SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શારદા દર્શન અંધુએ ! ભૂલા પડેલા જીવાને સંત સથવારા જેવા છે. સાંભળેા. એક ન્યાય આપીને સમજાવું. એક માનવી ગાઢ જંગલમાં ભૂલા પડચા હતા. સાચા માર્ગ શેાધવા ચારે તરફ રખડી રખડીને થાકી ગયા હતા. ભૂખ તરસ પણ ખૂબ લાગી હતી. જંગલમાં ખાવાનું તે કયાંથી મળે ? પણ કયાંક પાણી મળે તે પીને મારી તૃષા છીપાવુ'. એમ વિચાર કરીને પાણી માટે ફાંફા મારતા હતે. ત્યાં એટલામાં એક ઝુંપડી અને પાણીની પરખ જોઈ. ઝુપડીમાં એક માણસ હતા. તે જે કેઈ ભૂખ્યા તરસ્યે માણુસ આવે તેટલાને દાળ જમાડતા હતા ને ઠંડુ પાણી પીત્રડાવતા હતા. પેલા માણસ તા રાજી રાજી થઇ ગયા. રાલેને દાળ ખાધા, જંગલનું શીતળ પાણી પીધું. ખાજુમાં એક મેટા ઘટાદાર વડવા હતા એટલે મનમાં થયું કે થાડી વાર આરામ કરું પછી આગળ જા. એ માણસ વડલાની શીતળ છાયામાં સૂઈગા. ભૂલા પડેલા મુસાફરીને જંગલમાં ખાવાપીવાનું મળ્યુ. વિસામે લેવા માટે વડલાનું ઝાડ મળી ગયુ` છતાં એ વગડામાં રહેવાનુ પસંદ કરશે ? ના. પેલા મુસાફીર થાકયેા પાકયે વિસામે લેવા માટે સૂતે છે પણ પોતાને ગામ જવું છે તે વાત ભૂલ્યો નથી. ત્યાં કોઈ બીજો મુસાફી કરતા કરતા આવી પડેોંચ્યા ને પેલાને ઢ ંઢોળીને કહે છે ભાઈ ! જાગે. આ જંગલમાં નિરાંતે કેમ સૂતા છે ? ત્યારે પેલો જાગીને કહે છે ભાઈ! હું આ જંગલમાં ભૂલો પડયા છું. મને મારા ગામનો માર્ગ જડતા નથી એટલે થાકીને ઘેાડીવાર વિસામે લેવા માટે સૂતા છું. તમારે કયા ગામ જવું છે? મારે અમુક ગામ જવું ત્યાં પેલો કહે છે. મારું પણ એ જ ગામ છે. ત્યારે આવનાર મુસાફર કહે છે ચાલો, મારી સાથે, હું રસ્તો ખરાખર જાણું છું. તમને તમારે ઘેર પહોંચાડી દઈશ. એ સમયે ભૂલા પડેલા મુસાફરને કેટલો આનંદ થાય ? વડલાની શીતળ છાયા છેાડીને જવા તૈયાર થઈ જાય ને ? આ ન્યાય આપણા આત્મા સાથે ઘટાવવાનો છે. આપણે આત્મા અને તકાળથી ભવરૂપી વનમાં ભૂલો પડચા છે. તે પાતાન કર્મોનુસાર દેવ, નારકી, મનુષ્ય, તિય "ચમાં વિવિધરૂપ ધારણ કરીને ભવ વનમાં ભટકી ભટકીને ખૂબ થાકી ગયા. ત્યાં એના પરમ સદ્ભાગ્યે મનુષ્ય ભવરૂપી વડલાનું વિશ્રમસ્થાન મળ્યું, ખાવાપીવાની સગવડ મળી એટલે જીવ હાશ કરીશ શાંતિથી બેઠો છે. ત્યાં સંતપુરૂષ આવીને કહે છે ભવમાં ભવમાં ભૂલા પડેલા મુસાફરા! તમે જાગે. કયાં સુધી ઉંઘ્યા કરશેા ? આયુષ્ય રૂપી સૂર્યનો અસ્ત થાય તે પહેલાં આપણે આપણાં ઘેર પહેાંચી જઈ એ. જીવનું શાશ્વત ઘર કયુ' તે જાણેા છે ને ? જીવનું શાશ્વત ઘર મે!ક્ષ છે. આ મનુષ્યભવ તા વિસામા છે. સતા કહે છે જો તમારે શાશ્વત ઘેર પહોંચવુ... હાય તે અમારી સાથે ચાલે. અમે માક્ષમાગ ના ભેામિયા છીએ, અમારે ત્યાં જવું છે તે તમને એ માગ બતાવી દઈશું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy