SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૪૭ અને તેઓ જે કંઈ મંગાવે તેનાથી ડબલ ચીજે મેલતે હતે. થડા દિવસ પાંડવો સાથે રેકા પણ એટલે પ્રેમ બતાવ્યું કે પાંડવે તે બરાબર ભરમાઈ ગયાં. કૃષ્ણને પણ એમ લાગ્યું ખરેખર દુર્યોધનને પશ્ચાતાપ થયે છે. દુર્યોધન ઈન્દ્રપ્રસ્થ ચાલ્યા ગયે ને પાંડ આનંદથી ત્યાં રહેવા લાગ્યા. કૃષ્ણજી પાંડને દુઃખમાં સહાય કરવા માટે આવ્યા હતાં પણ હવે તેમનું દુઃખ ચાલ્યું ગયું જાણુને કૃષ્ણ કહ્યું તમને સુખમાં જોઈને મને શાંતિ છે. તે હું દ્વારિકા જાઉં. પાંડ વારણાવતી રહ્યા એટલે હસ્તિનાપુરથી તેમના કુટુંબીજને ત્યાં આવી ગયા. તેમાં કૃષ્ણની લાડીલી બહેન અને અર્જુનની પત્ની સુભદ્રા અભિમન્યુને લઈને આવી હતી. ઘણા વખતથી સુભદ્રા પિયર ગઈ ન હતી એટલે કૃષ્ણ કહ્યું ઘણું વખતથી સુભદ્રા આવી નથી. માતા તેને ખૂબ ઝંખે છે. તે જો આપ કહે તે સાથે લઈ જાઉં. થોડા દિવસ રહીને મોકલી દઈશ. અને રજા આપી એટલે કૃષ્ણજી સુભદ્રા અને અભિમન્યુને લઈને દ્વારિકા આવ્યા ને બધાને પાંડવોનાં કુશળ સમાચાર આપ્યા એટલે સૌને ખૂબ આનંદ થયે. એક વખત સત્યવાદી ધર્મરાજા અને તેમનું કુટુંબ ભેગું થઈને બેઠું હતું ત્યારે બધા દુર્યોધનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે દુર્યોધન કે પવિત્ર બની ગયે! એણે આપણું દુઃખ મટાડી દીધું. કહેવાય છે ને કે આજને પાપી કાલે પુનિત બની જાય છે. આજને દાનવ કાલે માનવ બની જાય છે. તે અનુસાર દુર્યોધન આપણા માટે દૂર રાક્ષસ જે બની ગયું હતું પણ હવે તેની ક્રૂરતા ચાલી ગઈ. તે આપણા માટે કરૂણાવંત બની ગયો. એમ ખૂબ ગુણ ગાતાં હતાં તે સમયે શું બન્યું : ધર્મરાજાને મળેલ પત્ર -વિદરજીએ મેકલેલ પ્રિયંવદ નામને દૂત ફરતે ફરતે વારણાવતી નગરીમાં આવ્યું ને યુધિષ્ઠિરના ચરણમાં નમન કરીને ઉભે રહ્યો. ધર્મરાજાએ તેને ઓળખે એટલે વિદુરજીના કુશળ સમાચાર પૂછ્યા. તેથી દૂત યુધિષ્ઠિરને એકાંતમાં લઈ ગયે ને વિદુરજીએ આપેલે પત્ર યુધિષ્ઠિરના હાથમાં આપ્યો. એ કાગળમાં વિદુરજીએ શું લખ્યું છે તે ધર્મરાજા વાંચવા લાગ્યા. વિદુરજીએ પત્રમાં લખ્યું હતું કે હું મારા વહાલા ધર્મરાજા ! મેં પત્રમાં જે કાંઈ સમાચાર લખ્યા છે તે તમારા એકાંત હિતને માટે લખ્યો છે. તે તમે બરાબર વાંચીને વિચાર કરો. હવે ખાસ હકીક્ત જણાવું છું કે હું કોઈ કારણ પ્રસંગે ઈન્દ્રપ્રસ્થ ધૃતરાષ્ટ્ર પાસે ગયે હતું. ત્યારે અને દુર્યોધન બાપ-દીકરે બેઠા હતાં. ત્યાં દુશાસન અને કર્ણ આવ્યા અને દુર્યોધનને ચઢાવવા લાગ્યા કે તમે પાંડને હાલ તેર વર્ષ માટે વનમાં મૂકાયા છે પણ પછી તે આવશે ને? કદાચ તેરમે વર્ષે પકડાઈ જાય ને તમે પાછા બીજા તેર વર્ષ વનવાસ મોકલી દે પણ અંતે તે એ પાછા આવશે જ ને? જ્યાં સુધી એ તમારા દુમને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy