SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પર શારદા દર્શન સ્વાથ પર્વ મિત્ર જેવું ગયું પણ જ્ઞાની પુરૂ કહે છે કે જો તું ધારે તે કાયા અને કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવી શકે છે. જુઓ, સંપ્રતિ રાજાના જીવ ભિખારીએ કાયાને ચારિત્ર ધર્મમાં જોડીને છકાય જીવોની રક્ષક બનાવી અને અંતે શુભ ભાવના ભાવી તે એ કાયાએ એને સમ્રાટ સંપ્રતિ બનાવ્યું, અને એ સમ્રાટ સંપ્રતિએ પણ કાયાને શાસન પ્રભાવના અને સાધુ સેવામાં જેડી તે એ કાયાથી એણે ઘણું પુણ્યની પુંજી ઉપાર્જન કરી. બોલે, કાયા પણ કલ્યાણ મિત્ર બની કે નહિ! આ રીતે કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવી શકીએ છીએ. કેવી રીતે! કુટુંબને કલ્યાણ મિત્ર બનાવવા માટે સ્વાર્થને ત્યાગ કર જોઈએ. તમારા પત્નીને, નેકર ચાકરોને અને કુટુંબીજનોને સંસારના પાપના કામમાં જોડી રાખે, એમને ધર્મ કરવાની તક ન આપો તે એ કેવી રીતે ધર્મ પામશે? તમે તમારા કામને લેભ છેડીને તેમના પરલોકની ચિંતા કરી તેમને ધર્મ પમાડશો તે તે અવસરે તમને કલ્યાણ મિત્ર જેવી સહાય કરશે. માટે કાયા અને કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવે. હવે આપણે ચાલુ અધિકાર કૃષ્ણવાસુદેવ દેવ પાસેથી વચન લઈને હર્ષભેર દેવકીમાતાના મહેલે આવ્યા અને માતાને વંદન કર્યા. પછી માતાને શું કહે છે? होहित्तिणं अम्मा ! मम सहोदरे कणीयसे भाऊत्ति कटु देवई देवि इठाहिं जाव માતા, માતાપિત્તા નામેવ સિં વાકુકમા તામગ વિત્ત પરિપI” હે માતા! મારે એક નાનો ભાઈ થશે તેમ દેવનું વચન છે. માટે તમે ચિંતા ના કરે, તમારે મોરથ પૂર્ણ થશે. આ પ્રકારનાં ઈષ્ટ, મને હર અને મનેસ વચનેથી કૃષ્ણવાસુદેવે દેવકી દેવીને સંતુષ્ટ કર્યો. આ પ્રમાણે માતાને સંતોષ આપીને કૃષ્ણજી તેમની પાસેથી ચાલ્યા ગયા. કૃષ્ણવાસુદેવ તે ઘણી પ્રવૃત્તિવાળા હતાં. એમને એક મિનિટને ટાઈમ ન હતું. તમે જ વિચાર કરો કે જે પિતાની માતાના દર્શન કરવા માટે છ મહિને એક વાર આવતાં હતાં તેમને કેટલી પ્રવૃત્તિ હશે! આટલી પ્રવૃત્તિ હોવા છતાં માતાનું દુઃખ દૂર કરવા માટે પૌષધશાળામાં અઠ્ઠમ લગાવીને બેસી ગયા. કેવી એ પુણ્યવંતી માતા અને કેવા વિનયવંત દીકરા હશે ! આજના છેકરાને તે માતા-પિતાની વાત સાંભળવાને પણ ટાઈમ નથી. મા-આપ માંદા હેય તે ખબર લેવા જવાનું ટાઈમ નથી મળતે પછી સેવા કરવાની તે વાત જ કયાં? - કૃષ્ણવાસુદેવ કહીને ગયા કે હે માતા! મારે નાનો ભાઈ થશે એટલે દેવકીમાતાના હૈયે હર્ષ સમાતું નથી. હવે તેમના મનમાં જે ચિંતા હતી તે દૂર થઈ ગઈ હતી અને આનંદથી રહેતાં હતાં. ત્યાં શું બનાવ બન્યો? “તપ ના લે તેવી અમા થયા તંતિ તારિરિ નાવતી કુમળે urfસતા પરિવુ ” એક દિવસ દેવકીમાતા છત્રપલંગમાં મખમલની કેમળ શૈયામાં સૂતા હતા. તેઓ કંઇક ઉંઘતા ને કંઈક જાગતાં એવી અવસ્થામાં હતા. તે સમયે દેવનાં કહ્યા પ્રમાણે દેવલેકમાંથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy