SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન શાંતિનાથ ભગવાનના જીવે મેઘરથ રાજાના ભવમાં એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે શરણે આવે તેનું રક્ષણ કરવું તેને અભયદાન આપવું. એ પ્રતિજ્ઞા પાલનમાં પિતાના પ્રાણનું બલિદાન દેવું પડે તે દેવા તૈયાર હતા. મેઘરથ રાજાના જીવનમાં એક વાર કસેટી આવી. મેઘરથના ખેાળામાં ભયથી તરફડતું પારેવું આવીને પડયું, ત્યારે બાજે કબૂતરની માંગણી કરતાં કહ્યું -રાજન! એ કબૂતર મારો શિકાર છે. મારું ભેજન છે માટે મને સેંપી દે. ભાઈ! કેઈને પણ છવ કેઈનું ભોજન નથી. જીવની હત્યા કરી તું શા માટે નરકને આમંત્રે છે? અને આ કબૂતર મારા શરણે આવેલું છે. શરણે આવેલાનું રક્ષણ કરવાને મારે ધર્મ છે. તારે જોઈએ તે તેના વજન જેટલું અનાજ આપું. રાજન! મારે અનાજ ન જોઈએ. મને તે માંસ ખપે છે. તમે એનું માંસ આપે કાં તેનું વજન જેટલું તમારું માંસ આપ તે મને આનંદ થાય. ઠંડક વળે. રાજાએ ત્રાજવા મંગાવી એક પલ્લામાં પારેવું ને બીજા પલ્લામાં પિતાની જાંઘમાંથી માંસ કાપીને મૂકવા માંડયું. આ દશ્ય જોતાં જેનારાનાં રૂંવાડા ઉભા થઈ જાય પણ રાજા શું વિચારે છે? હે આત્મા! આજે આનંદને દિવસ છે. આજ તારું માંસ એક જીવને બચાવવામાં કામ આવી રહ્યું છે. તું જરા દુઃખી ન બનીશ. આ નાશવંત દેહ આખરે અગ્નિમાં જલી જવાનું છે. આ વિનાશી દેહથી અવિનાશી આત્માની સંપત્તિ મળી રહી છે. એક નિર્દોષ જીવને અભયદાન મળી રહ્યું છે માટે તું આનંદ પામ, આમ વિચારતાં જાંઘમાંથી માંસ કાપતા જાય ને પલ્લામાં મૂક્તા જાય, પણ પારેવાનું પલ્લું નમે નહિ. આખી જાંઘ માંસ વિનાની થઈ ગઈ. પછી બીજા અંગો કાપવા માંડયા. છેવટે પિતે આખા પલ્લામાં બેસી ગયા. રાજાની દઢતા જોઈ ત્યાં દેવે પ્રગટ થયા અને મેઘરથની દયાને જયનાદ કર્યો. આ જ આત્મા શાંતિનાથ ભગવાન બન્યા. તેમની દયાના પ્રભાવે માતાના ગર્ભમાં આવતાં જનતાને મરકીને રોગ મટાડે. (પૂ. મહાસતીજીએ આ વાત સુંદર છણાવટથી સમજાવી હતી પણ અહીં તેને સાર લખે છે. અને પ્રતિજ્ઞામાં દઢ રહેવા ટકોર કરી હતી.) સુલશાની હૃદયપૂર્વકની ભક્તિથી હરિણગમેષી દેવ તેના ઉપર પ્રસન્ન થયે. જેના ઉપર દેવ પ્રસન્ન થાય છે તેનું કામ થઈ જાય છે, અને એની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે. એટલે અહીં હરિણગમેષ દેવે શું કર્યું?: “તર રિસી યે सुलसाए गाहावइणीए अणुकंपट्टाए सुलस गाहावइणिं तुमं च णं दोवि समउठयाओ करेइ, તt of 7 વિ તયમેવ જમે Iિ ” નેમનાથ ભગવાન કહે છે કે દેવકીદેવી ! તે સુલશા ગાથાપત્નીનું દુઃખ દૂર કરવા માટે તેના ઉપર પ્રસન્ન થયેલે હરિણગમેલી દેવ સુલશાની અનુકંપાને લીધે સુલશા ગાથાપત્નીને અને તને એક જ દિવસે તુમતી કરતે હતે. અને તમે બંને એક સાથે ગર્ભવતી બનતી હતી. કદાચ તમને એમ થશે કે આવું કેમ બને ? ભાઈ ! દેવેની શક્તિ અગાધ હોય છે, તે ધારે તે કરી શકે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy