SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શારદા સાગર વશ થઇને કેરેાસીન છાંટીને મળી મરે. આવી રીતે મરવાથી જીવ અધતિમાં જાય છે. પણ ઉપસર્ગ આવે ત્યારે સમભાવમાં રમે તેનુ કલ્યાણ થાય છે. ગજસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે શ્મશાન ભૂમિકામાં ખારમી પડમા વહન કરવા ગયા ને સામલે ઉપસ આપ્યા. તે સમયે કેટલી સમતા રાખી! તે કર્મને પ્રજાળીને મેાક્ષમાં ગયા. દૃષ્ટિ સવળી હાય તે ક તૂટે છે, નહિતર કર્યું બંધાય છે. ચારિત્રની દૃઢતા :– ચઢનમાળાના પિતા ધિવાહન રાજા લડાઇમાં મૃત્યુ પામ્યા ત્યારે તેની માતા ધાીિ દેવી અને ચનખાળા અને રથમાં બેસીને નાસી છૂટયા. મા-દીકરી રથમાં બેઠા છે. માતા પેાતાની વડાલી પુત્રીને કહે છે બેટા! આપણા રાજપાટ ગયા. તારા પિતાજી મૃત્યુ પામ્યા. ભલે બધું ગયું પણ આપણું ચારિત્ર ન જાય તેનુ ખૂબ લક્ષ રાખવાનુ છે. ડાહી માતા પુત્રીને શીખામણ આપે છે. જો શીયળ જવાના પ્રસંગ આવે તે જીભ કરડીને મરી જવુ શ્રેષ્ઠ છે. પણ ચારિત્ર ન જવું જોઇએ. રથ હાંકનારા સારથી બધું સાંભળે છે છતાં ધારિણીદેવી ઉપર તેની દ્રષ્ટિ બગડી. તે ખેલ્યા. તમે શા માટે રડેા છે ને મરવાની વાત શા માટે કરા છે ? હવે તમારે શું દુઃખ છે? હું ધારિણીદેવી! તમને મારે ઘેર લઈ જઈને મારી પત્ની બનાવવાને છું. મન માન્યું સુખ આપીશ. પછી શું દુઃખ છે? ક્ષણ પહેલાં શીયળ કેમ સાચવવુ તેના પાઠ પેાતાની પુત્રીને ભણાવી રહી હતી. તે ધારિણી માતાએ સારથીને ઘણા સમજાવ્યે. તેની કુબુદ્ધિ કાઢવા ઘણા પ્રયત્નો કર્યા છતાં જ્યારે ના સમજ્યે ત્યારે ત્યાં ને ત્યાં જીભ કરડીને પેાતાના જીવનના અંત લાવી દીધા. એણે પ્રત્યક્ષ પૂરાવેા કરી ખતાન્યેા. આ જોઇને સારથી ચમકયા. આ શું કર્યું? આ બનાવ અનવાથી સારથીનુ મન બદલાઈ ગયું. અહા ! આ સતીની વાતે માત્ર વાણીમાં જ નથી પણ વર્તનમાં છે. ચંદનમાળાના સુખ-દુઃખની સંગાથી માતા પણ મૃત્યુ પામી એટલે એ ખૂબ ગલશઈ ગઈ. ત્યારે સાથી કહે છે બહેન! તારી માતા ઉપર મારી કુદૃષ્ટિ થઈ હતી પણ .તારા ઉપર નહિ કરું. તું ગભરાઇશ નહિ. સારથી તેને પેાતાને ઘેર લાવ્યેા. મનમાં વિચાર કર્યો કે મારી પત્ની તેા થવાની નથી તેા કઈક લાભ મેળવું. બજારમાં એને વેચી તા સારા પૈસા મળશે. ચંદનમાળાના જર અશુભ કર્મને ઉછાળેા છે એટલે સારથીને વેચવાનું મન થયું. સારથી ચનમાળાને ભરબજારમાં માથે ઘાસને પૂળે! મૂકીને ઊભી રાખે છે. એટલે વેશ્યા તેનુ રૂપ જોઇને તેને લેવા તૈયાર થઇ. સારથી પણ એને આપવા તૈયાર થયા, ત્યારે ચક્રના પૂછે છે કે બહેન તમે મને ખરીદવા તૈયાર થયા છે. પશુ તમે પહેલાં મને એ કહેા કે તારા ઘરના આચાર વિચાર શું છે? તમારા ઘરના નિયમ શુ છે ? ત્યારે વેશ્યા કહે છે. મારા ઘેર તે નિત્ય નવા શણુગાર સજવાના ને નિત્ય નવા પુરૂષનું મન રંજન કરવાનું, એ મારા ઘરના આચાર વિચાર છે. આ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy