SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન માટે ગયા. ગુરૂદેવની પ્રશાંત અને પવિત્ર મુખમુદ્રા જોઈને એકરની મિથ્યાત્વમી નિબિડ ગાંડ ઓગળી ગઈ, અને ગુરૂદેવની પાસે ધર્મશ્રવણ કરીને તરત તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને દાન, શીયળ, તપ, ભાવનામાં આગળ વધ્યો. પર્યુષણ આવતા જતાક પલ્લીપતિએ ઉપવાસ કર્યો. અને તબિયત બગડી. તરત ચાર શરણાં અંગીકાર કરી સમાધિ મરણે મરી જયતાક એક રાજકુમાર બન્યા. તે કોણ હતા ? અઢાર દેશના અધિપતિ કુમારપાલ રાજા. વધુ ભાવ અવસરે. ચરિત્ર - પાંડેને ઓળખાણ આપતે દિવ્ય પુરૂષ - હું સૌધર્મ દેવલોકના ઈન્દ્રને પ્રિય ધર્મવતંસક નામને દેવ છું. તમે સાત ઉપવાસ કરીને નવકાર મંત્રનું સ્મરણ કરવામાં સ્થિર બન્યા ત્યારે મારો ઉપયોગ અહી આવે. તેથી મારા અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે આપના ઉપર કૃત્યા રાક્ષસીને ઉપસર્ગ આવવાને છે. તે ઉપસી દૂર કરી આપને કષ્ટમાંથી મુક્ત કરવા માટે હું અહીં આવ્યું. મેં જ સૈન્ય બનાવ્યું અને દ્રૌપદીને લઈને હું જ ભાગી ગયે. સરેવરનું પાણી મેં ઝેરમય બનાવી દીધું. અને તમને બધાને ખૂબ તૃષાતુર બનાવ્યા. તમારા ભાઈઓ તમારા માટે પાણી લેવા ગયા ને તેઓ ખૂબ તરસ્યા રહેવાથી સરોવરનું ઝેરમય પાણી પીને બેભાન થઈ ગયા. પછી જે ભીલ આવ્યો અને દ્રૌપદી તથા કુંતાજને અહી લાવ્યો તે પણ હું જ હતું. આ બધી મારી માયા છે. કૃત્યો રાક્ષસી તમને મારવા માટે આવી હતી. તેને પણ મેં કહ્યું, કે આ મરેલાને શું ખાય છે? તને દુષ્ટ સુચને દગો કરીને અહીં મોકલી છે. એટલે તે સુરોચન બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈને ત્યાં ગઈને તેને મારીને યમપુરીમાં પહોંચાડી દીધું. હે પાંડવો ! તમે જંગલમાં બાર બાર વર્ષ સુધી ખૂબ કષ્ટો વેઠયાં પણ ધર્મ ન છોડે. તમારા ધર્મની શ્રધ્ધાના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તમને સહાય કરવા માટે આવ્યો ને તમારું દુઃખ દૂર કર્યું. હવે તમારા પાપકર્મો પૂરા થવા આવ્યા છે. ચેડા બાકી છે પણ ગભરાવાની જરૂર નથી. તમે નિર્ભયપણે આનંદથી રહેજે અને જયારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. તે હું અદશ્ય રહીને તમને સહાય કરીશ. પાંડ પણ પિતાના સહાયક દેવના ચરણમાં પડયા ને દેવ તેમને આશીવાદ આપીને ચાલ્યા ગ. સૂર્યનારાયણ પણ અસ્ત.ચલ ઉપર ચાલ્યા ગયા. પછી પાંડવે વિચાર કરવા લાગ્યા કે અહે! દુર્યોધનને આપણે બચાવ્યા છતાં તેણે દુષ્ટતા ન છેડી, પણ આપણને ધર્મ બચાવી લે છે. અનેક પ્રકારની ધર્મની વાત કરીને રાત્રી પસાર કરી. સવાર પડતાં પારણું કરતાં બધાએ ભાવના ભાવી કે કોઈ સંત સતીજી મળી જાય તે તેમને વહરાવીને પારણું કરીએ. ત્યાં મા ખમણના તપસ્વી પધાર્યા. ખૂબ હર્ષથી આનંદભેર ગૌચરી વહેરાવી અને બોલ્યા-ગુરૂદેવ! આજે અમારું જીવન ધન્ય બન્યું છે. તે વખતે દેવેએ આકાશમાં દુર્દશીના નાદ ગજાવ્યાં ને પાંડવોને જ્ય હે...વિજય હે એમ વિજયનાદ બેલાવી પંચ દિવ્યની વૃષ્ટિ કરી.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy