SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શારદા સાગર જ્ઞાની ભગવતે કહે છે કે “જ્ઞાન યિસ્યાં મોક્ષ: ” જ્ઞાન અને ક્રિયા રૂપી બે પગ હોય તે મોક્ષ મળે છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી. જ્ઞાને અને ક્રિયાની બે પાંખે હોય તે ઊંચે ઉડ્ડયન કરી શકાય છે. માટે જીવનમાં જ્ઞાન અને ક્રિયાની ખૂબ આવશ્યક્તા છે. આ બે વસ્તુ દ્વારા મહાન પુરૂષે જીવન જીવીને મેક્ષમાં ગયા છે. મારા બંધુઓ! તમે પણ એવું જીવન જીવી જાવ કે તમે આ દુનિયામાંથી વિદાય થાવ તે પણ દુનિયા તમને યાદ કરે. કોઈ સારો માણસ મૃત્યુ પામે છે એ તે અહીંથી જાય છે પણ તેના સગુણની સુવાસ રહી જાય છે. તમે કહે છે ને કે ફૂલ ગયું પણ ફેરમ રહી ગઈ. ગુલાબનું ફૂલ ચીમળાઈ જાય છે, કેઈના પગ નીચે છુંદાઈ જાય છે તે પણ સુગંધ આપે છે. તેમ મહાન પુરૂષને વિદાય થયા વર્ષો વીતી ગયા છતાં એમને આપણે સૌ યાદ કરીએ છે. કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાનના સમયમાં થઈ ગયા છતાં આજે તેમને દુનિયા યાદ કરે છે. કૃષ્ણની સામે કેસ હતો, રામની સામે રાવણ, મહાવીરની સામે મંખલી પુત્ર ગોશાલક અને ગાંધીજીની સામે ગોડસે થયા. તેમાં કૃષ્ણ-રામ, મહાવીર અને ગાંધીજીને સૌ યાદ કરે છે પણ કંસ-રાવણ અને ગોડસેને એમના દુષ્કૃત્યને કારણે કોઈ યાદ કરતું નથી. આપણા ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? દુશમન સામે પણ પ્રેમથી જોતા હતા. ગોશાળાએ કરી ઘેલછા, તેજલેશ્યા છેડી, સંહારકને ક્ષમા કરીને, દીધી શિખામણ થાડી, એ કરૂણાના કરનારા...તારા જીવન રહસ્ય ન્યારા (૨)-એ સમતાના ગશાલકે ભગવાન ઉપર તેજુલેશ્યા છેડી તે પણ પ્રભુએ તેના ઉપર કપ ન કર્યો. સામે શીતળ લેશ્યા મૂકી ને કહ્યું છે ગશાલક! તારું શું થશે? બંધુઓ ! આપણું ભલું કર્યું તેનું ભલું તો કરીએ. એમાં કે વિશેષતા નથી પણ બૂરું કરનારનું ભલું કરવું તેમાં માનવ જીવનની વિશેષતા છે. આ જગતનું ભલું કરવા, તમને સાચો રાહ બતાવવા શ્રમણ નિર્ગથે જગતના ખૂણે ખૂણે વિચરે છે. પછી સંતને કઈ પૂજે કે નિંદા કરે, કઈ મારે કે ગમે તે કરે પણ એ તે સર્વ ઇવેનું ભલું ઇચ્છે છે. અનાથી નિગ્રંથ વિચરતા વિચરતા શ્રેણીક રાજાના મંડિકક્ષ બગીચામાં આવ્યા. શ્રેણીક રાજા પણ ફરવા માટે ત્યાં આવ્યા. મુનિને જોતાં તેમના મનના ઉકળાટ શમી ગયા. ને રાજા મુનિના ચરણમાં નમી પડયા. આ મગધ દેશના માલિક કેઈને નમે નહિ ને તે નમી ગયા. તેનું શું કારણ? મુનિનું શુદ્ધ ચારિત્ર. આ રાજા ચારિત્ર આગળ ઝૂકી જતા. આજે તેમને વિનય હતે. વિનય તે વૈરીને વશ કરે છે, કોઈ દુશ્મન રાજા ચઢી આવ્યો હોય તો તેની છાવણીમાં સામે રાજા વિનયવાન બનીને જાય તો વૈરી રાજા દુશ્મનાવટ છેડી દે. વિનય જે બીજે કઈ મહાન ગુણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy