SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ જાતનું દુઃખ, દર્દ કે દેષ નથી. ત્યાં કોઈ જાતની આધિ, વ્યાધિ કે ઉપાધિ નથી. ગંદકીનું નામ નિશાન નથી. કેઈ જાતનો ભય નથી. ભૂખ કે તરસનું દુઃખ નથી. ત્યાં કઈ ઈચ્છા, પરતંત્રતા કે બંધન નથી. ત્યાંનું સુખ અખૂટ છે. એ સુખનો ભંડાર કદી ખૂટતું નથી. એકાંત સ્વાભાવિક સુખ, આનંદ અને જ્ઞાનમાં મસ્ત રહેવાનું છે. એક વખત પરમ પુરૂષાર્થ ખેડીને મિક્ષમાં પહોંચી ગયા પછી ત્યાંથી આપણને કોઈ કાઢી શકતું નથી. તમે મહિને હજાર રૂપિયા ભાડું આપીને ફલેટમાં રહે પણ કયારે એને માલીક ખાલી કરાવશે તેની ખાત્રી નથી. કારણ કે એ ભાડાનું ઘર છે. અને મોક્ષ એ જીવનું શાશ્વતું ઘર છે. ત્યાં સદા આનંદથી રહેવાનું છે. ત્યાં કઈ પ્રકારની વાસના, તૃષ્ણા કે આશા રહેતી નથી. ત્યાં ગયેલે આત્મા ન્યાલ બની જાય છે. બંધુઓ ! આવું શાશ્વત ઘર અને શાશ્વત સુખ મળી ગયા પછી કઈ જાતની ઈચ્છા રહે ખરી? પરમપદ એટલે પરમશાંતિનું ધામ અને પૂર્ણતાની ટેચ. આવું અસલી સુખથી ભરેલું ઘર મળ્યા પછી જીવને ઘર બદલવાની ચિંતા રહેતી નથી. એટલે કે જન્મ, જરા, મરણ, રોગ, શોકનું નામ નિશાન નથી રહેતું. જન્મ-મરણ-રોગ-શોક-ભૂખ તરસ, સંયોગ, વિગ આ બધું જ્યાં શરીર છે, ત્યાં જ છે ને ? પણ જ્યાં શરીર નથી ત્યાં આ બધી ઝંઝટ ટળી જાય છે. આવા પરમપદ મોક્ષમાં પહોંચવા માટે રાત્રયીની આરાધના કરી લે. જેણે રત્નત્રયીની આરાધના કરી છે તે આત્માએ મેક્ષમાં ગયા છે. બેલ, મોક્ષમાં જવું છે ને? જવું હોય તે રત્નત્રયીની આરાધના કરે. આપણાં અધિકારના નાયક ગજસુકુમાલને જન્મ મહોત્સવ ઉજવાશે અને તેમનું નામ પાડયું. હવે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે ગામે ગાવ મેળામત્યે જાપ જાય ત્થા / ગજસુકુમાલના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃતાંત મેઘકુમારની જેમ જાણી લે. એટલે કે જેમ મેઘકુમારને તેની માતાએ લાલનપાલનથી ઉછેર્યો હતો તેમ ગજસુકુમાલને પણ ખૂબ લાડકોડથી ઉછેર્યા હતા. દેવકીમાતાને દિકરાને ઉછેરવાના જે કેડ હતા તે આજે પૂરા કરવાને સમય આવે. ગજસુકુમાલને જોઈને દેવકીને હર્ષ સમાતો નથી. ગજસુકુમાલને ઉછેરવા માટે પાંચ પ્રકારની ધાવમાતાએ રાખવામાં આવી. “રધારા, માધાપ, માળાપ કરાવધા[૫, સંવાધારૂપ ” ક્ષીરપાત્રી, મંડનધાત્રી, મજજનધાત્રી, કીડનધાત્રી, અંકધાત્રી, એમાં દૂધ પીવડાવનારી ધાત્રી તે ક્ષીરપાત્રી, વસ્ત્રાલંકાર પહેરવાવાળી ધાત્રી તે મંડન ધાત્રી, નાન કરાવનાર ધાત્રી તે મજજનધાત્રી, રમત રમાડનાર ધાત્રી તે ક્રીડનધાત્રી, અને અંક એટલે ગેદમાં લેનાર અંકધાત્રી. ગજસુકુમાલને ઉછેરવા માટે વસુદેવરાજાએ આ પાંચ પ્રકારની ધાત્રીઓ રાખી હતી. પાંચ પ્રકારની ધાત્રીએ બળે રાખવામાં આવી હતી. કારણ કે જે એક ધાત્રી બિમાર થાય ને તે જે બાળકને દૂધપાન, સ્નાન વિગેરે કરાવે તે બાળકને હાની પહોંચે એટલે જે એક બિમાર પડે તે બીજી ધાત્રી તેનું કામ સંભાળી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy