SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૩૦ શા માટે ખેલે છે? મને જરા પણ ગમતું નથી. મિત્ર ઘણા સજ્જન છે. તે ખૂબ સમજાવે છે પણ પવનજી માનતા નથી. આ તરફ્ અંજનાને ખબર પડી કે પવનજી યુધ્ધે જાય છે. આ સમયે અંજનાએ એના મન પર કેટલેા કાબૂ રાખ્યા હશે કે કેટલી સાવધાની રાખી હશે! મહાન આત્માએની આ એક ખૂબી છે કે જેના ઉપર આપણે એક વાર પ્રેમ ધારણ કર્યાં હાય તે વ્યકિત પછી આપણા પ્રત્યે પ્રેમવિહીન અને ત્યારે આપણે એના પર પ્રેમ ટકાવી શકતા નથી. પછી ભલે લૌકિક પ્રેમ હાય કે લેાકેાત્તર પ્રેમ હાય. જ્યારે મહાન પુરૂષા પ્રેમને ટકાવી રાખે છે ને એમ વિચારે છે કે એને મારા પ્રત્યેના પ્રેમ તૂટી ગયા એમાં એનેા કેઇ દોષ નથી, પણમારું કર્મ એમાં મુખ્ય કારણ છે. મારુ ક મારે એની પાસે તિરસ્કાર કરાવે છે. ܬ આવા સમભાવમાં રહેતી અંજના સતીને ખબર પડી કે પવનજી રથમાં બેસી ગયા છે. તેમનું સૈન્ય નગર વચ્ચેથી પસાર થાય છે. તે હું પતિના મુખનું દર્શન કરીશ પતિના કપાળમાં ચાંલ્લા કરીશ, દહીં વઢાવીશ, અને એમની યુદ્ધયાત્રા સફળ થાય તે વિજયની વરમાળા પહેરીને વહેલા પાછા આવે એવા આશીર્વાદ આપીશ. એવા વિચારથી હાથમાં સેનાના કચેાળામાં દહીં ને કંકાવટી લઇ વસતમાલાની સાથે મહેલમાંથી નીચે ઉતરીને એક થાંભલાને ટેકા ઇને ઊભી રહી છે. શરીર ખૂબ સૂકાઇ ગયુ છે. હવે તે રૂપ પણ ઝાંખુ પડી ગયું છે. છતાં મુખને પ્રપુલ્લિત બનાવી પતિની રાહ જોતી ઊભી રહી છે. પર્વનજીની સ્વારી આવી રહી છે. પવનજીએ દૂરથી અજનાને ોઇ પણ એ અંજના છે તેમ જાણતા નથી. કારણ કે પરણ્યા પહેલાં વિપાનમાંથી અદ્ધરથી જોઈ હતી પછી અંજનાનુ મુખ પણ જોયું નથી. એટલે પેાતાના મિત્રને કહે છે જો તે ખરા. પેલી કેવી સુદ્દે પૂતળી ચીતરી છે. એ ચીતરનારા પણ કેવા ચતુર હશે! જાણે જીવતી રંભા જેવી સ્ત્રી ઊભી હાય તેવું દેખાય છે ત્યારે મિત્રે શું કહ્યું. મિત્ર કહે નહિ પુતળી, ભીંત આઠીગે છે અજના નાર તા, સાંભળી રાય રાતા થયા, મારગ જાતાં સ્વામી મળીયા ઠાર તા દૂર ઠેલી તે અળગી પડી, મારગ મેલીને ચાલ્યા છે સાથ તા, વસ’તમાલા માટે કરડકા બાઈ, મૂરખ દીસે છે તમતણા નાથ તા. ભાઈ! એ પૂતળી નથી પણ જેને તમે માર વર્ષથી ત્યાગ કર્યો છે તે અંજના છે. જુએ તેને તમાશ પ્રત્યે કેટલેા પ્રેમ છે! જ્યાં અજનાનું નામ સાંભળ્યું ત્યાં તે ક્રોધની જવાળા વ્યાપી ગઇ. પવનજીના રથ નજીક આવ્યે એટલે અજના સતીએ પાસે જઈને પતિનાં ચરણમાં પડી અંજલી જોડી ગગ શબ્દોમાં પ્રાર્થના કરી હે સ્વામીનાથ! મારી વિનંતી છે કે આપ મને ભૂલી ન જતાં. આપને મા કુશળ અને1. पन्थानः સસ્તુ તે શિવા ” અંજના આમ કહે છે ત્યાં પવનજીએ એને એવી જોરથી લાત મારી કે ** ܙܙ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy