SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર વિકારમૂલક વિભાવ ભાવાથી આત્માને જુદા પાડવાને માટે પણ વિવેક અને વૈરાગ્ય મન્નેની સમાન જરૂર છે. આયુર્વેદ શાસ્ત્રમાં જેમ બધા રોગોનાં મૂળમાં વાત, પિત્ત અને કફ હાય છે, રાગનાં મૂળમાં આ ત્રણ વસ્તુઓના વિકાર હાય છે, ફેર હાય તા એટલે જ કે કયાંક એકાદ એછે તે ક્યાંક એકાદ વધારે; તેમ આ સચરાચર જગતમાં પણ ત્રણ વસ્તુઆ રહેલી છે. સત્ત્વ, રજસ અને તમસ–એ ત્રણ ગુણેા પ્રકૃતિમાં ભરેલા છે. આ ત્રણ ગુણ્ણાના કારણે જ સંસાર છે. ગુણાતીત થયા પછી સંસારનુ અસ્તિત્વ રહેતું નથી. સંસારમાં જ્યાં સુધી જે ક્રિયા-કલાપ દેખાય છે તેનાં કેન્દ્રમાં આ ત્રણ ગુણ્ણાનું અસ્તિત્વ જ કામ કરી રહ્યું હાર્ય છે. એટલે ભગવાન કૃષ્ણ તે ગીતામાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને સમજાવે છે કે, તૈમુખ્યવિષયા થવા નિÂજીન્થે મવાન વેદ અને વેદમાં ખતાવવામાં આવેલા ક્રિયાકાંડા સત્ત્વ, રજસ અને તમેગુણમૂલક છે. તેમાં નિર્દિષ્ટ કાઇપણ ક્રિયા આ ત્રણ ગુણૈાથી અતીત નથી. આ ત્રણ ગુણેાથી આત્માને અળગે પાડીએ તે જ કેહુ અને આત્મા વચ્ચે ભેદ રેખા ખેંચાય. ઢેડથી આત્માને અળગા પાડવાના એક માત્ર માં આ ત્રણે ગુણાને તપાસી, તેમને જીતી લેવાના છે. એટલે શ્રીકૃષ્ણ પોતાના સખા અર્જુનને બહુ સરળતાપૂર્વક કહે છે કે, વેદવિહિત કમને ધમ' માની જો તું યજ્ઞ યાગાદિ ક્રિયાકાંડામાં ફસાઈ પડીશ તે તેનુ ઉત્કૃષ્ટતમ ફળ માત્ર સ્વર્ગની ઉપલબ્ધિ થશે પરંતુ એનાથી પરમમુકિત કથમપ શકય ખનશે નિહ. કારણ, વેદોમાં નિર્દિષ્ટ ક્રિયા કલાપો સત્ત્વ રજસ અને તમેગુણમૂલક છે. વેદ્ય નિર્દિષ્ટ વ્યવહારોથી આત્માને આત્યંતિક મેાક્ષ સંભવિત નથી. જો જન્મ, જરા અને મૃત્યુથી મુક્તિ મેળવવાની મહત્તમ મનીષા હોય તે। હે અર્જુન ! તુ ત્રિગુણાતીત થઈ જા ! સત્ત્વ, રજસ અને તમેગુણુને ત્યા વગર આ મેાહ જાળમાંથી મુકિત મેળવવી અશકય છે. આ રીતે ત્રણે ગુણે। સંસારનાં મૂળ છે એ સમજી ગયા પછી આજે સહુથી વધારે ભયંકર એવા તમેગુણ અને તેને ડાંભવા માટેના ઉપાયના વિચાર કરીએ. ગઈકાલના પ્રવચનમાં તમેગુણ વિષેના સામાન્ય નિર્દેશ કરી દેવામાં આવેલ છે. આજે તે વિષે વિશદ વિચારણાપૂર્વક સ્પષ્ટ છણાવટ કરવા પ્રયત્ન કરીએ. આજે સર્વત્ર તમેગુણની ભારે બિહામણી અને વિકરાળ અસરો જોવા મળે છે. તમે ગુણની મુખ્ય નિશાની નિષ્ક્રિયતા છે. પ્રમાદ, આળસ, ઊ ંઘ, કાર્યથી ગભરાઇ જવુ વગેરે તમે ગુણના સ્પષ્ટ ચિહ્ન છે. તમેગુણુ સદા પ્રમાદ પ્રધાન હેાય છે. આળસ તેનું મુખ્ય લક્ષણ છે. કવિ અને નીતિ વિશારદે આળસથી સતત જાગૃત રહેવા ભલામણ કર્યાં કરે છે. ‘ગાય દ્દિ મનુષ્ચાળાં ારીશ્થા મહાવુિં:' આળસ મનુષ્યના શરીરમાં રહેલા મોટામાં મોટો દુશ્મન છે. ઘર સમાજ અને દેશને ખેદાન મેદાન કરનારા અને સુખ શાંતિમાં આગ ચાંપનાર એ ભયંકર દુશ્મન છે. આપણામાં ઘર કરવા તે ટાંપીને બેસી રહે છે. થાડી પણ તક તે તરત જ આપણામાં ઘૂસી જાય છે. આળસને આપણામાં મળી જાય કે જેટલી પણ પ્રવેશવામાં જરા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy