SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ છપર્ક શારદા દર્શન એ વીરા તારા વૈરાગ્યને જોઇને મારું હૈયું હેલે ચઢયું, એ પૂર વૈભવને છોડીને વિરતિ સ્વીકારતાં. ઊંચા આત્માને મારા વંદન કે આવા ત્યાગી આત્માને મારા વંદન હેજે હે વીરા ! તારે વૈરાગ્ય જોઈને મારું હૈયું આજ હેલે ચડ્યું છે. આવી મહાન સુખની સામગ્રી તને ના ગમી. અમે તને રાજસિંહાસને બેસાડે પણ તને તે એને સ્પર્શ પણ ન થયું. પાણીથી કમળ નિર્લેપ રહે છે તેમ તું રાજવૈભવથી ન્યારો જ રહ્યો. ધન્ય છે તારા ત્યાગ-વૈરાગ્યને ! તને મારા કેટી કેટી વંદન હે, વરઘોડે ચઢેલા ગજસુકુમાલ દેવકુમાર જેવા શુભતા હતાં. વરઘોડે દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય માર્ગે થઈને નેમનાથ ભગવાન જે ઉદ્યાનમાં બિરાજમાન હતાં તે તરફ ચાલ્યા. આખી દ્વારકા નગરીની જનતા હેલે ચઢી છે. અહો ! આપણા વાસુદેવ મહારાજાને લાડકવાયો દીકરો દીક્ષા લેવા ચાલે. સૌ તેનું સ્વાગત કરવા લાગ્યા. ધારી ધારીને તેના સામું જોવા લાગ્યા. અહો ! ગજસુકુમાલ કેવા સુંદર શેભે છે ! આવી કુમળી વયમાં દીક્ષા લેશે? જ્યારે વરઘેડો ભગવાનના સમસરણ પાસે પહોંચે ત્યારે ગજસુકુમાવના હૈયામાં હર્ષ સમતું નથી. બસ, હવે મારૂં કામ થઈ જશે. માતા ગજસુકુમાવને લઈને ભગવાન પાસે આવી અને આંખમાંથી આંસુ સારતી કહે છે તે મારા ભગવાન !' કે વહેરાવે આહાર પારે, કેઈવહેરાવે પાતરાની જેડ, પ્રભુજી મારા. હું રે વહેરાવું મારા નંદને, અનુમતિ દીધી માતાએ રોવંતા. આપને તે ઘણાં ભક્ત છે, કઈ આપને આહારપાણી વહોરાવશે, કઈ પાતરાની જેડ વહેરાવશે, કઈ વસ વહોરાવશે ને કોઈ બહુ સુખી હશે તે કાંબળી વહેરાવશે પણ હું તો આપને મારા હૈયાને હાર, કાળજડાની કેર, આંખની કીકી જે વહાલે મારે દીકરે વહેરાવું છું. આપ તેનું બરાબર જતન કરજે. આ બધું કે બોલાવે છે? માતાને મેહ છે ને ? ભગવાનની પાસે હજાર સંત હતાં. તે બધાં તપતાની માત લાડકવાયા જ હોય ને ? પણ ભગવાન તે જાણે છે કે પુત્રના મેહના કારણે આ બધું બેલે છે. દેવકીમાતા આંખમાંથી શ્રાવણ ભાદર વટાવતી કહે છે હે પ્રભુ! મારે વહાલે દીકરો હું આપને વહેરાવું છું. આપ તેને સર્વીકાર કરે, ત્યારે ભગવાને કહ્યું બહાપુ તેવાણુપિયા મા વહિવંધ જેહા” હે દેવાનુપ્રિયા ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરો. ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળીને ગજસુકુમાલ કુમારને એ હર્ષ થયે કે જેની સીમા નહિ. બસ આજે ભગવાને મારે સ્વીકાર કર્યો. તેથી તેને અલૌકિક આનંદ થયે. વૈરાગ્ય ગમે તેટલે ઉત્કૃષ્ટ હેય પણ ગુરૂ સ્વીકાર ન કરે તે દીક્ષા કયાંથી લઈ શકાય? એટલે સુપાત્ર શિષ્ય ગુરૂને મહાન ઉપકાર માને. તે મનમાં એકજ વિચાર કરે કે અહે ! મારા ગુરૂદેવે મને મહાવત રૂપી રને આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. એમણે મને ન્યાલ કરી દીધું છે. હું આખી જિંદગીભર શા,-૯૫
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy