SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ સાત દાન ૧૦ ને બધુ લુ'ટાઈ ગયેલું જોઇ પાક મૂકીને રડવા લાગ્યા કે હાય...હાય....મારુ` બધું લૂંટાઈ ગયું. હવે શુ કરુ? ત્યારે શેઠાણીએ કહ્યું કે હવે હાય....હાય શુ કરી છે એ તમને કેટલી વાર ઢઢાળ્યા ને જગાડચા પણ તમે કહ્યું કે હું જાણુ' છું ને જાણું છું. પણ ઉઠ્યા નહિ. આવા તમારા જાગવામાં તે જાણવામાં ધૂળ પડી. પહેલેથી સાવધાન બન્યા હોત તે હેવું ન પડત. આ ન્યાય આત્મા ઉપર ઘટાવવા છે. સુમતિ રૂપી શેઠાણી ચેતનદેવ રૂપી શેઠને ક્ષણે ક્ષણે જગાડે છે કે હું ચેતનદેવ ! હવે જાગેા. પ્રમાદ અને કષાય રૂપી ચારો ક્ષણે ક્ષણે તમારુ આત્મિક ધન તૂટી રહ્યા છે. હવે જો તમે નહિં જાગે તે લૂંટાઈ જશે ને આયુષ્ય પૂરુ થતાં મામલે ખતમ થઈ જશે. માટે સમજીને જલ્દી જાગૃત બનો. • કૃષ્ણ વાસુદેવનો આત્મા જાગૃત થયેલા છે. તેમના મનમાં એક જ લગની છે કે ત્યારે મારા ત્રિલેાકીનાથ ભગવાનના દર્શન કરુ...! એમને ભગવાનના દન કરવાની લગની લાગી છે, ત્યારે સોંસારનાં રચ્યાપચ્યા રહેનારાઓને સંસારનાં સુખો મેળવવાની લગની છે અને ત્યાગી આત્માઓને જલ્દી કર્યાં ખપાવી મેાક્ષમાં જવાની લગની હાય છે. કઈક જીવાને સંસારમાં રહીને પણ આત્મજ્ઞાનની કેવી લગની લાગે છે. તે પ્રાપ્ત કરવા માટે કેટલું કષ્ટ સહન કરે છે તે એક દ્રષ્ટાંત આપીને સમજાવું. વૈષ્ણવ ધર્મોની માન્યતાવાળા એક રાજા હતા. એક દિવસ સાંજે તે મહેલની અગાશીમાં બેઠા હતા. આકાશમાં સ ંધ્યા સમયે લાલ, પીળા સેનેરી સુંદર રંગ દેખાવા લાગ્યા. આ જોઈ ને રાજાના મનમાં થયું કે કેવી સુંદર સધ્યા ખીલી છે! કેવું સુંદર દૃશ્ય દેખાય છે! રાજા તેના સામુ જોઈ રહ્યા હતા. જોતજોતામાં તે રંગા વિલીન થઈ ગયા. આ જોઈ રાજાના મનમાં થયું કે મારુ` જીવન પણ આ સંધ્યાના રંગ જેવું છે. હું મારા રાજ્ય, રાણીઓ, પુત્ર પરિવાર, સત્તા વિગેરેમાં આસક્ત બનીને બેઠો છું પણુ આ જીવન સધ્યાને વિલય થતાં વાર નહિ લાગે. હવે મારે એમાં અસક્ત ખતવું નથી. મારે બ્રહ્મજ્ઞાન મેળવવુ' છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મેક્ષ મળે છે. બાકી બધુ' મિથ્યા છે. આવે વિચાર આવવાથી આ રાજાને રાજ્ય, રાણીએ, પરિવાર કોઈ પ્રત્યે મમત્વ ભાવ ન રહ્યો. અનાસક્ત ભાવથી રાજ્યમાં રહેવા લાગ્યા. હવે તેમને ભાગવિલાસમાં આનદ આવતા નથી, બસ હવે એક જ લગની લાગી છે કે મારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવુ છે. કોઈ ત્યાગી મહાત્મા મળે તા તેમની પાસે જઈ બ્રહ્મજ્ઞાન મેળવું. આથી રાજા મહાત્માની ખાજ કરવા લાગ્યા. એને ખબર પડે કે કોઈ ત્યાગી મહાત્મા પધાર્યાં છે, તા તરત દોડીને તેમની પાસે જતાં. 46 રાજા સાચા ગુરૂની શેાધમાં ' :-દેવાનુપ્રિયા ! રાજાને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની લાગી છે એટલે ગુરૂની શેાધ કરવા ફરે છે ત્યારે તમે કેવા ભાગ્યવાન છે કે તમારા ધર્મગુરૂઓ તમને શોધીને એલાવે છે ને તમારા ઉપર કરૂણા કરીને તમને જગાડીને સાચા રાહુ બતાવે છે. આ રાજા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય ગુરૂની ખાજ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy