SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શરત ને ટ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જશે. જે સીધી રીતે નહિ સમજે તે પડે તમારા પ્રાણ લઈને પણ રાજ્ય લેશે. દુર્યોધને કરેલે પ્રપ : દૂતના વચન સાંભળીને દુર્યોધન ક્રોધથી સમસમી ઉઠો ને ગર્જના કરીને બે-હે પાપ દૂત! તું બ્રાહ્મણ છે ને પાછા દૂત છે એટલે તને હું મારી નાંખતે નથી. આ સ્થાને બીજે કઈ હતી તે ક્યારે ય યમસદન પહોંચાડી દીધે હેત. દુર્યોધનની આખી સભામાં ખળભળાટ થયે કે આપણુ રાજાનું આવું અપમાન કર્યું છે માટે તેની જીભ કાપી લેવી જોઈએ. કઈ કહેવા લાગ્યા કે શા માટે મારવો જોઈએ. એ દૂત છે, તે ફાવે તેમ બોલી શકે છે. દુર્યોધને દૂતને કહ્યું કે જે તારી જીભમાં આટલી બધી તાકાત છે તે તું ત્યાં જઈને કહેજે કે કૃષ્ણ અને પાંડવ કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. આ પ્રમાણે કહી દૂતને ધક્કા મારીને અપમાન કરી કાઢી મૂક્યો. આ જોઈને વિદુરજી વિગેરેના મનમાં થયું કે નક્કી હવે ભયંકર યુદ્ધ થશે, અને ભીમ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા વિના નહિ રહે. દૂતનો સંદેશે સાંભળ્યા પછી યુદ્ધની કરેલી તૈયારી ઃ દૂત કૌર પાસેથી અપમાનિત થઈને દ્વારકા નગરીમાં આવ્યું, અને કૃષ્ણ તથા પાંડેને બધી વાત કહી, સંભળાવી અને કહ્યું, દુર્યોધન એટલે બધે ગર્વિષ્ઠ બની ગયેલ છે કે તેની ચતુરંગી સેવા બળથી ખુદ ઈન્દ્રને પણ જીતી લેવાની ઈચ્છા રાખે છે. તે માટે તેની સેના રાત દિવસ તૈયારી કરી રહી છે, અને તેના સૈનિકે બોલે છે કે અમે કૃષ્ણ તથા પાંડેને મારીશું. કૃષ્ણજીએ કહ્યું કે હું તે જાણ જ હતું કે દુર્યોધન માને તેમ નથી પણ કાપવાદથી બચવા માટે મેં દૂત મેક હતે. કદાચ દુર્યોધને તમને રાજ્ય આપ્યું હતું તે તે લેવામાં પણ તમારી મશ્કરી થવાની હતી, ત્યારે ભીમ, અર્જુન, સહદેવ અને નકુળે કહ્યું કે દુર્યોધને અમને રાજ્ય પાછું ન આપ્યું તે જ સારું થયું. જે તેણે રાજીખુશીથી રાજ્ય આપ્યું હતું તે પ્રતિજ્ઞા પૂર્ણ થાત નહિ, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈઓને વધ કરવા માટે મારું મન ના પાડે છે પણ હવે યુદ્ધ કર્યા વિના છૂટકો નથી. માટે તમે બધા યુદ્ધની તૈયારી કરે. કૃષ્ણ અને યુધિષ્ઠિરની આજ્ઞા થતાં પાંડવોએ પિતાના પક્ષમાં રહેલા રાજાઓને તેમની સેનાઓ તૈયાર કરવાને આદેશ કર્યો. પાંડવ પક્ષમાં યુદ્ધની તૈયારી ચાલી રહી છે. ધૃતરાષ્ટ્રને સંદેશ લઈને આવેલો સંજય : આ સમયે ધૃતરાષ્ટ્રને સંજય નામને સારથી દૂત બનીને દ્વારકા આવ્યા અને ધર્મરાજાને નમન કરીને કહ્યું કે મને હરિતનાપુરથી ધૃતરાષ્ટ્ર એક સંદેશ લઈને અહીં મોકલે છે તે સાંભળે. હે ધર્મરાજા ! તમે ખૂબ વિવેકી, ન્યાય અને વિવેક વિગેરે ગુણના ભંડાર છે. મેં દુર્યોધનને યુદ્ધ ન કરવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy