનાને મટાડવા માટે સમર્થ છે. આવી શ્રદ્ધા થાય પછી દેવ-ગુરૂઅને ધર્મની આરાધના કરે તેથી કર્મના કાંટા દૂર થાય પછી તેને કેટલો આનંદ થાય? વીંછીની વેદનાને અનુભવી માણસ વીંછી ઉતારવાની વાત થતાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy