SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન છે. એના ભાવથી પણ દુઃખીઓના દુઃખ ચાલ્યા જાય છે તે ક્ષમાને ધારણ કરનારની તો વાત જ કયાં? રાણી અને રાજા બંનેના જીવનમાં ક્ષમાને પાઠ સમજાઈ ગયો. પછી દિવસો જતાં રાણીએ વૈદ્યરાજને બોલાવ્યા, અને કહ્યું કે ભાઈ! હવે તું આવી ગેળી કેઈને આપીશ નહિ. કદાચ હું મૃત્યુ પામી હતી તે તારું શું થાત? પણ તને હું જરૂર ખુશી કરીશ, કારણ કે તારી ગોળીએ મને અંતિમ ઘડી દેખાડી ને હું ક્ષમાયાચના કરવા તૈયાર થઈ. આથી મારે સંસાર સ્વર્ગ જેવો બને. એમ કહી રાણીએ વૈદરાજને દશ હજાર રૂ. આપ્યા. આથી વૈદરાજ પણ સમજી ગયા કે જે રાણીસાહેબ આવી ગયા હેય અને મને દશ હજાર રૂ. મળ્યા હોય તે નવકારમંત્રને પ્રભાવ છે, અને તેના પ્રભાવે હું સુખી થયે છું. માટે હવે હું આ વહેપાર બંધ કરી મહામંત્રનું મરણ કરીશ. એ પણ જૈનધર્મને પામ્યા. અહીં આવેલા મારા ભાઈ-બહેને! પિતાના જીવનને શુદ્ધ બનાવવા માટે પર્વાધિરાજના મંગલમય સંદેશામાં આજે ક્ષમાપનાને છેલ્લે દિવસ છે. આજે તમે અહીંયા ક્ષમાપના કરવા ભેગા થયા છે. ખાલી બોલી જવાથી કે મિચ્છામિ દુકકર્ડ કહી દેવાથી સાચી ક્ષમાપના નથી. એ તે એક વ્યવહાર બની ગયા છે, પણ સાચી ક્ષમાપના તે ત્યારે આપી કહેવાય કે આપણું કેઈએ બૂરું ઈચ્છીયું હેય અગર નુકશાન પહોંચે તેવું આચરણ કર્યું હોય છતાં તમે તમારા દિલમાંથી એ વાતને કાઢી નાખી મૈત્રીભાવ કેળવ્યું હોય તે સાચી ક્ષમાપનાના છે. ક્ષમાપનાના ધર્મમાંથી પ્રગટ શાંતિને અમર સંદેશે જ્યારે અંતઃકરણને સ્પર્શે ત્યારે જેજે કે આનંદ આવે છે! એ આનંદ પ્રાપ્ત કરવા આજને આપણે વિષય હતો “ક્ષમાનું સ્વાગત અને વૈરનું વિસર્જન” ક્ષમા માટે આપણે જેટલું વિચારીએ તેટલું ઓછું છે. પણ સમય થઈ ગયા છે. છેલ્લે એટલું જ કહું છું કે. “સંગત કરી તે તણી, સવસ્તુને વિચારો, રગડા અને ઝઘડા તજી, બગડો જન્મ સુધારજો.” તમારી મરી જીવનને સુધારે તેવી હોવી જોઈએ. જેમ બાળકને પીવડાવેલું દૂધ શક્તિમાં વૃદ્ધિ કરે છે અને સાપને પીવડાવેલું દૂધ ઝેર વધારે છે, તેમ સજજન માણસની મૈત્રી જીવનમાંથી વિષમતાને દૂર કરે છે અને દુર્જનની મૈત્રી જીવનમાં વિષમતા પ્રગટાવે છે. સજજનને સંગ જીવનમાં સંજીવની સમાન છે ને દુર્જનને સંગ સિમલ ઝેર સમાન છે. તમે ઘણી વાર જોયું હશે કે બિલાડી પિતાના દાંત વડે ઉંદરને પકડે છે ત્યારે ઉંદર મરી જાય છે. બીજી બાજુ તે દાંત પોતાના બચ્ચાને માટે રક્ષણ કરનારા થયા. આનું કારણ શું? બીજા પ્રત્યેની નીચ ભાવના અને પિતા પ્રત્યેની ઊંચ શા.-૪૭
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy