SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ શારદા દર્શન શું કર્યું? હજુ કાલે તે દીક્ષા લીધી. તારા દર્શન કરવા આત્મ તલસી રહ્યો હતે. માતા દેવકી પણ કેટલી ઝૂરે છે! અને તમે તે મેક્ષમાં પધારી ગયા! એમ કહી ખૂબ રડ્યા, અને ઢીલા હૃદયે પોતાને ઘેર જવા તૈયાર થયા. કૃષ્ણ ઘેરથી નીકળ્યા ત્યારે તેમના દિલમાં આનંદ હતું કે હું મારા ભાઈને દર્શન કરીશ ને તેમને સુખશાતા પૂછીશ. એ આનંદ ઓસરી ગયે. હવે તેઓ ઘેર જવા માટે ઉભા થયાં, અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કરી કૃણવાસુદેવ જ્યાં પોતાનો પ્રધાન હાથી રત્ન એટલે તેમને બેસવાનો જે શ્રેષ્ઠ હાથી હતું ત્યાં આવ્યા, અને પિતાના હસ્તિરત્ન ઉપર બેઠાં, પણ આવ્યા ત્યારે મુખ ઉપર જે આનંદ હતો તે પાછા વળતાં ન રહ્યો. પિતાના માડી જાયા ભાઈનું આવી રીતે મૃત્યુ થાય તે કોને દુઃખ ન લાગે? કૃષ્ણવાસુદેવ ઉદાસ બનીને દ્વારકા તરફ જવા રવાના થયા, ત્યારે આ તરફ શું બન્યું તે વાત શાસ્ત્રકાર ભગવત રજુ કરતાં કહે છે. - “तए णं तस्स सोमिलस्स माहणस्स कल्लं जाव जलंते अयमेयारुवे अज्झथिए સમુન્ના સવાર થતાં મિલ બ્રાહ્મણના મનમાં વિચાર થયો કે “પર્વ વસ્તુ જોવાયુ અરહું બદ્રિનેfધ પચવા નિg” નિશ્ચિયથી સૂર્યોદય થતાં કૃષ્ણવાસુદેવ નેમનાથ - ભગવંતના ચરણમાં વંદન નમસ્કાર કરવા માટે ગયા છે. તે બાયર્થ ચા, વિસાયમાં , કથા, સુય મરચા, સિથ કાયા વરસડુ વાસુદેવા ભગવાન તે સર્વજ્ઞ છે, સર્વદશી છે, તેથી તેમના જ્ઞાનમાં કોઈ વાત અજાણ નથી. મેં ગજસુકુમાલ મુનિના માથે અંગારા મૂકીને તેમને મારી નાંખ્યા છે તે વાત તેઓ સારી રીતે જાણે છે. તેથી તેઓ કૃષ્ણવાસુદેવને કહી દેશે ને ગજસુકુમાલને મારનાર હું છું એમ જાણ જશે. “તેં – નન્નરૃ wહવાયુ મર્મ ન વિ કુમri મા#િરૂ નિટુમી ” ત્યારે કેણ જાણે કૃષ્ણ વાસુદેવ મને કેવા કર્મોતે મારી નાંખશે ! સમિલ બ્રાહ્મણે દુષ્કર્મ કર્યું છે તેથી તે વિચારે છે કે તેમનાથ ભગવાન તે અંતર્યામી છે. ઘટઘટની અને મનમનની વાત જાણી દેખી રહ્યાં છે. આ સંસારની કોઈ પણ ચીજ તેમનાથી અજાણું નથી. એટલે તેઓ જાણી ગયા છે કે ગજસુકુમાલ અણગારને મારનારે હું છું. તેમના રાનપ્રકાશમાં સ્પષ્ટ દેખાય છે કે ગજસુકુમાલ અણુગારના માથે માટીની પાળ બાંધી તેના ઉપર ધગધગતા અંગારા નાંખીને તેમની જીવનલીલા સમાપ્ત કરનાર મિલ બ્રાહ્મણ છે. હવે કૃષ્ણવાસુદેવ ભગવાનનાં દર્શન કરવા ગયા છે. તેઓ ભગવાન નેમનાથના દર્શન કરશે તેમજ બધા સંતનાં દર્શન કરશે, પણ પિતાના ભાઈ ગજસુમાલ અણુગારને નહિ દેખે એટલે ભગવાનને પૂછશે કે મારા ભાઈ જે ગઈ કાલે આપની પાસે દીક્ષિત થયાં છે તે ક્યાં ગયા? તે વખતે સર્વજ્ઞ એવા નેમનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહી દેશે કે તારા ભાઈ ગજસુકમાલ અણગારના માથે સોમિલ બ્રાહ્મણે અંગારા મૂકીને નિર્દય રીતે મારી નાંખ્યા છે, આ વાત નેમનાથ ભગવાન કૃષ્ણવાસુદેવને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy