SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શારદા દર્શન ચરિત્ર:- હસ્તિનાપુરથી આવેલા દૂતને જોઈને અર્જુનને આનંદએક દિવસ અર્જુન, મણીચૂડ, હેમાંગદ રાજા અને પ્રભાવતી બધા મહેલમાં બેસીને આનંદ વિદથી વાર્તાલાપ કરતા હતા. તે સમયે દ્વારપાળે આવીને હેમાંગદ રાજાને સમાચાર આપ્યા કે હસ્તિનાપુરથી એક દૂત આવે છે તે આપને મળવા ચાહે છે. રાજાને દૂતને અંદર બેલા. દૂત સૌથી પહેલાં અર્જુનજીના ચરણમાં નમન કરીને પત્ર આપે ને પછી બધાને નમસ્કાર કર્યા. અર્જુને દૂતને જોયા તેથી તેના આનંદને પાર ન રહ્યો. દૂત અર્જુનને ભેટી પડ. પોતે શા માટે આવ્યો છે તે પત્રમાં લખ્યું હતું. પત્ર વાંચતાં પહેલાં અને દૂતને હસ્તિનાપુરના સમાચાર પૂછ્યા ત્યારે તે કહ્યું કે અર્જુન ! મને પાંડુરાજાએ આપને તેડવા મોકલ્યા છે. તમારી રાહ જોતાં કંતા માતાજી : હે વીરા ! આખું હસ્તિનાપુર આપના મિલન માટે તલસી રહ્યું છે. માટે હવે આપ જહદી પધારે. આકાશમાં અને તારા ભલે ટમટમતા હોય પણ ચંદ્ર વિના તારાએ શોભતા નથી. તારાનો પ્રકાશ અવનીને ઉજળી શક્તા નથી, તેમ હે અર્જુનજી! આપના વિના નગર સૂનું પડયું છે. ચંદ્ર વિના રાત અંધારી લાગે છે તેમ તમારા વિના અમને અંધારું લાગે છે. બીજા બધાની વાત તે છોડી દો પણ આપના માતા-પિતાના સામું તે જુઓ, માતા-પિતા તે બધા એમ માનતા હતા કે મારે અજુન ! વનવગડામાં કેવા કષ્ટ વેઠતે હશે! પણ આપ તે પુણ્યવાન પુરૂષ છે એટલે વનવગડામાં પણ તમને આવા રાજાઓ મળી ગયા ને આનંદથી રહે છે પણ હવે એક મિનિટને વિલંબ કર્યા વિના જલ્દી તૈયાર થઈ જાઓ, કારણ કે આપને હસ્તિનાપુર છેડ્યાં ને બાર બાર વર્ષો પૂરા થઈ ગયા ને પાંડુરાજા પણ હવે વૃધ થયા છે. તેઓ “મારે અર્જુન'... મારો અર્જુન કરીને બેસે છે દીકરા ! તું કયાં ગયા? તારા વિના મને ગમતું નથી ભલે, ચાર દિીકરા મારી પાસે હાજર છે પણ જેમ હાથની પાંચ આંગળી હેય છે. તેમાં જે એક આંગળી કપાઈ જાય તે હાથની શોભા બગડી જાય છે, તેમ હે દીકરી! તારા વિના મારી શોભામાં ખામી છે. માટે તું જ્યાં હોય ત્યાથી જલદી આવ. બીજી તરફ માતા કંતાજી પણ તમારા વિના ખાતા-પીતા નથી ને કાળો કલ્પાંત કરે છે કે હે દીકરા ! તું જલ્દી આવ. બાર બાર વર્ષથી મૂકીને ગમે છે તે શું હવે તને તારી માતા યાદ નથી આવતી? આ પ્રમાણે બૂરા કરે છે. અને ચાર ભાઈઓ પણ આપના વિના સૂના સૂના થઈ ગયાં છે. જેમ ગાય વિના વાછરડું અને માતા વિનાનું બાળક નૂરે ને અંદરને અંદર શોષાઈ જાય તેમ ચાર ભાઈ એ શેષાઈ કરે છે ને બોલે છે કે અમારે વહાલસે વરે ક્યારે આવશે? દ્રોપદીને પણ ખૂબ આઘાત છે. ચાર પતિ ત્યાં હાજર છે પણ આપ તેના પતિ તે છે ને? હું જ્યારે જોઉં છું ત્યારે એની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy