SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ - શારદા દર્શન કરીને કેસર અર્જુન પાસે આવ્યું. એટલે અને પિતાનું વિમાન તૈયાર કર્યું. અને વિમાનમાં બેઠા પછી ચિત્ત એકાગ્ર કરીને વિદ્યાના બળથી જોયું કે પ્રભાવતીને દુશ્મન કઈ દિશામાં લઈ ગયે છે. જ્યારે શક્તિથી જાણ્યું કે પ્રભાવતી કયાં છે ને તેની અત્યારે કઈ સ્થિતિ છે. બધું જેવાથી એને ખૂબ ક્રોધ આવી ગયા ને ખૂબ ઝડપે વિમાન ચલાવીને થોડીવારમાં અર્જુન ત્યાં પહોંચી ગયો. વિદ્યાના બળથી માયાવી પ્રભાવતી બનાવી - આ તરફ પ્રભાવતીને વિગથી ગૂરતા રાજા અને તેનું સૈન્ય બેઠું છે. ત્યાં એક અજાણ્યા પુરૂષ આવીને રાજાને કહે છે હે રાજન ! તમે શા માટે ઝૂરે છે? શા માટે આટલે બધે કપાંત કરે છે? જુઓ તે ખરા. તમારી રાણી તે આ વનમાં હર્ષભેર ફૂલ ચૂંટી રહી છે. આ સાંભળીને રાજા એકદમ ઉભા થઈ ગયા ને કહે છે ક્યાં છે મારી પ્રભાવતી? મને જલ્દી બતાવે. એટલે પેલા માણસે દૂરથી બતાવીને કહ્યું જુઓ, મહારાણ ફૂલ ચૂંટે છે. ત્યાં તે રાજા છલાંગ મારીને દેખતા તે તરફ ગયાને દૂરથી કહે છે કે મારી પ્રાણપ્રિયા ! તું જે તે ખરી. હું તારી પાછળ કેટલે ગૂરી રહ્યો છું. તને એમ નથી થતું કે હું જલદી મારા સ્વામીને મળું. એકલી એકલી શું ફેલે ચૂંટી રહી છે! એમ પ્રેમભર્યા શબ્દ બોલતા રાજા એની નજીક પહોંચવા જાય છે ત્યાં માટે લેરીંગ સર્ષ કેણ જાણે ક્યાંથી આવ્યો ને રાણીને પગે ડંશ દીધે. ત્યારે રાણી કારમી ચીસ પાડીને બેલી તે મારા પ્રાણનાથ! હે પ્રિયતમ! ડે....ડે. મને સર્પે દંશ દીધે. અરેરે મને બચાવે. એટલું બેલતાંની સાથે તે yવી પર પડી અને મૂછવશ થઈ ગઈ. આ જોઈને રાજા મૂરતા મૂરતા કહે છે કે હે પ્રાણપ્રિયા ! તું મને છોડીને કયાં ચાલી ગઈ? એમ કહીને રાજા કલ્પાંત કરવા લાગ્યા. હવે રાજાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ વદ ૪ ને બુધવાર તા. ૩-૯-૭૭ સ્વાદુવાદના સર્જક અને વિસંવાદના વિસર્જક એવા શાસનપતિ પ્રભુએ ભવ્ય જીના એકાંત હિત માટે વૈરાગ્ય રસથી ભરેલી વાણીનો પ્રવાહ વહાબે ને બોલ્યા હે ભવ્ય છે ! આખો સંસાર દુઃખથી ભરેલો છે. જેમાં તમને સુખ દેખાય છે તે સુખ નથી પણ સુખાભાસ છે. છતાં જીવને સંસાર છોડ ગમતું નથી. તેનું કારણ જીવને સંસારને મોહ છે. ભલા મનુષ્યને મહારાજાએ એની કેદમાં એવા જકડી રાખ્યા છે કે એમાંથી છટકી શકતાં નથી. છતાં જેને એમ લાગે છે કે આ કેદમાં પુરાઈ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy