SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મુક્ત મુનિએ કહ્યું હતું તે કાળે ને તે સમયે ભીલપુર નગરમાં નાગ નામના ગાથા પતિ વસતા હતા. તેમની પાસે ધનનું ને ધર્મનું બળ હતું. ઋદ્ધિમાં કેઇનાથી તે પરાભવ પામે તેવા ન હતા. સારી ભદલપુર નગરીમાં તેની ખૂબ પ્રતિષ્ઠા હતી. આવા નાગ ગાથા પતિને સુલશા નામની પત્ની હતી, સુલશા ખૂબ ગુણવાન અને વિવેકી હતી. પતિ સારે હાય, પાંચમાં પૂછાતા હોય, ઘર મઝાનું સુંદર હોય પણ જો પત્ની સારી ન હોય તે તેની શોભા મારી જાય છે. સારી ને સુશીલ પત્નીથી ઘરની શોભા વધે છે. પત્ની સારી હોય તે પતિને ઉજજવળ બનાવે છે ને પુત્ર સારો હોય તે પિતાને ઉજજવળ બનાવે છે. એક જમાનો એ હતું કે પિતા પિતાના પુત્રની પરીક્ષા કરતા હતા કે ત્રણ–ચાર પુત્ર છે તેમાં કર્યું પુત્ર મારી પ્રતિષ્ઠા વધારે તે થશે ? એક પિતાને ત્રણ પુત્ર હતાં. ત્રણે મેટા થતાં તેના પિતાએ વિચાર કર્યો કે હું તેમની પરીક્ષા કરું. એક દિવસ ત્રણ પુત્રોને પિતાની પાસે બોલાવીને ત્રણેને સવા સવા રૂપિયા આપીને કહ્યું કે તમે સવા રૂયિયામાંથી પિતાપિતાનો રૂમ ભરી દેજે. પછી હું જેવા માટે આવીશ. મેટે પુત્ર વિચાર કરવા લાગે કે સવા રૂપિયામાંથી શું લાવું? કે આખો રૂમ ભરાઈ જાય. એ શેરીની બહાર નીકળે ને ગામને કચરો મંગાવી રૂમ ભરી દીધે. બીજા દીકરાએ સવા રૂપિયામાં નકામું ઘાસ લાવીને ભરી દીધું અને ત્રીજા દીકરાએ સવા રૂપિયાની ધૂપસળી લીધી ને પિતાજીના આવવાના ટાઈમે સળગાવી. આથી રૂમ સુગંધથી મહેકી ઉઠશે. પરીક્ષક પિતાજી નિરીક્ષણ કરવા નીકળ્યા. આવીને જોયું તે મોટા દીકરાએ કચરાથી ઘર ભરી દીધું છે. બીજાએ ઘાસ ભર્યું છે અને ત્રીજાએ પિતાજીના આવતા પહેલાં ધૂપસળી સળગાવીને ઘર સુગંધથી મઘમઘતું બનાવ્યું છે. બેલે, બાપની નજર કયા દીકરા ઉપર ઠરે? નાના દીકરાની બુદ્ધિ ઉપર ખુશ થઈને પિતાએ તેને તિજોરીની ચાવી અને દુકાનને વહીવટ મેંપી દીધે. બીજા નંબરના પુત્રને વખારનું કામ સોંપ્યું ને સૌથી મોટાને ઢોર સંભાળવાનું કામ સોંપ્યું. ટૂંકમાં જે દીકરો બુદ્ધિવાન હોય તે પિતાની પ્રતિષ્ઠા, આબરૂને વધારે છે અને ઘરની સ્ત્રી સારી હોય તે પતિની ઈજજત વધારે છે. સુલશા ગાથાપત્ની ખૂબ પવિત્ર અને સુશીલ હતી. એ સુલશા જ્યારે યૌવનના આંગણે આવી ત્યારે સખીઓની સાથે ખેલતી ને કૂદતી હતી તે સમયે એક તિષી આવ્યો. તે તિષી કે હતો ? “ સુરતા મારુ વાઢત્તને વેવ નિમિત્તપમાં વારિયા પત્તાં રિયા બિંદુ મવિન” ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાતના જાણકાર મિત્તકે આ સુલશાને કૌમાર્યાવસ્થામાં રમતી જોઈ, આગળના તિષીઓને હાથ જેવાની જરૂર પડતી ન હતી. માણસનું મુખ જોઈને કહી દેતા અને જે કહે તે સત્ય બનતું. આ જ્યોતિષી પણ ખૂબ જાણકાર હતો. તેણે સુલશાને જોઈને તેના પિતાને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy