SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન વ્યાખ્યાન નં-૭૬ ભાદરવા સુદ ૧૪ ને સોમવાર તા. ૨૬-૯-૭૭ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ પિતાના મુખમાંથી અમોઘ ઉપદેશનો પ્રવાહ વહાવીને આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિતાપના ભઠ્ઠામાંથી ભવ્ય અને બહાર કાઢીને અમર સંદેશો આપે છે અને સંસાર રૂપી અઘોર વનમાં ભટકતા માનવીઓના પંથને ઉજાળનાર આકાશદીપ સમાન અંતગડ સૂત્રમાં અમૂલ્ય ભાવ રૂપી રને આપણને આપેલાં છે. આમ તે બત્રીસે બત્રીસ આગમમાં રને ભરેલાં છે પણ આપણે અત્યારે અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે એટલે તેની વાત કરીએ છીએ. અધિકારના નાયક ગજસુકુમાર બહેતર કળામાં પ્રવીણ બની ગયા છે. આ સંસારમાં ભૌતિક કળાઓ શીખવાડનાર કલાચા-કારીગરો ઘણું મળી આવે છે, પણ આત્માને કર્મની કેદથી મુક્ત કરાવનારા કુશળ કારીગરે બહુ થડા મળે છે. ગજસુકુમારને કુશળ કલાચાર્ય ભૌતિક કળાઓ શીખવાડી પણ આત્માને કર્મની કેદમાંથી મુક્ત બનાવનાર કુશળ કિમિયાગર હવે મળવાના છે. વસુદેવ પિતા અને દેવકી દેવી માતાના લાડકવાયા નંદ છે અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને લાડકવાયો લઘુભાઈ છે. એને સૌ ખમ્મા ખમ્મા કરે છે. પાણી માંગતા દૂધ મળે છે. આવા ગજસુકુમારે બાળવય વટાવીને યુવાનીના પગથિયે પગ મૂક્યું. માતા પિતાએ જાણ્યું કે હવે આ ગજસુકુમાર ભેગ ભેગવવાને ચગ્ય થયે છે માટે હવે તેના લગ્ન કરીએ. દેવકી માતાના એને રમાડવાના, ખેલાવવાના બધા કોડ પૂરા થઈ ગયા. હવે એને પરણાવવાના કેડ બાકી છે. તે પૂરા કરવા છે. હવે ત્યાં શું બને છે તે જોઈએ. " तत्थणं बारावईए नयरीए सोमिले नाम-माहणे परिवसइ रिउव्वेय जाव सुपमिट्टिए ચારિ ઘોઘા તે દ્વારકા નગરીમાં અવેદ આદિ ચારેય વેદમાં અને વેદાંગમાં પરિ. નિષ્ઠિત તથા ધન ધાન્યાદિથી સમૃદ્ધ સમિલ નામને બ્રાહ્મણ રહેતું હતું. તમને એમ થશે કે આપણે તે ગજસુકુમારની વાત ચાલતી હતી ને વચમાં આ બ્રાહ્મણની વાત ક્યાંથી આવી ગઈ? તે સાંભળે. જેને અધિકાર ચાલતું હોય તે આત્માઓની સાથે સાથે જે જે મનુષ્ય સબંધ ધરાવતાં હોય છે તેમનાં નામ શાસ્ત્રમાં લખાય છે. દ્વારકા નગરીમાં ઘણું બ્રાહ્મણે વસતાં હતાં, છતાં બીજા કેઈની વાત ન આવી અને રોમિલ બ્રાહ્મણની વાત કેમ આવી? તેનું કારણ એ છે કે ગજસુકુમાર સાથે તેને સંબંધ રહે છે. આ સેમિલ બ્રાહ્મણ એ કોઈ સામાન્ય જે તે ન હતે પણ વિપુલ સમૃદ્ધિને સ્વામી હતે. અદ્ધિમાં કેઈથી પરાભવ પામે તેવો ન હતો. આટલે સુખી હતું છતાં એના ધર્મનું જ્ઞાન કેટલું હતું ? તમને તમારા ધર્મનું જ્ઞાન છે? આજના સંપત્તિશાળી શ્રીમતેના ઘરમાં ધર્મનું જ્ઞાન શા-૭૬
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy