SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૫૯ સમય આવે અગર કેઈ મારણાંતિક ઉપસર્ગ આવે છે ત્યારે એવી વિચારણા કરે છે કે મારો આત્મા અજર-અમર ને અવિનાશી છે. દુનિયામાં જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તેને વિનાશ થાય છે, પણ આત્મા કદી ઉત્પન્ન થતું નથી તે તેને વિનાશ કયાંથી હેય? પાંચ ઈન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણના સંયોગની અવસ્થાને જીવન કહેવાય છે ને તેની વિગ અવસ્થાને મરણ કહેવાય છે. તે બાહ્ય વસ્તુના સંગ અને વિયેગમાં હર્ષ કે શેક શા માટે કરે જોઈએ ? આમ સમજીને જ્ઞાની પુરૂષ જીવન અને મરણના પ્રસંગમાં સમાન ભાવ રાખે છે. ત્યારે અજ્ઞાની મનુષ્યોને હેજ દુઃખ આવે તે હાયય કરે છે ને મરણની વાત સાંભળતાં એને કંઈક થઈ જાય છે. જોષીએ ભાખેલું ભવિષ્ય” : એક ક્રોડાધિપતિ શેઠ હતા. તેમના જીવનમાં ધર્મનું નામ નિશાન ન હતું. આવા શેઠ એક દિવસ પેઢી ઉપર ગાદીએ બેઠા હતાં. ત્યાં એક જેવી મહારાજ ટીપણું લઈને આવ્યા. શેઠે કહ્યું પધારે, જેથી મહારાજ, આજે મારો હાથ જોઈ આપે કે મારું આયુષ્ય કેટલું છે ? જોષીએ શેઠની હસ્તરેખા જોઈને ટીપણામાં કંઈક ગણત્રી કરીને જોયું ને મોટું પડી ગયું. મુખ એ કેમેરે છે. જેવીનું મુખ જોઈને શેઠ પૂછે છે કેમ જોષી મહારાજ ! તમારું મેટું પડી ગયું ? ત્યારે જોષી માથું ધુણાવીને કહે છે કાંઈ નહિ. ત્યારે શેઠે ખૂબ આગ્રહ કરીને પૂછયું. કેમ તમે કંઈ કહેતા નથી ? એટલે જોષીએ કહ્યું શેઠ! કહેવાય તેમ નથી. એટલે શેઠને વધુ અધીરાઈ આવી ને ખૂબ પૂછ્યું ત્યારે જોષીએ કહ્યું–શેઠ! આજથી સાતમે દિવસે તમારું મૃત્યુ છે. આ સાંભળીને શેઠ ઝબકીને કહે છે હું કેવું ? શું મારું મેત ! જોષી કહે છે હા...હા...શેઠ. મારું નહિ તમારું. આ સાંભળીને શેઠને માથે પહાડ તૂટી પડે તે આઘાત લાગે. શું કહો છો જેવી મહારાજ ! જોષીએ કહ્યું હું તે તમને કહેતું ન હતું પણ તમે ખૂબ પૂછયું એટલે કહ્યું. શેઠ ! હવે ચેતી જાવ. શેઠ તે મતની વાત સાંભળીને રડવાને મૂરવા લાગ્યા. બંધુઓ! આ જગ્યાએ જે ધમષ્ઠ માણસ હોત તે એમ કહેત કે જેથી મહારાજ! તમે મને ચેતાવી દીધે તે બહુ સારું કર્યું. હું અંતિમ સાધના કરીશ. સાગારી સંથારે કરીશ. પણ આ શેઠને ધર્મનું જ્ઞાન નથી એટલે મરણનું નામ સાંભળીને પ્રજી ઉઠયા. ને જોષીને પૂછે છે મારા શરીરમાં કોઈ જાતની તકલીફ નથી ને શું હું મરી જઈશ? તે મારું મરણ કેવી રીતે થશે? શું કઈ એકસીડન્ટથી થશે? તે હું બહાર જાઉં જ નહિ, ત્યારે જોષી કહે છે શેઠ! તમારું મત સર્પદંશથી થશે. હું મને સર્પદંશ થશે? વાણીયાના દીકરા બહુ પાકા હોય. શેઠને આઘાત ખૂબ લાગે પણ હિંમત કરીને પૂછે છે જોષીજી! મને સર્પદંશ કયાં થશે ? અહીં પેઢી ઉપર, ઘરમાં, બાથરૂમમાં કે સંડાસમાં? તે હું જરા ચેત રહું. (હસાહસ)
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy