SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શારદા સાગર સામે કૂ હતા. કૂવા કાંઠે ઘણુ બહેને પાણી ભરવા માટે આવતી. એક બાઈની દૃષ્ટિ ધ્યાનાવસ્થામાં ઉભેલા મુનિ ઉપર પડી, મુનિનું રૂપ જોઈને બાઈ મુગ્ધ બની ગઈ. તેને ત્રણ વર્ષને છોકરે રડતે રડતો સાથે આવેલે પડખે ઊભો હતો. બાઈનું ધ્યાન મુનિ તરફ છે. તેથી ઘડાના ગળામાં દોરડું નાંખવાને બદલે પિતાના છોકરાના ગળામાં દોરડું નાખી ખૂબ ખેંચીને કૂવામાં ઉતાર્યો. ઘડાને ડૂબાડે તે રીતે ડૂબાડે છે પણ ખબર નથી કે હું આ શું કરી રહી છું! ઘડે ઉપર ખેંચે છે. બહાર કાઢી પાણી ઠલવવા જાય છે ત્યાં ખબર પડી કે મારે દીકરે છે કે ઘડે છે? પિતાને એકને એક લાડકવાયો દીકરો મૃત્યુ પામ્યો. આ જોઈને બાઈ શું બેલી :- “ધિક્ ધિક્ મુનિ તારા રૂપને, ધિ ધિક્ તારે અવતાર" હે મુનિ! તારા રૂપને ધિક્કાર છે કે તારું રૂપ જેમાં મારે લાલ ગુમાવ્યા. બોલો, આમાં દેષ કોને છે? બાઈને કે મુનિને? મુનિએ તો એના તરફ દષ્ટિ પણ કરી નથી. એ તે ધ્યાનમાં લીન હતા. પણ પિતે મુનિના રૂપમાં મુગ્ધ બની તે પિતાને દેશ જેતી નથી. મુનિને દેષ કાઢે છે. બરાબર તે સમયે મુનિએ ધ્યાન પાળ્યું. આ બનાવ જોયે ત્યારે તેમણે પિતાને દેષ કાઢ. ધિકકાર છે મારા રૂપને! મારા રૂપને કારણે જ આ બાળકનું મૃત્યુ થયું ને? જે હું વસ્તીમાં રહીશ તે આવા કંઈક અનર્થો થશે. ને હું પાપને ભાગીદાર બનીશ. ત્યારથી નિર્ણય કર્યો કે હવે મારે ગામમાં આવવું જ નહિ. તેઓ મા ખમણને પારણે મા ખમણુ કરતા હતા. પારણાને દિવસે જે જંગલમાં નિદોષ આહાર મળે તે લેવો નહિતર બીજુ માસખમણ કરવું પણ શહેરમાં આવવું નહિ. ઉપર ત્રણ દાખલા આપ્યા, તેમાં ગોપીઓ તથા સ્ત્રીઓએ જે ભૂલ કરી તે મેહનું કારણ છે. પણ રાજા શ્રેણીકને મુનિના રૂપમાં આકર્ષણ થવામાં મહતું કારણ નથી. કારણ કે આ વખતે શ્રેણીક રાજા બૌદ્ધધમી હતા. તેથી તેના દિલમાં જેના સાધુઓ પ્રત્યે વિશેષ ભક્તિ પણ ન હતી. તેણે ઘણીવાર જૈન સાધુઓનો તિરસકાર કર્યો હતો ને તેમનું અપમાન પણ કરેલું. પણ આ સમયે મુનિના રૂપમાં એવી રીતે આકર્ષિત ને પ્રભાવિત બન્યા કે તેમને એ યાદ ન રહ્યું કે આ મુનિ રાણી ચેલણના ગુરૂ છે. મારા ગુરૂ નથી. રાજા શ્રેણીક માનસિક શાંતિ માટે ને શારીરિક આનંદ માટે બગીચામાં આવ્યા હતા પણ પૂર્વસંચિત પુણ્યના પ્રતાપે અહીં તેને સત્ય ધર્મની પ્રાપ્તિ થવાની હતી. તેથી તે પોતાના અંતરમાં રહેલા દુર્ભાને ભૂલી ગયે. આ પ્રકાશ કયારે થયે? ક્ષમાના સાગર પવિત્ર મુનિને જોયા ત્યારે ને? સાચા ગીઓને સામી વ્યક્તિ ઉપર પ્રભાવ પડ્યા વિના રહેતો નથી, તેમાં બીજા ધર્મના સંતો કરતાં જૈન મુનિઓનો ત્યાગ ઉત્તમ છે. પોતે જીવનમાં અપનાવશે પછી બીજાને કહેશે. જૈન મુનિએ પોતાના પ્રાણના ભોગે પણ બીજ છોને કષ્ટ આપતી નથીગઈ કાલે આપણે ધર્મરૂચી અણગારની વાત કરી હતી.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy