SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન શારદા દેશ વ્યાખ્યાન ન ૫૪ શ્રાવણ વદ ૪ ને ગુરૂવાર તા. ૧-૯-૦૭ અનંત ગુણનિધાન, અનંત ઉપકારી શ્રી તીથંકર દેવા જગતના જીવેાના દુઃખાને દૂર કરવા માટે અમૂલ્ય ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે જીવ! ! જો તમારે સાચુ ને શાશ્વત સુખ મેળવવું હોય તેા ધર્માંનું શરણું અંગીકાર કરો. ધની આરાધના કરનાર મહાન સુખી અને છે. વધુ તો શું કહુ, ધમ એક એવી ચીજ છે કે દેવા પણ ધર્મ કરનારને વશ થઇ જાય છે. દેવા તેા મહાન વૈભવ, સત્તા અને શક્તિવાળા છે છતાં પણ તે ધર્માત્માને વશ થઈ જાય છે. એટલે તે કહે તે કામ કરી આપે છે ને એના મનમાં એવા કેડ જાગે છે કે આ ધર્માત્માની હુ' શું સેવાભક્તિ કરું...! આ રીતે દેવ સેવા કરવા તૈયાર થાય ત્યારે તે ધર્માત્મા પુરૂષા નિસ્પૃહ બની જાય, કાઈ ની સેવા ના લે. એક વખતનો પ્રસંગ છે. એક દેવ સીમ`ધર ભગવાનની દેશના સાંભળવા ગયા. ત્યાં તેમણે ભગવાનના મુખેથી નરક નિગેાદનું વર્ણન સાંભળ્યુ, ત્યારે દેવે વિનયપૂર્ણાંક વંદન કરીને ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવ ́ત ! આવુ. વર્ણન કરનાર ભરતક્ષેત્રમાં કાઈ છે ? ભગવંતે કહ્યું–હા, છે. ભરતક્ષેત્રમાં કાલિકસૂરિજી નામના વિદ્વાન આચાય છે. દેવ ત્યાંથી ભરતક્ષેત્રમાં આવ્યે અને જ્યાં કાલિકસૂરિજી વિચરતા હતાં ત્યાં પહેાંચી ગયે. દેવની શક્તિ તેા અલૌકિક હોય છે. એક ચપટી વગાડીએ ત્યાં તે જ બુદ્વીપને ફરતાં સાત આંટા મારી આવે. તેને મહાવિદેહમાંથી ભરતક્ષેત્રમાં આવતાં શી વાર ? દેવ મનુષ્યનું રૂપ લઈ ને કાલિકસૂરિજી પાસે આવ્યો ને વંદન કરીને પૂછ્યું-મહારાજ મેં સાંભળ્યું છે કે નિગેાદના જીવેા છે તે તેનું સ્વરૂપ કેવું હાય તે મને સમજાવે. વીતરાગના સતા તે કરૂણાના સાગર હોય છે. જે કેઇ એની પાસે જ્ઞાનામૃતનું પાન કરવા માટે આવે તેને પ્રેમથી જ્ઞાન આપે છે. દેવ પાસે આચાર્ય ખૂબ વિસ્તારપૂર્વક નિગેાદના સ્વરૂપનું વર્ણન કર્યું. આ સાંભળીને દેવને ખૂબ આશ્ચર્ય થયું કે અહે ! જેવુ' મે' ભગવાન પાસે સાંભળ્યું હતું તેવું જ અહી' સાંભળવા મળ્યુ. સંત કહેભાઈ ! અમે ભગવાનની વાણીના આધારે કહીએ છીએ. અમારે આધાર શાસ્ત્ર છે. આ સંત મહાવિદ્વાન અને બહુશ્રુત હતાં. તેમની પાસેથી સાંભળીને દેવને ખૂબ આનંદ થયેા. ફરીને મનમાં થયુ` કે હવે ખીજું કાંઇ પૂછું'. એટલે પેાતાની હથેળીને બતાવીને કહ્યું કે મહારાજ આપ ખૂબ જ્ઞાની છે. આપ કહે। કે મારુ આયુષ્ય કેટલું છે ? તરત જ સંત ખેલ્યા કે તું ભરતક્ષેત્રનેા માનવી નથી, ત્યારે દેવ ચરણમાં પડીને કહે છે. ગુરૂદેવ ! ક્ષમા કરો. હું દેવલાકના દેવ છું. હું... સીમંધર ભગવાન પાસે ગયેા હતા. ભગવાને નરક નિગેાદનું વર્ણન કર્યુ તે સાંભળીને મારા રોમાંચ ખડા થઈ ગયા. પછી ચા. ૧૪
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy