SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શને અને બિહામણ, એને જોતાં જ માણસ ડરી જાય તે કરમીર નામને એક રાક્ષસ આકાશમાંથી નીચે ઉતર્યો. તે ઊંચે તાડ જેવું હતું. તેના માથાના વાળ પીળા રંગના હતા. આંખ લાલચળ હતી ને મેટું વિકરાળ હતું. લાંબા સર્ષની માફક તે જીભ બહાર કાઢતે હતે. ક્રોધથી દાંત કચકચાવતું હતું અને ઘડીકમાં તે અટ્ટહાસ્ય કરતા હતા. આ રાક્ષસ સાક્ષાત્ યમરાજા જેવું દેખાતું હતું. ધર્મરાજા આદિ સર્વે આગળ ચાલતાં હતાં પણ દ્રૌપદી ખૂબ થાકી ગઈ એટલે તે એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠી હતી. ત્યાં પેલે રાક્ષસ ધમપછાડા કરતા આવીને દ્રોપદીને ડરાવવા લાગ્યા. આવા મહાકાળ જેવા રાક્ષસને જોઈને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આ સાંભળીને ભીમ ત્યાં દોડતે આવ્યો ને રાક્ષસને કહ્યું-દુખ ! તારે આવવું હોય તે અમારી સામે આવ ને ! એક સ્ત્રીની પાછળ શા માટે પડે છે ? શૂરવીર હેય તે શુરવીર સામે જાય પણ અબળા સામે ન જાય. આમ કહીને ક્રોધથી ધમધમતા ભીસસેને ગદાને પ્રહાર કરીને રાક્ષસનો વધ કર્યો. રાક્ષસ મરીને નરકમાં ચાલ્યા ગયે. આ દુષ્ટ રાક્ષસ દુર્યોધનને પક્ષપાતી હતું. એટલે પિતાના રાગીને પક્ષ લઈને પાંડેને હેરાન કરવા માટે આવ્યો હતે. પાંડેનું બધું લુંટી લઈને વનમાં મોકલ્યાં છતાં હજુ એમને હેરાન કરવામાં બાકી રાખતા નથી પણ જેનાં પુણ્ય પ્રબળ છે તેને કઈ વાળ વાંકે કરી શકતો નથી.. રાક્ષસ ઉપર વિજય મેળવીને પાંડવે તેમના પરિવારની સાથે આગળ ચાલ્યા, અને કામ્યફ નામના વનમાં આવ્યા. રેજ સતત ચાલવાથી બધા થાકી ગયા તેથી વિચાર્યું કે થોડા દિવસ વિસામો ખાવા રેકાઈએ, એમ વિચારી વનમાં રેકાયા ને છેડે થાક ઉતાર્યો, પણ ભૂખ ખૂબ લાગી હતી તેથી ધર્મરાજા, કુંતામાતા, પાંડુરાજા બધાં અર્જુનને કહે છે ભાઈ! ભૂખ બહુ લાગી છે, શું કરીશું? અર્જુનજી પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે જ્યારે વનમાં ગયા હતાં ત્યારે તેમણે મણીચૂડ વિદ્યાધર માટે વિદ્યાઓ સાધી હતી તે આજે એમને કામ આવી. અને વિદ્યાની શક્તિથી ભોજન તૈયાર કર્યું અને દ્રૌપદીએ બધાને પીરસ્યું. જમીને બધાએ સુધા શાંત કરી. આ રીતે જ્યારે બધાને ભૂખ લાગે ત્યારે અર્જુનજી પિતાની વિદ્યાના બળથી નવા નવા ભજન બનાવીને તૈયાર કરે અને દ્રૌપદી બધાને પ્રેમથી ભેજન પીરસતી. આ રીતે જંગલમાં મંગલ માની પ્રેમથી દિવસે વીતાવવા લાગ્યા. પુણ્યશાળીનાં પગલાં થાય છે ત્યાં જંગલમાં મંગલ બની જાય છે. પદ રાજાએ પાંડવોને તેડવા મોકલેલ ધૃષ્ટદ્યુમ્ન”:- દ્રૌપદીના પિતાજી દ્રપદ શજાને ખબર પડી કે દુર્યોધન સાથે ધર્મરાજા જુગાર રમ્યાં. તેમાં રાજપાટ બધું હારી ગયાં છે ને બાર વર્ષ માટે તેઓ વનમાં ગયા છે. તેઓ હાલ ક્યાં છે તેની તપાસ કરાવીને પિતાના પુત્ર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy