SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શારદા સાગર ઘરમાંથી કંઈ ચીજ લીધા વગર કંઈક આપીને પાછો નીકળી ગયો. રાજા ભેજે . દશ્ય જોયું. તેની આંખમાં આંસુ આવી ગયા. અહો! મારી પ્રજા આટલી બધી દુઃખી! બીજી તરફ ચેર પ્રત્યે પ્રેમ જાગે. કે આ તે ચાર કે શાહુકાર ! આ હતો ચેરી કરવા અને આપીને નીકળે ! તારી પ્રજા ગરીબ છે પણ સાથે તારા ગામને ચેર અમીર છે. રાજાને થયું લાવ, અત્યારે જ તેને શાબાશી આપું. પણ બીજી ક્ષણે થયું કે હજુ તેની વધુ પરીક્ષા કરું. ચારના મનમાં થયું કે હવે ચાર વાગ્યા છે મારે બીજે ચોરી કરવા જવું નથી, એટલે ચેર ત્યાંથી નીકળી ફૂટપાથ ઉપર જઈને સૂઈ ગયા. રાજા પિતાના ખિસ્સામાં સોનાનું રત્નજડિત કંકણ હતું તે કાઢીને ચોરની પાસે મૂકીને ચાલ્યા ગયા. થેડીવારે ચાર જાગીને જુવે છે તે બાજુમાં રત્નજડિત કકણ જોયું. અંધારામાં પણ ઝગારા મારતું હતું. આ જોઈ ચેરને વિચાર થયે કે કેવું સરસ કંકણ છે. આને વેચી દઉં તે મારી જિંદગીનું દરિદ્ર ટળી જાય. વળી પાછો વિચાર થયો કે હું તે એક જગ્યાએ ચોરી કરીશ તે ઘણું મળશે પણ જે ઘરની ભીંતે બાકોરું પાડીને આવ્યો છું એ તો તદન ગરીબ છે. રેટીનાં સાંસા છે તે એ બકરું કેવી રીતે પૂરશે? આ કંકણુ મારી પત્નીને આપીશ તો એ ખુશ થશે પણ જેના બાળકને સૂવાડવા માટે ઘાસની પથારી નથી તે બાળકની માતા સવારમાં ઉઠીને બાકોરાવાળી ભીંત જોશે ત્યારે કેટલી નાખુશ થશે! હું ચોર હોવા છતાં માનવ છું તો ભારતની માનવતાના નવા દીવડા કદાચ હું ન પ્રગટાવી શકું પણ માનવતાના જલતા દીવડાની જ્યોત હું મારા હાથે બૂઝાવીશ નહિ. એના હૈયામાં કરૂણાને ધોધ વહેતો હતો તેથી એ કડું પોતાને ઘેર ન લઈ જતા Mાં ચોરી કરવા ગયા હતે તે કંગાલના ઘરમાં મૂકી આવ્યા ને પિતાને ઘેર જઈને સૂઈ ગયો પણ ઊંઘ ન આવી. એને જાગૃત આત્મા કહેતે હવે કે આજે તે સુંદર કામ કર્યું છે. પોતે ભૂખ્યા રહીને ભીખમાં મળેલ રોટલાને ટુકડે જે બીજાને આપી દેનાર છે તે માનવતાના દીવડા પ્રગટાવી શકે છે. મારા બંધુઓ! ચેરમાં જેટલી શાહુકારી છે તેટલી મારા અહીં બેઠેલા શાહુકારમાં છે? ચોરની કેટલી ઉદારતા! તમને આવું કંકણ મળી જાય તે આપી દો કે લઈને તિજોરીમાં મૂકી દે? (હસાહસ). પેલે બ્રાહ્મણ અને બ્રાહાણું જેને ઘેર પૂરી પથારી પાથરવા નથી તે સવાર પડતા જાગ્યા. ત્યારે બાળકની પાસે રત્નજડિત કંકણ ઝગમગી રહ્યું છે. એ વિચારમાં પડયા કે આ કંકણું આપણું ઘરમાં કયાંથી? આ તે રાજરાણીનું કંકણ છે, પત્ની કહે સ્વામીનાથ આપણુ પાપકર્મને ઉદય છે એટલે આપણે ગરીબ છીએ પણ દિલના અમીર છીએ. ભલે સૂવા પથારી નથી, પેટ ભરવા રેટી નથી પણ આપણે આપણી અમીરાઈ જવા દેવી નથી, આ કડું જેનું હોય તેને આપી દેવું જોઈએ. પત્નીના વચન સાંભળી બ્રાહ્મણ કહે છે હું તારા વિચારને ટેકો આપું છું, મને આથી વધુ ગરીબાઈ આવશે તે વેઠવા તૈયાર છું પણ પરાયું ધન પચાવીને મેળવેલી શ્રીમંતાઈ મને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy