SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ઇશ્વરકતૃત્વ અને કમ વાદ ઈશ્વર કતૃત્વના સંબધે વાત ચાલી રહી છે. ગઈ કાલના પ્રવચનમાં . સુસ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જેમ જીવ કમ કરવામાં સ્વતંત્ર છે તેમ ફળ ભોગવવામાં પણ તે સ્વતંત્ર છે. જો આમ માનવામાં ન આવે અને ફળ આપવામાં ઇશ્વરાધીનતા સ્વીકારવામાં આવે તે જ્યારે એક માણસ બીજા માણસનુ ખૂન કરે છે ત્યારે તે ખૂન કરનાર માણસને દોષિત ન માનવે જોઇએ. કારણ ફળ આપનાર તેા સ્વયં પરમાત્મા છે. પરમાત્માએ માત્ર ખૂન કરાવવામાં એક માણસના નિમિત્તની અપેક્ષા રાખી છે. ઇશ્વર સાક્ષાત્ તે ખૂન કરનાર માણસ વડે, જેનુ ખૂન થયું છે તેને, દંડ અપાવી રહ્યા છે. જેમ કોઈ શાસક પેાતાના અધિકારીએ વડે કોઇને શિક્ષા અપાવે તે તેમાં અધિકારીએ તે માટે જવાબદાર કે ઢેષિત ગણાતા નથી. અધિકારી તે માત્ર શાસકીય આજ્ઞાનું પાલન કરે છે. વસ્તુતઃ શિક્ષા અપાવનાર શાસક જ તે માટે જવામદાર છે. આ જ રીતે કોઈની ઘાત કરનાર ઘાતક પણુ, જેના ઘાત તેણે કર્યાં છે તેના પૂર્વ કૃત કનુ ફળ જ તે તેને ભાગવાવે છે. કારણ ફળમાં જીવની ઇશ્વરાધીનતા સ્વીકારનારા માટે તે ઈશ્વરે તેનાં પૂર્વ કૃત કર્યાં માટે આ જ જાતની શિક્ષા નિર્માણ કરી હશે અન્યથા તેને આમ વધ થયા ન હોત. કદાચ એમ કહેવામાં આવે કે, કમ કરવામાં પુરુષ સ્વતંત્ર છે. એટલે ઘાતકનુ કાય ઈશ્વર પ્રેરિત નથી પરંતુ સ્વકીય ઇચ્છાનું જ પરિણામ છે. આમ માનવામાં આવે તે નિષ્ક એ યેા કે, સંસારી દશામાં પ્રાણીમાત્ર સ્વતંત્ર નથી. તેએ પેાતપેાતાના કમેાંથી બધાએલાં છે. મહાભારતમાં પણ સ્પષ્ટતાપૂર્ણાંક કહેવામાં આવેલ છે કે, “મેળા ઘચતં નન્નુ”-અર્થાત્ પ્રાણી કર્મોથી ધાએલ છે અને કર્મની પર પરા આજકાલની નથી, પરંતુ અનાદિની છે. આવી સ્થિતિમાં વ્રુત્તિ: ધર્માનુસrરિળિ’--જેવાં પ્રાણીનાં કમેર્યાં તે પ્રમાણે તેની બુદ્ધિ પણ થઈ જાય છે. આ ન્યાય જો સાચા હાય, તે પછી કોઈ પણ કામ કરવા કે ન કરવા સંબંધે માણસ સ્વત ંત્ર રહેતે નથી. તે કથી બધાએલા છે અને જેવાં તેનાં કર્મો, તેવાં કાર્યો તે કર્યા જ કરે છે. કની ઉપર્યુકત મર્યાદાને સ્વીકાર કરવાથી મુકિતલાભ કેમ પ્રાપ્ત થઈ શકશે ? કારણ, જીવ કમેર્મોથી પરવશ છે અને જેવાં તેનાં કર્મો તેવી તેની બુદ્ધિ છે. એટલે કમની અવિચ્છિન્ન પર પરા ચાલ્યા જ કરવાની આવી શંકા કરવી એ પણ ચગ્ય નથી. કારણ, ક સદા એક સરખાં હાતાં નથી. કર્મો સારાં પણ હાય છે અને ખૂરાં પણ હાય છે. સારાં કર્મોને અનુસરનારી બુદ્ધિ માણસને સન્માર્ગ ભણી દોરી જાય છે અને પૂરાં કર્મોને અનુસરનારી બુદ્ધિ માણુસને કુમાગે લઇ જાય છે. સન્માર્ગે લઇ જનારી બુદ્ધિ માણસને મેક્ષાભિમુખ ખનાવે છે અને કુમામાં પ્રવૃત્ત કરાવનારી બુદ્ધિ માણસનાં સંસારના બંધનોને દૃઢ બનાવે છે. પરિણામ એ આવ્યુ કે, બુદ્ધિ કર્મોને અનુસરનારી થાય તેથી મુતિલાભમાં કશી જ અડચણ ઊભી નથી થતી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy