SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શારદા દર્શન ઉપર રાગ ને મેાહુ થાય છે ને ઘડીમાં વિષાદ થાય છે. એટલે ઘડીમાં સુખ અને ઘડીમાં દુ:ખ આવા મેહ અને વિષાદથી વ્યાકુળ સંસારમાં અને સંસારના ક્ષણિક પદાર્થોમાં તમને કયાં સુખ દેખાય છે? વિચાર કરે. તમે એક લાખ રૂપિયા કમાયા એટલે તમને આનંદ થયા. સુખ માન્યું, પણ જો એ પૈસાના કારણે ભાઈ ભાઈ વચ્ચે કલેશ થયા. ભાઈ કહે, મારે જુદા થવુ છે. મને ઘર, દુકાન ને મિલકતમાં ભાગ આપી દો. તા એ લાખ રૂપિયા કમાયાનેા આનંદ કે સુખ લાગે ખરુ? “ના” પૈસા એ ભાઈ ભાઇના પ્રેમ તેડાવ્યા, કુસ'પ કરાવ્યેા, વેરઝેર કરાવ્યા. એમાં તમને શું સુખ દેખાય છે ? હવે ખીજી વાત. તમે લાખ કમાયા ને પાડાશી પાંચ લાખ કમાઈ જાય તે તેના પ્રત્યે ઇર્ષ્યા થાય અને તમારે આનદ નષ્ટ થઈ જાય છે. શા માટે ? શું તમારા લાખ ચાલ્યા ગયા? ‘ના.’ પાસે પડયા છે છતાં સુખના ખદલે દુઃખ કેમ લાગ્યું ? બેલે, એ સુખ લાખરૂપિયાના ઘરનુ` હતુ` ? ‘ના.’ એ તે એના પ્રત્યેના રાગના કારણે તમને સુખ લાગતું હતું. જે તમારે સાચુ સુખ જોઈતુ હોય તે પ્રૌદ્રુગલિક પદાર્થને રાગ છેડી દે. જયારે જીવને જિનવાણી પ્રત્યે સચાટ શ્રદ્ધા થશે, એના રસના ઘૂંટડા પીશે ત્યારે તમને એને! રાગ કે મમતા નહિ રહે, અને સ્હેજ નિમિત્ત મળતાં આત્મા જાગી ઉડશે. આગળના મહાન પુરૂષોના જીવન વાંચે. તેમનેસ્હેજ નિમિત્ત મળતાં વૈરાગ્યપામી ગયા. સનતકુમાર ચક્રવતિ, મિરાષિ, અનાથી મુનિ આ અધા મહાન પુરૂષાના શરીરમાં રાગ થયા. એનું નિમિત્ત પામીને પુગલને એ’ઠવાડ સમજી એને છોડી ચાલી નીકળ્યા. જુએ, નિમરાજને કેવુ નિમિત્ત મળ્યુ'! નમિ રાજાએ દીક્ષા લીધી નહેાતી. રાજકારભાર ચલાવતાં હતાં છતાં એમને નમિરાષિ` કહેતા હતાં. તેનું કારણ શું ? તેનું કારણ એક જ હતું કે રાજ્યમાં રહેવા છતાં તે અનાસકત ભાવથી રહેતા હતાં. એક વખત તેમના શરીરમાં ભયંકર દાહવરના રોગ થયા. આખા શરીરમાં કાળી ખળતરા થવા લાગી. ત્યારે તેમના શરીરે વિલેપન કરવા માટે ખુદ તેમની મહારાણીએ ચંદન ઘસવા લાગી. ખધી રાણીઓના હાથે ઘણાં કંકણા પહેરેલા હતાં. ચ'દન ઘસે એટલે કાંકણા એક ખીજા સાથે અથડાવાથી અવાજ થવા લાગ્યા. દેવાનુપ્રિયે ! અવાજ કયારે ગમે? શરીર સારું હોય ત્યારે રેડિયાના સૂર સાંભળવા ગમે. કંઇ ખળભળાટ થાય તા વાંધા ન આવે પણ બિમારી આવે તા કાઈ સ્હેજ અવાજ કે ખળભળાટ થાય તે એ ગમતું નથી. નિમરાજને રાણીઓના કંકણના અવાજ સહન થતા નથી. એટલે પ્રધાનને કહ્યું-આ અવાજ શેના થાય છે? તેા કહે છે સાહેબ ! આપની રાણીએ આપને શીતળતા કરવા માટે ચંદન ઘસે છે. તેમના હાથે રહેલા ક'કણુ એકખીજા સાથે અથડાવવાથી અવાજ થાય છે. નિમરાજ કહે છે મારાથી અવાજ સહન થતા નથી. ખંધ કરાવા તરત જ પ્રધાન રાણીઓના હાથે રહેલાં કાંકણા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy