SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન દેવાનુપ્રિયે ! શ્રાવક ભાનભૂલ્યું હતું પણ સ્વધમી દઢ સમ્ભવધારી રાજાની ભક્તિ કરતાં ઠેકાણે આવી ગયે, ને પરસ્ત્રીને ત્યાગ કર્યો, અને તેનામાં ધર્મનું ઝનૂન જાણ્યું તમે પણ ધર્મનું ઝનૂન પ્રગટાવે. કૃષ્ણ વાસુદેવ દઢ સમકિતી હતા. દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે તેમની ખૂબ ભક્તિ હતી. સ્વયમી બંધુઓની સેવા કરવાને અવસર મળે તે પ્રેમથી વધાવી લેતા હતાં. આવા કૃષ્ણ મહારાજા હાથીના હોદે બેસીને દેવાધિદેવ નેમનાથ ભગવાનનાં દર્શને જઈ રહ્યાં છે. તે સમયે દ્વારકા નગરીના રાજમાર્ગમાં સખીઓની સાથે સેનાના દડાથી રમતી સેમિલ બ્રાહ્મણની પુત્રી સમાને કૃષ્ણ વાસુદેવે જોઈ. “સિત્તા સોમig તારિયા નવા ૨ લિપિ ” સમા એટલી બધી તેજસ્વી અને રૂપવંતી હતી કે તે સાદા વેશમાં ઉભી હોય તે પણ શોભી ઉઠતી હતી, ત્યારે આજે તે તેણે સુંદર વસ્ત્રો પહેર્યા છે, હીરાના દાગીના પહેર્યા છે. રૂપ, શણગાર અને તેની યુવાની પણ બરાબર ખીલી છે એટલે કઈ ઈન્દ્રની અપ્સરા જ ન હોય તેવી શોભતી હતી. સોમા તેની સખીઓની સાથે રમત રમવામાં મસ્ત હતી. આ રાજમાર્ગ ઉપરથી કેણ કયાં જાય છે તેમાં તેનું ધ્યાન ન હતું, પણ હાથી ઉપર બેસીને જતાં કૃષ્ણ વાસુદેવની દષ્ટિ તેના ઉપર પડી. માનું રૂપ, લાવણ્ય અને યૌવન જઈને કૃષ્ણ વાસુદેવને ખૂબ આશ્ચર્ય થયું કે અહો! આવી સૌંદર્યવાન પુત્રી કોણ હશે? આ બાલિકા જે કુંવારી હોય તે મારા લઘુ બાંધવને એગ્ય છે. કૃષ્ણજીને આ વિચાર કેમ આવ્યો ? ગજસુકુમાર માતાના ગર્ભમાં આવ્યા તે પહેલાં જ હરિણગમેલી દેવે તેમને કહ્યું હતું કે તમારે ના ભાઈ થશે પણ તે યુવાન થતાં દીક્ષા લેશે. તે જાણતાં હતાં પણ ભાઈ પ્રત્યેને મેહ છે એટલે માને જોઈને આ વિચાર આવે. સેમાનું રૂપ હતું સાથે તેનામાં બુદ્ધિ અને ગુણ પણ હતાં. ચતુર માણસ નેણ અને વેણ ઉપરથી મનુષ્યનું માપ કાઢે છે કે આ માણસ કે હશે, કૃષ્ણજી ચતુર હતાં. તેમની મુખાકૃતિ અને નેણ જેઈને પારખી ગયાં કે આ કન્યા રૂપ અને ગુણથી યુક્ત છે. તે બેલે છે તે મુખમાંથી જાણે અમી ઝરે છે. તેના મુખ ઉપર સૌમ્યતા દેખાય છે. માટે મારા ભાઈને ગ્ય છે. આ પ્રમાણે વિચાર કર્યો. “તા બં તે વાયુ શોર્ડવિચ પુણે સારુ, सहावित्ता एयं वयासी गच्छह णं तुब्भे देवाणुप्पिया! सोमिलं जाईता सोमं दारियं गेहह " કૃષ્ણ વાસુદેવ ખૂબ પ્રમાણિક હતા. નીતીથી રાજ્ય ચલાવતાં હતાં. એટલે એ વિચાર ન કર્યો કે કન્યાને પૂછી લઉં કે તું કુંવારી છું? કુંવારી હોય તે ઉપાડી લઈ જઈએ. એમ નહિ, પણ કૃણે પિતાના કૌટુંબિક પુરુષને બેલાવ્યા ને કહ્યું કે હે દેવાનુ પ્રિયે! તમે સેમિલ બ્રાહ્મણ પાસે જાઓ અને તેની પાસે આ કન્યાની યાચના કરે. કેટલી બધી પ્રમાણિક્તા છે. અને ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમની વાણીમાં કેટલે વિવેક છે! આગળના રાજાઓ કેઈને પણ તુંકારે બેલાવતા ન હતાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy