SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શન ‘જરૂર છે. તપની તાકાત ઘણી અજબ ગજબની છે. તપ એ માંગલિક વસ્તુ છે. તપ - કર્યા વિના શરીરને ભોગવવું એ મૂઈને સાફ કરવા જેવું છે, અને તપ દ્વારા શરીરને ‘પયોગ કરે એ મૂડીને તિજોરીમાં મૂકવા જેવું છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણ કરવા માટે તપ રૂપી કિટલાની જરૂર છે. બાકોમિકની બાર દવાઓ ગમે તેવા રોગોનો નાશ કરે છે તેમ જૈનશાસનને બાર પ્રકારના તપે આત્માના ગમે તેવા રોગને નાશ કરે છે. તેમજ શરીરના રોગોને પણ નાશ કરે છે. તપથી લબ્ધિ પ્રગટ થાય છે. તપ કરવાથી કષ્ટ સહન કરવાને અભ્યાસ પડે છે તેથી દુઃખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છેડયા વગર તપ થતો નથી. એટલે તપ એ સુખની સામગ્રીને છેડવાનું શીખવાડે છે. તપ એ જીવનના ઉત્થાનને સર્વોપરી માર્ગ અથવા સર્વોપરી સાધન છે. તપ કરવાથી આત્મા સર્વોચ્ચપદ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. ભગવાન મહાવીરે નંદરાજાના ભવમાં દીક્ષા લઈને ૧૧ લાખ ને ૮૧ હજાર માસખમણ ર્યા ને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ભગવાને મોક્ષ પ્રાપ્તિના સાધનમાં સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યક્તપને માન્યા છે. તથા બીજા પ્રકારથી મોક્ષ સાધનામાં દાન, શીયળ, તપ અને ભાવને પણ ઘણું મહત્વ આપ્યું છે. આ બન્ને સાધનામાં તપને ઉલલેખ કરામાં આવ્યો છે તેથી તપનું સ્થાન અનિવાર્ય છે. તપથી પૂર્વે કરેલા કર્મોની નિર્જરા થાય છે. આચાર્ય હેમચન્દ્ર પણ કહ્યું છે કે “સ મf નિ, સુવ વહિના . तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥" જેવી રીતે માટીથી લેપાયેલું સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે તેવી રીતે તપ રૂપી અગ્નિમાં તપીને આત્મા શુદ્ધ અને પવિત્ર બને છે. તપ એ આભાની બ્રેક છે. મોટર ખૂબ સ્પીડમાં ચાલતી હોય, સુંદર હોય પણ તેને બ્રેક ન હોય તો કયારેક એકસીડન્ટ સઈ દે છે. હેડી કે સ્ટીમરની અંદર ગમે તેવી એશ આરામની સામગ્રીઓ હેય, રેડિયે, પંખે, એરકંડીશન, બધું હોય પણ હોડમાં છિદ્ર હોય તે એ હોડી ડૂબાડે છે, તેમ જીવન એ હેડી છે. સંસાર ભયંકર સાગર છે. તપ દ્વારા જીવન રૂપ હેડીના છિદ્રને વેલ્ડીંગ કરાય તે સંસાર સાગરને સારી રીતે તરી શકાય. ભગવાને રસેન્દ્રિય ઉપર કાબૂ મેળવવા માટે તપ કર્યો છે. તે અનેક રીતે જીવને લાભ કરે છે. બધી સંજ્ઞાનું મૂળ આહાર સંજ્ઞા છે. જ્યારે તમે આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે. જે આત્માને સમજાઈ જાય છે. તે આહાર સંજ્ઞા અદિ ચારે સંજ્ઞાઓને તેડવાનો પુરુષાર્થ કરે છે. . . . . - ભવરોગને નાબૂદ કરવા માટે તપ અને સંયમ એ અકસીર ટેલેટ છે, આપણા છે અને છે. તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy