SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શારદા સાગર છે ને શાશ્વત રહે છે. જ્યારે દેહનું સૌંદર્ય જીવનને અંત થતાં નાશ પામે છે. મહાન પુરૂષે પિતાના દેહ, સૌંદર્ય વડે નહિ પણ પિતાના આત્મસૌંદર્ય વડે ચારે તરફ શીતળતા પ્રસરાવે છે. અનાથી મુનિનું દેહસૌંદર્ય તે હતું જ. તે સાથે આત્મસૌંદર્ય પણ ખીલેલું હતું. તેના પ્રભાવે શ્રેણક રાજાએ બગીચામાં પ્રવેશ કર્યો તેની સાથે શીતળતાનો અનુભવ થયો. આ તે સાધુની વાત થઈ પણ સંસારી છે પણ કેવા હોય છે તે દાખલો આપું. સાચું રૂપ કયું? – એક અમેરિકને પિતાના બાબાને એક વખત કહેલું કે અબ્રાહમ લિંકન તે ખૂબ બેડોળ છે. એક દિવસ- રસ્તામાં આ અમેરિકનને અબ્રાહમ લિંકનને ભેટે થઈ ગયે. એમની સાથે હાથ મિલાવીને તેણે બાળકને લિંકનની ઓળખાણ આપી. પેલે નાનું બાળક લિંકનના મુખ સામે એકીટશે જોઈ રહ્યો. લિંકનના મુખ ઉપર પ્રસન્નતા હતી. મીઠું હાસ્ય હતું. લિંકનને હસતા જોઈ પેલો બાબો પણ હસી પડશે. લિંકને તેને પ્રેમથી ઊંચકી લીધે. છાતી સાથે ચાં ને હાથમાં એક ચોકલેટ આપી. બાબ ખુશ ખુશ થઈ ગયે ને કહેવા લાગ્ય-પપ્પા! તમે તે કહેતા હતાને કે લિંકન તો ગમે એવા નથી પણ મને તે એ બહુ ગમે છે. જેમને સ્વભાવ મધુર, પ્રેમાળ ને શાંત છે. તે ભલે ચામડીથી બળ હોય છતાં બીજા ઉપર પિતાનું વર્ચસ્વ જમાવી શકે છે. પ્રેમ, નિખાલસતા, ઉદારતા, વિશ્વાસ આદિ સદગુણો આત્મસંદર્ય વધારવાના સાધન છે. માનવીને બાહ્ય ઠઠારાથી માન મળતું નથી. શુદ્ધ ચારિત્રથી માન મેળવી શકે છે. માની લો કે કેઈ બહેને સોળ શણગાર સજ્યા હેય, લાલી લગાડી હોય પણ જે તેની આંખમાં શરમ ન હોય, હૈયામાં પ્રેમ ન હોય તે એ બધે સાજ અને શણગાર નકામો છે. એક વખત કોન્ફયુસ્ટસે તેની વહાલી પુત્રીને પૂછયું-બેટા ! ગાલ ઉપર ચેપડવાની સારામાં સારી લાલી કઈ? ત્યારે પુત્રી કહે છે પિતાજી! સ્ત્રીઓ માટે જે સારામાં સારી લાલી હોય તે તે લજજા છે. તમે દરરોજ સવારના પ્રહરમાં ઉઠીને રૂપ વધારવામાં સમય ગુમાવે છે. અરિસામાં રૂપ જોઈને હરખાવ છે. પણ વિચાર કરજો રૂપની પાછળ પાગલ બનીને જે કંઈ કર્મ થઈ ગયું તે કલંકનો ડાઘ જીવનભર સારામાં સારા સાબુની હજારો ગેટીઓ લઈને દેવા મથશે તે પણ નહિ જાય. ભલે બાહા રૂપ ન મળ્યું હોય તો તેથી નિરાશ થવાની જરૂર નથી. આજથી આત્મિક સેંદર્ય વધારવામાં લાગી જાવ. આત્મિક સંદર્ય એટલે ગુણ. જ્ઞાનીની દષ્ટિએ જેટલી ગુણની મહત્તા છે તેટલી રૂપની નથી. રૂપ છે પણ ગુણ નથી તે કાંઈ કિંમત નથી - એક વખત ઉનાળાના દિવસમાં બપોરના સમયે મહારાજા વિક્રમાદિત્ય અને તેમના માનીનય કવિ કાલિદાસ શાનગેષ્ઠિ કરી રહ્યા હતા ત્યારે વાતવાતમાં રાજા વિક્રમે કહ્યું–હે કાલિદાસ! આપનામાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy