SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા થવા હું કેટલી ધમાલ ને ધાંધલ કરી રહ્યો છું ! જિંદગી તે બધાની જવાની છે. ડબલ રૂમમાં વીતી જવાની અને લાખો રૂપિયાના વિશાળ રજવાડી બ્લેકમાં પણ વીતી જવાની છે. હવે કેટલું જોઈએ છે ? આ બધું ભેગું કરવાની બળતરામાં અંતરમાં હોળી સળગ્યા કરે છે અને તે કારણે જીવન જીવવાને આનંદ, સુખ અને શાંતિ પ્રાપ્ત થતી નથી. આવું તમારું સુખ શા કામનું ? આ બળતરાને ઓછી કરવી હોય તે સંતેને સમાગમ કરે. સંત સમાગમ થતાં જીવનમાં સંતોષ આવશે. સંતેષ આવશે તે આત્મ સ્વરૂપની પીછાણ થશે, આત્મ સ્વરૂપની પીછાણ થશે તે તમે સવસ્તુને શોધી શકશે અને સવસ્તુને શોધશે તે સંસારનું પરિભ્રમણ અટકશે. આપણે અંતગક સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તે વાત હમણાં આઠ દશ દિવસથી મૂકાઈ ગઈ છે. તેને આજે યાદ કરીએ. દ્વારકા નગરીમાં ત્રણ સંઘાડે નીકળેલા સંતે વારાફરતી કૃષ્ણ વાસુદેવની માતા દેવકીદેવીના મહેલે આવ્યા અને દેવકીને જે શંકા થઈ તે પૂછ્યું. હવે તેનું સમાધાન કરવા દેવકીજી રથમાં બેસીને મનાથ ભગવાન પાસે ગયા. તેમનાથ પ્રભુને વંદન કરીને ઉભા રહ્યા. ત્યાં નેમિનાથ પ્રભુએ તેને કહ્યું કે હે દેવકી ! મારા છ અણગારે તારે ઘેર ગૌચરી માટે પધાર્યા તેમને જોઈને તારા મનમાં એવી શંકા થઈ છે ને કે અતિમુક્ત અણગારે મને કહ્યું હતું કે તું એકસરખા રૂપ, કાંતિવાળા આઠ પુત્રને જન્મ આપીશ. તે મારે તે કૃષ્ણ એક પુત્ર છે ને આ છે મુનિઓ એક માતાના દીકરા છે. તે નકકી બીજી માતાએ એવા પુત્રને જન્મ આપે છે. અતિમુક્ત અણગારનાં વચન અસત્ય ન થાય ને અત્યારે અસત્ય થઈ રહ્યા હોય તેમ લાગે છે. આ શંકાનું સમાધાન કરવા માટે તું આવી છે ને ? બેલ, આ વાત બરાબર છે ને? ત્યારે દેવકીજીએ કહ્યું કે “સૂતા મચિ” હા ભગવંત, આપ સર્વજ્ઞ છે. સર્વ કાંઈ જાણે છે. આપે જે કહ્યું છે તે સત્ય છે. ત્યારે નેમનાથ પ્રભુએ કહ્યું કે સમાધાન સાંભળે. “gવં વસ્તુ લેવાણુ ! તેવં વાળિ તેn THEા મહિપુરે જજે અને મારા રિવરફુ .” “હે દેવાનુપ્રિયે! તેનું સમાધાન આ પ્રમાણે છે. તે કાળ અને તે સમયે ભદ્દીલપુર નામનું નગર હતું. તે નગરીમાં ધનધાન્યાદિથી સંપન્ન નાગ નામનો ગાથાપતિ વસો હતે.તારા જ હાવરણ પુછતા જામ મારિયા સ્થા તે નાગ ગાથાપતિને સુલશા નામની પત્ની હતી. નાગ ગાથા પતિ અને સુલશા ગાથાપત્ની બંને સંસારના મહાન સુખ ભોગવતાં હતાં. તેમને ત્યાં સંપત્તિને પાર ન હતું. એ સંપત્તિને તે પિતાની માનતો ન હતો, પણું પુણથી મળેલી સંપત્તિ મારી એકલાની નહિ પણ તે બધાની છે. એમ સમજીને મળેલી સંપત્તિને તે સદ્વ્યય કરતો હતો. કઈ પણ ગરીબ કે દુઃખી આવે તે તેને આંગણેથી કદી પાછો ફરતે નહિ. રડતે આવે ને હસતે થઈને જાય. આવી ઉદાર તેમની ભાવના હતી. અઢળક સંપત્તિને સ્વામી હોવા છતાં મનમાં સહેજ પણ અભિમાન,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy