SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કળશમાં પાણી ભરીને મનન કરાવ્યું. સારે વસ્ત્રાભૂષણે પહેરાવી રાજસિંહાસને બેસાડીને રાજતિલક કર્યું. “ત, જો જરકુમાર રાયા સાવ વિફાતિ ” એટલે ગજસુકુમાલ દ્વારકા નગરીના મહારાજા બન્યા. ગજસુકુમાલના રાજ્યાભિષેકની ખુશાલીમાં કૃષ્ણ વાસુદેવે કેદીઓને કેદમાંથી મુક્ત કર્યો. ઘણાં યાચકોને દાન દીધું. આ રીતે ખૂબ ઉત્સાહ મના. પિતાના ભાઈને ગાદીએ બેઠેલાં જોઈ તેમનું હૈયું હરખાઈ ગયું. દેવકીમાતા, વસુદેવ પિતા અને કણવાસુદેવ બધા ખુશ થયા. દેવકીજીના આનંદનો પાર નથી. એ ઈચ્છે છે કે આ મારો લાડકવાયે દીકરો સદાને માટે રાજ્ય કરે. " तए णं से गयसुकुमालं रायं अम्मापियरो एवं वयासी भण जाया। किं वा રયામો? દિ પાછામો? ફ્રિ વા તે હિચણિ ?” ગજસુકુમાલના માતાપિતા બે હાથ જોડીને મીઠા શબ્દો કહેવા લાગ્યા કે હે પુત્ર! તું કહે. અમે તને શું આપીએ? તું શું ચાહે છે? તારી શું ઈચ્છા છે? તું શું કરવા સમર્થ છે? આ પ્રમાણે માતાપિતાએ પૂછયું. કૃષ્ણવાસુદેવ પણ પાસે આવીને હાથ જોડીને કહે છે. અહીં મારા લઘુ બંધવા! તમે આજે અમારા રાજા છો. કહે, તમારી શું આજ્ઞા છે ? તમારી આજ્ઞા હોય તેમ અમે કરીએ. જુઓ, ત્રણ ખંડના અધિપતિ છતાં કેટલી નમ્રતા બતાવે છે. એમ નહિ કે હું મટે વાસુદેવ છું ને આ તે મારો નાનો ભાઈ છે. અહીં તે ન્યાય એટલે ન્યાય. ગજસુકુમાલને માતા-પિતા અને ભાઈ બધા હૈયાના ઉમળકાથી પૂછે કે “દીકરા! તારી જે ઈચ્છા હોય તે અમને કહે. તે પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. હવે ગજસુકુમાલ તેમને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર -“પ્રિયંવદ અને પાંડ વચ્ચે થયેલ વાર્તાલાપ” પ્રિયવંદ પાંડને કહે છે કે ચેડા સમય બાદ એકચક્ર નગરીને મુસાફીર ફરતે ફરતે હસ્તિનાપુરમાં આવ્યું. તેણે સમાચાર આપ્યાં કે પાંડ અમારી નગરીમાં પધાર્યા હતા. અમારી નગરીમાં બક નામના રાક્ષસને ભયંકર ઉપદ્રવ હતા. ભીમે બકરાક્ષસનો વધ કરી અમારી નગરીને ભયમુક્ત કરી. એમણે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આમ કહી મુસાફરે પાંડેની ખૂબ પ્રશંસા કરી. આ વાતની પાંડુરાજાને જાણ થઈ તેથી તેમણે મુસાફીરને પિતાના મહેલમાં બેલાવીને વાત પૂછી એટલે મુસાફરે બધી વાત વિસ્તારપૂર્વક પાંડુરાજા, વિદુરજી આદિ સર્વેને કહી સંભળાવી. બકરાક્ષસને મારવાથી આપની કીર્તિ દેશાવર સુધી પહોંચી ગઈ એ સુકીર્તિએ આપના શત્રુઓના મુખ કાળા બનાવી દીધા અને મિત્રના મુખ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યા. પાંડુરાજાએ શેકરૂપ કાદવ દૂર ફેંક્યો અને તે કાદવ દુર્યોધનના મુખ ઉપર જઈને શેકના રૂપમાં એંટી ગયે. પાંડ જીવતાં છે તે સાંભળીને દુર્યોધનની ઉંઘ ઉડી ગઈ તેની ભૂખ ભાગી ગઈ અને શું કરવું તેની સૂઝ પડતી નથી એ ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. એક દિવસ શકુનિએ દુર્યોધનને પૂછયું, બેટા! તને આટલું મોટું રાજય મળ્યું છે, તારી રાજ્યલક્ષમી અને તારે પ્રભારે વધતે જાય છે. સુખમાં કઈ જાતની કમીના નથી, છતાં તું ઉદાસ શા માટે રહે છે! તને શું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy