SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ત્રીજા નંબરના મેઘ જેવા શ્રેણક મહારાજા. એક વખત અનાથી મુનિનું મિલન થયું તેમાં સમક્તિ પામી ગયા. પહેલાં તે શ્રેણીક રાજા બોદ્ધ ધમી હતા. શિકાર કરવાના શેખીન હતા પણ અનાથી મુનિને સમાગમ થતાં સમતિ પામી ગયા. ચેથા પ્રકારનાં મેઘ જેવા પાંચમાં આરાના જીવે છે. ઘણીવાર સાંભળે પણ પ્રતિબંધ પામે નહિ, | છ અણગારાએ એક જ વખત દેશના સાંભળીને દીક્ષા લીધી હતી. તેમનું હદય કાળી માટી જેવું પવિત્ર હતું. અહીં દેવકીજીની વાત ચાલે છે. નેમનાથ પ્રભુએ દેવકીને તેના મનની વાત કરી. દેવકીજી શાંત ચિત્તે સાંભળે છે. જરા પણ ઉતાવળા નથી થતા કે ભગવાન! આમ કેમ બન્યું તેને ભવગાનના વચનમાં શ્રધ્ધા હતી એટલે વિચાર કર્યો કે હું જે શંકાનું સમાધાન કરવા માટે આવી છું તે શંકાનું સમાધાન કરશે. હવે દેવકીજી અધીરા બની બે હાથ જોડી નેમનાથ પ્રભુ પાસે ઉભા છે. ભગવાન તેને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર” :- કૃષ્ણ અને અર્જુન બાર વર્ષે મળ્યા તેથી બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા ને એકબીજા પ્રેમથી ભેટી પડયા. શ્રીકૃષ્ણ અને અર્જુનને | પ્રેમ જોઈને સાથે આવેલા વિદ્યાધરે વિચાર કરતાં થઈ ગયા કે શું આમને પ્રેમ છે! કૃષ્ણ અર્જુનના કુશળ સમાચાર પૂછયા ને સાથે બેસીને પ્રેમથી જમ્યા. આજે તે આવનારને આવે એટલું પણ ઘણીવાર નથી કહેવાતું. પ્રેમ અને અંતરના આનંદ સાથે કુણે અર્જુનને ખૂબ આદર સત્કાર કર્યો. સાથે જમ્યા અને બાર વર્ષ વનમાં કેવી રીતે પસાર કર્યો તે બધી વાત પૂછી, અને કૃષ્ણને બધી વાત કરી. બે ત્રણ - દિવસ દ્વારા રોકાઈને અર્જુને જવાની રજા માંગી ત્યારે કૃષ્ણ કહ્યું કે હું તમને - આમ નહિ જવા દઉં. ત્યારે અને કહ્યું. મોટાભાઈ! ત્યાં માતા-પિતા બધા સૂરી રહ્યા છે. માટે મને જવાની આજ્ઞા આપે. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે, મારી એક વાતને કે સ્વીકાર કરે તે જવા દઉં. અને કહ્યું કે મારાથી બની શકે તેમ હશે તે હું સ્વીકાર કરીશ. ત્યારે કૃષ્ણ કહ્યું કે મારી વહાલસોયી બેનડી સુભદ્રાને તમે સ્વીકાર • કરે એને ચગ્ય તમે જ છે. આ સાંભળી અનછ શરમાઈ ગયાને કઈ બોલ્યા નહિ એટલે કૃષ્ણજી સમજી ગયા કે મારી બહેનની સાથે પરણવામાં અર્જુનજી. સંમત છે. “કૃષ્ણએ અર્જુન સાથે સુભદ્રાના કરેલા લગ્ન”:- એટલે શ્રીકૃષ્ણ , ખૂબ ધામધૂમથી પિતાની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કર્યા. ત્રિખંડ અધિ પતિ કૃષ્ણ પિતાની એકની એક બહેનને પરણાવતાં હોય ત્યારે તેના લગ્નમાં શું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy