SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૧૪૩ (હસાહસ) સાધુ ગાયની જેમ ચરે. તે ગૃહસ્થને ઘેરથી એવી રીતે આહાર લે કે પાછળ ગૃહસ્થને સંકેચ ન પડે. બીજી વાત સાધુ ગીચરી જાય ત્યાં કઈ માન આપે કે અપમાન કરે તે પણ સાધુએ સમભાવ રાખવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે जे न वंदे न से कुप्पे वदिओ न समुक्कसे। પવમરમાણ સામvorg . અ. ૫ ઉ૧ ગાથા ૩૨ કેઈ ગૃહસ્થ સાધુને વંદણા ન કરે તો તેના ઉપર ક્રોધ ન કરે પણ એ વખતે એ વિચાર કરે કે હું કઈ પાસે વંદન નમસ્કાર કરાવવા માટે સંયમ પાળ નથી. કેઈ વંદન કરે તે મને શો લાભ? અને ન કરે તે મને શું નુકશાન ? મને માન પ્રતિષ્ઠાની ભૂખ નથી. આ લેકમાં પૂજાવા માટે હું મારો અમૂલ્ય સંયમ શા માટે વેડફી નાખું! જેમ ચિંતામણીરત્ન કુટેલી કેડીના બદલામાં આપવાનું ન હોય તેમ આ મારું કિંમતી ચારિત્ર રન લૌકિક ગૌરવ માટે વેચી દેવાનું નથી. સાથે કઈ રાજા-મહારાજા અને શ્રીમંતે સાધુના ચરણમાં લળીલળીને વંદણ કરે ત્યારે સાધુ હરખાય નહિ કે મને કેવા વંદન કરે છે પણ એમ વિચાર કરે કે આ બધાના વંદન સ્વીકારવાની મારામાં ગ્યતા છે? હું મારા ચારિત્રમાં વફાદાર છું? મારામાં એટલા ગુણે છે? આ વિચાર કરે. અરે, કેઈ શ્રાવક અગર શ્રાવિકા ઉપાશ્રયમાં દર્શન કરવા માટે આવે ત્યારે દીક્ષા પર્યાયમાં નાના સંત સતીજી હોય તેને વંદન કરે ને મોટાને વંદન ન કરે તે એ વિચાર ન કરે કે આ લેકમાં કેટલે ભેદભાવ છે ! નાનાને વંદન કર્યા, એમને સુખશાતા પૂછી અને મને મોટાને વંદન ન કર્યા. તેમ વિચારી ગૃહસ્થ ઉપર ક્રોધ ન કરે, તેમની નિંદા ન કરે પણ વંદણ કરનાર પ્રત્યે જે પ્રેમભાવ રાખે તે પ્રેમ વંદણ ન કરનાર પ્રત્યે રાખે, ને વિચાર કરે કે દરેક ઉપર સમભાવ રાખે એવી ભગવંતની આજ્ઞા છે. આ રીતે જે સાધુ સાવી સંયમ પાળે છે તેને બેડો પાર થઈ જાય છે. છ અણગારે ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયાં છે. હવે તેઓ જ્યાં ગૌચરી જશે તેના ભાવ અવસરે. ચરિત્ર : અર્જુનના ગયા પછી પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુળ, દ્રૌપદી બધા મહેલમાં આવીને ખૂબ ખૂરવા લાગ્યા. માતા પિતા કહે છે એ મારા લાડકવાયા ! અમે રાજમહેલમાં બેઠા છીએ ને તું જંગલમાં કષ્ટ વેઠવા કયાં ચાલ્યો ગયો? ચાર ભાઈઓ કહે છે એ અમારા વહાલા બંધવા ! તું એક ગયે પણ તારા વિના જાણે કેઈ નથી એવું લાગે છે. આમ સૌ યાદ કરીને રડે છે. આજે આ પ્રેમ ભાગ્યે જોવા મળશે. આજે સૌ પોતપોતાના સ્વાર્થમાં મસ્ત છે પણ અહીં તે ક્ષીર નીર જે પ્રેમ હતો. ભલે તેઓ બધું કાર્ય કરે છે પણ એક ક્ષણ અજુનને ભલતાં નથી,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy