SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કેટ ધૃતરાષ્ટ્રના બધા દીકરા યુદ્ધમાં મર્યા હતા. છેવટે એક દુર્યોધન બાકી હતું તે પણ લડાઈને મેદાનમાં હેમામાં છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતો. તે વખતે કૃપાચાર્ય, કુતામાં અને અશ્વત્થામા ત્રણે જણાએ કહ્યું. હે મહારાજા ! મહાન માનવીઓમાં અગ્રગણ્ય આપે છે. જેથી આપે શત્રુની સામે સહેજ પણ દીનતા બતાવી નથી પણ અમે કૃતન નીકળ્યા કે જેથી આપની આ દશા થઈ પણ અમારી ભાવના છે કે રાત્રીના યુદ્ધ કરીને પાંચે પાંડના મસ્તક કાપીને આપની સામે મૂકીને આપના ત્રણમાંથી મુક્ત થઈએ. અહાહા..વૈરભાવ શું નથી કરાવતે? દુર્યોધન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે છતાં આ વાતથી હર્ષિત થયે ને આલીંગના આપીને કહે છે, જાવ જલ્દી પાંડના મસ્તક કાપીને મને બતાવે કેમ કે મારા પ્રાણ હવે વધારે સમય ટકી શકે તેમ નથી. આ કાર્ય એકલે અશ્વત્થામા કરી શકે તેમ છે. એના બદલે તમે ત્રણ જણે છે તેથી અવશ્ય આ કામ કરી શકવાના છે. તે ત્રણ જણાએ પાંડેની છાવણીમાં આવીને યુદ્ધ માટે પડકાર કર્યો. પડકાર સાંભળતાં ધૃધુન અને શિખંડી બહાર નીકળ્યા. અને તરત જ યુદ્ધ શરૂ થયું. ભયંકર યુદ્ધ થતાં અશ્વત્થામાએ અમેઘ શથી તે બંનેના મસ્તક કાપી નાંખ્યા. આથી પાંડવેની સેના ભાગી છૂટી. આ બનાવ બનવાથી પાંચ પાંડવોએ ક્રોધાવેશમાં આવીને યુદ્ધના મેદાનમાં ભયંકર યુદ્ધ. શરૂ કર્યું અને અશ્વત્થામાએ પાંચ બાણેથી પાંચ પાંચાને શિરચ્છેદ કર્યો, અને ખુશ થઈને પાંચ પાંચના મસ્તક લઈને દુર્યોધન પાસે આવ્યું ને તેની સામે અગ્નિથી સળગાવ્યા. દુર્યોધન પાંચાના મસ્તક જતાં બેલી ઉઠયો. અરેરે. તમે આ શું કર્યું? મારે તે પાંચ પાંડવોના મસ્તક જોઈતા હતા. તેના બદલે તમે પાંચાલેની હત્યા કરી. આમ બેલી નિસાસે મૂકતે મરણને શરણ થયે. બીજી બાજુ ધૃતરાષ્ટ્રને યુદ્ધની બધી વાતની જાણ થતાં મૂછિત થઈને ય પડયા ને કલ્પાંત કરવા લાગ્યા. આ બાજુ પાંડેને ખબર પડી કે મારા પાંચ પુત્રે મરી ગયા છે તેથી તે પણ કલ્પાંત કરવા લાગ્યા. આથી કૃષ્ણમહારાજાએ તેમને સંસારની અસારતા સમજાવી. પછી પાંડે કૃષ્ણની સાથે ધૃતરાષ્ટ્રને સાંત્વન આપવા ગયા. ત્યાં જઈને ગાંધારી તથા ધૃતરાષ્ટ્રને પ્રણામ કરી શકાતુર થઈને બેઠા. કૃષ્ણજીએ કહ્યું. ફક્ત પાંચ ગામ તમાસ દીકરાને આપવાના કહ્યા હતા. તે પણ દુર્યોધન આપી શક્યો નહિ. તેણે આ વિનાશ નોતર્યો. આ બધી ભૂલે દુર્યોધને કરી છે. હવે આપ શાંત થાવ. આ પાંડવે તમને કુતામાતા અને પાંડુરાજા કરતાં અધિક સાચવશે. એમ કહીને ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું. ગાંધારીએ કહ્યું કે મને યુદ્ધ ક્ષેત્રમાં લઈ જાવ અને મારા દીકરાઓને મને અંતિમ દર્શન કરાવે. આથી પાંડે હાથનું અવલંબન આપીને ગાંધારીને યુદ્ધક્ષેત્રમાં લઈ આવ્યા. તેની સાથે ચોધાર આંસુએ રડતી ભાનુમતી તેમજ તેની બધી દેરાણીએ યુદ્ધભૂમિના શા-૧૧૧
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy